HomeWild Life Newsસાસણ ગીર: દલખાણીયા રેન્જમાં એશિયાટીક સિંહ(Asiatic Lion)નું મોત, મોતનું કારણ અકબંધ

સાસણ ગીર: દલખાણીયા રેન્જમાં એશિયાટીક સિંહ(Asiatic Lion)નું મોત, મોતનું કારણ અકબંધ

સાસણ ગીરના પશ્ર્ચિમના દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત હોય તેમ વધુ એક એશિયાટીક સિંહ(Asiatic Lion)નું મોત થયું છે. વન વિભાગ દ્વારા આ મૃત એશિયાટીક સિંહ(Asiatic Lion)ના મોત પાછળનું શંકાસ્પદ કારણ જાણવા માટે મૃતદેહનો કબજો લઈ મોતનું કારણ જાણવા માટે પોસ્ટ મોર્ટમ કરવાની તપાસ માટે નમૂના લેબોરેટરીમાં મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સાસણ ગીરના કરમદડી રાઉન્ડની બીટમાંથી 4થી 5 મહિનાનું નર એશિયાટીક સિંહ(Asiatic Lion)નો મૃતદેહ મળી આવ્યો છે. સાસણ ગીર વિસ્તારના દલખાણીયા રેન્જમાં વધુ એક એશિયાટીક સિંહ(Asiatic Lion)નો મૃતદેહ મળી આવતા વનવિભાગ દોડતું થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગીર જંગલની દરખાણીયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં આવેલી સરસીયા વીડીમાં એક સાથે 30થી વધુ એશિયાટીક સિંહો(Asiatic Lion)ના મોત નિપજ્યા હતા. વન વિભાગે જણાવ્યું હતું કે, આ સિંહોના મોત કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસનાં કારણે થયા હતા. ત્યારબાદ વન વિભાગ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે, સમગ્ર પરિસ્થિતિ કાબુમાં છે અને એશિયાટીક સિંહો(Asiatic Lion) સલામત છે. પણ એશિયાટીક સિંહો(Asiatic Lion)ના મોતનાં સમાચાર સતત આવતા જ રહે છે. જેના કારણે વન્યપ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

- Advertisment -