HomeTravellingઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે ઓળખાતું આ પર્યટક સ્થળ સહેલાણીઓ માટે ફરી...

ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે ઓળખાતું આ પર્યટક સ્થળ સહેલાણીઓ માટે ફરી ખુલશે

સમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે ગણાતા ‘પોલો ફોરેસ્ટ’માં કોરોના મહામારીને પગલે છેલ્લા કેટલાય સમયથી પ્રતિબંધ યથાવત રાખાયો હતો, પરંતુ કોરોના મહામારી ઘટતા હવે પોલો ફોરેસ્ટમાંથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે.

છેલ્લા અગિયાર માસથી કોરોના મહામારીનું સંકરણને કારણે પોલો ફોરેસ્ટમાં પ્રતિબંધ લગાવાયો હતો. જોકે, હાલ સાબરકાંઠા સહિત સ્થાનિક વિજય નગર વિસ્તારમાં કોરોના સંક્રમણમાં વ્યાપક ઘટાડો આવતા હવે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોર્પોરેશનમાં ટુ-વ્હીલર સાધન લઈ જવાની છૂટ આપવામાં આવી છે, તેમજ સહેલાણીઓને આવવા-જવા ઉપરથી સંપૂર્ણ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવતા ફરી એક વખત પોલો ફોરેસ્ટ ફરી ધમધમશે. ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે ગણાતા ‘પોલો ફોરેસ્ટ’માં કોરોના મહામારીને પગલે છેલ્લા કેટલાય સમયથી પ્રતિબંધ યથાવત રાખાયો હતો, પરંતુ કોરોના મહામારી ઘટતા હવે પોલો ફોરેસ્ટમાંથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે.

આભાપુરના જંગલો એટલે પોલો ફોરેસ્ટ પર્યટકોનું ફેવરીટ સ્થળ છે. એક દિવસીય પ્રવાસ માટે ઘણા સહેલાણીઓ પોળોમાં જતા હોય છે. વિકેન્ડના દિવસે ત્યાં માનવ મહેરામણ જોવા મળતું હોય છે. પોળોના જંગલમાં પ્રવાસીઓની સુવિધા વધારવા અને જંગલ વિસ્તારને પ્રદુષણ મુક્ત રાખવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.

ઉલ્લેનીય છે કે, પોલો ફોરેસ્ટમાં સૌથી મહત્વનો પ્રશ્ન રોજગારીનો બન્યો હતો, તેમજ કોરોના મહામારીને પગલે સ્થાનિક ધંધા-રોજગાર ઉપર વિપરીત અસર થઈ હતી. સાથોસાથ જિલ્લા વહીવટી તંત્રે અગમચેતીના ભાગરૂપે એકાદ વર્ષથી આ વિસ્તારમાં પ્રતિબંધ યથાવત રાખ્યો હતો. જેના પગલે પોલો ફોરેસ્ટ સુમસામ બન્યું હતું. જો કે, સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હવે પ્રતિબંધ ઉઠાવી લેતા હવે પોલો ફોરેસ્ટમાં ફરીથી સહેલાણીઓ સરળતાથી આવી શકશે. તેમ જ સ્થાનિક કક્ષાએ તમામ સુવિધાઓનો લાભ મેળવી શકશે. જોકે, હાલ ટુ વ્હીલર સાધનોને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ મોટા વાહનોને હાલ પૂરતી મંજૂરી અપાઇ નથી. જે આગામી સમયમાં તમામ પ્રતિબંધો ઉઠાવી લેવાની સંપૂર્ણ સંભાવના છે, ત્યારે હાલમાં સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયના પગલે સ્થાનિક વિસ્તારોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

- Advertisment -