ડાઈનોસોરને ટિટેનોસોરસ, એલોસોરસ, બેરિયોનાસોરસ જેવા ઘણા બધા નામે ઓળખાય છે.
ડાઈનોસોર( Dinosaur )એ રોમાંચ અને ઉત્સુકતા પેદા કરનારા પ્રાણીઓ છે. ડાઈનોસોર પૃથ્વી ઉપર ૨૩ કરોડ વર્ષ પહેલા વસતા હતા. અને આજે પણ ડાઈનોસોર( Dinosaur )વિષે શોધકર્તા વિજ્ઞાનિકો માટે રસપ્રદ વિષય રહ્યો છે.
ડાઈનાસોર( Dinosaur )ના યુગ સમયે મનુષ્ય જીવન ન હતું ઈ.સ. 1842માં અંગ્રેજ નૃવંશ શાસ્ત્રી રીચાર્ડ ઓવને ડાઈનોસોર( Dinosaur )નામ આપ્યું. ડાઈનોસોર( Dinosaur )એટલે ગ્રીક ભાષામાં વિકરાળ, મોટી અને શક્તિશાળી ગરોળી.

23 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર આવા પ્રાણીઓ હતા. તેની ખબર આજે કેમ પડી તે પણ જાણવા જેવું છે. પૃથ્વી પર કોઈ સ્થળે ઊંડે ખોદકામ કરતા કેટલાક સ્થળેથી ડાઈનોસોર( Dinosaur )ના દટાયેલા હાડકાં કદ વગેરેનો અભ્યાસ કરીને આ પ્રાણીઓ કેવા હતા તેનું તારણ અને સંશોધન કરે છે.
જુદા જુદા સ્થળોએ ડાઈનોસોર( Dinosaur )ના વિવિધ પ્રકાર અને આકારના અસ્થિઓ મળ્યા છે. ક્યારેક પગલાં તો ક્યારેક થાપાના હાડકા અને વનસ્પતિ ખાઈને જીવતા. 9 હજાર પ્રજાતિ ડાઈનોસોર( Dinosaur )પૃથ્વી પર હાવાનું માનવામાં આવી રહ્યું છે. કેટલાક જમીન પર તો કેટલાક દરિયામાં રહેતા.

કેટલાક ડાઈનોસોરને પાંખો હતી અને ઊડી શકતા. બધા ડાઈનોસોર( Dinosaur ) ઈંડા મૂકતા. ડાઈનોસોરના( Dinosaur ) ઈંડા પણ ખોદકામમાં મળી આવે છે. કેટલાક ડાઈનોસોર( Dinosaur )ને તીક્ષ્ણ દાંત હતા. વિજ્ઞાાનીઓએ ડાઈનોસોર( Dinosaur )ને ટિટેનોસોરસ, એલોસોરસ, બેરિયોનાસોરસ જેવા ઘણા બધા નામ આપ્યા છે.
પૃથ્વી પર ડાઈનોસોર( Dinosaur )વસતા તે સમયને જુરાસિક યુગ કહે છે. ડાઈનોસોરનો( Dinosaur )રંગ કેવો હતો તે ચોક્કસ જાણી શકાય નહીં. પરંતુ આજે મગર, ગરોળી વગેરે સરિસૃપો ડાઈનોસોર( Dinosaur )ના વંશજ છે. એટલે ડાઈનોસોરનો( Dinosaur )રંગ પણ તેમના જેવો હશે તેમ મનાય છે.

વિજ્ઞાનીઓ માને છે કે સાડા છ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી સાથે એક મોટી ઉલ્કા અથડાઈ. પૃથ્વી ઉપર વાદળો છવાઈ ગયા. સૂર્ય ઢંકાઈ ગયો અને વર્ષો સુધી પૃથ્વી ઠંડી પડી ગઈ. પૃથ્વી પર સૂર્યના કિરણો નહીં હોવાથી ઊર્જા પણ બચી નહી.
ડાઈનોસોર( Dinosaur )જેવા પ્રાણીઓ આ યુગમાં નાશ પામ્યા. જો કે ડાઈનોસોર( Dinosaur )ના વંશજો નાશ થવા માટે ઘણી બધી થિયરીની ચર્ચા થાય છે. અને કયાં કયાં પરિબળોને કારણે આ ડાઈનોસોર( Dinosaur ) યુગનો અંત થયો તે ઉપર આજે પણ સંશોધન થઈ રહ્યા છે.
ગુજરાતમાં દેશના સૌ પ્રથમ ફોસીલપાર્ક-ડાયનોસોર( Dinosaur )મ્યુઝિયમ

ગુજરાતનો આ પાર્ક દુનિયાના ત્રીજા સૌથી મોટા વિશિષ્ઠ ડાયનોસોર( Dinosaur )ફોસીલ પાર્ક ધરાવતું ગૌરવ પ્રાપ્ત કરશે. આ ફોસીલ પાર્ક દેશનો પ્રથમ પાર્ક પણ બનશે. આ દ્વારા પ્રવાસીઓને ડાયનોસોર( Dinosaur )નો ઇતિહાસ, એમની જીવન પધ્ધતિ અને આવા વિશાળકાય પ્રાણીઓનો કેવી રીતે નાશ થયો એની અધ્યતન અને વૈજ્ઞાનિક માહિતી મોડેલ્સ, ફિલ્મ્સ અને ચાર્ટ દ્વારા જોઈ શકાય છે.
અંદાજે 36 વર્ષ પહેલાં વિશાળકાય રાજાસોરસ નર્મન્ડેન્સિસ ડાયનોસોર( Dinosaur ), રાયોલિસોરસ ગુજરાતેન્સિસ અને ટાએટેમોસોરસના હાડકાંરૂપી અવશેષો મધ્ય ગુજરાતના નવાબી નગર બાલાસિનોરથી 11 કિ.મી ર રૈયોલી ગામે સંશોધન દરમિયાન મળયા હતા. આ ડાયનોસોર( Dinosaur )ની વિશ્વની ત્રીજી સૌથી મોટી ફોસીલ વસાહત છે.
અગાઉ 2003 માં, અહીંથી ડાયનોસોર( Dinosaur )ની લગભગ સાત પ્રજાતિઓને શોધી કાઢવામાં આવી હતી. આ પ્રજાતિઓ ટાયરેનોસૌરસ રેક્સ કુળની હતી. જે ગુજરાત રાજયની નર્મદા નદીના વિસ્તારના સ્થળોએથી પાપ્ત થયા હતા.