HomeWildlife Specialચિત્તાને મધ્યપ્રદેશના નવા ઘર કુનો નેશનલ પાર્કમાં છોડાયા

ચિત્તાને મધ્યપ્રદેશના નવા ઘર કુનો નેશનલ પાર્કમાં છોડાયા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાને મધ્યપ્રદેશમાં તેમના નવા ઘર કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા.

Social Media
આજે ચિત્તાઓ નેશનલ પાર્કમાં છોડ્યા બાદ PM મોદીએ નામીબિયા દેશનો આભાર માણ્યો હતો. આ સાથે તેમેન જણાવ્યું હતું કે, હું આ ઐતિહાસિક અવસરે દેશવાસીઓને અભિનંદન પાઠવું છું અને મિત્ર દેશ નામીબિયાનો આભાર માનુ છુ, જેમની મદદથી વર્ષો પછી ભારતની ભૂમિમાં ચિત્તા પરત આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, 1947 જ્યારે દેશમાં માત્ર 3 જ ચિત્તા બચ્યા હતા, ત્યારે પણ તેમનો શિકાર કરવામાં આવ્યો, ચિત્તાઑના પુનર્વાસ માટે દાયકાઓ સુધી કોઈ પ્રયાસ ન થયા.
Social Media

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ચિત્તાઓને જોવા માટે દેશવાસીઓએ થોડી ધીરજ રાખવી પડશે, ચિત્તા હજુ મહેમાન છે અને આ જગ્યાથી અજાણ છે, તે ભારતને પોતાનું ઘર બનાવે તેની રાહ જોવી પડશે. આજે આ ચિત્તા મહેમાન બનીને આવ્યા છે, કૂનો નેશનલ પાર્કને તેઓ પોતાનું ઘર બનાવી શકે એ માટે આપણે પણ તેઓને સમય આપવો પડશે.

Social Media

PM મોદીએ ઉમેર્યું હતું કે, આજે ગુજરાત એશિયાટીક સિંહ માટે ખૂબ મોટું ક્ષેત્ર બની ગયું છે, તેની પાછળ દાયકાઓની મહેનત છે. એક સમયે આસામમાં એકશિંગી ગેંડાની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ હતી પણ હવે વધી રહી છે અને ટાઈગરની સંખ્યા ડબલ કરવાનો લક્ષ્ય પણ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મધ્ય પ્રદેશમાં તેમના નવા ઘર કુનો નેશનલ પાર્કમાં છોડ્યા.

- Advertisment -