ભક્ષક જીવોને ભૂલાવામાં નાંખવા ઝીગઝાગ પેટર્ન બનાવે છે.
બચપણમાં એક કવિતા ભણવામાં આવતી.કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછતાય, વણ તૂટેલા તાંતણે,ઉપર ચડવા જાય આ કવિતામાં કવિ પરિશ્રમી કરોળિયાનો દાખલો આપી જીવનમાં સફળતા મેળવવા નાની મોટી નિષ્ફળતાઓથી વિચલિત થયા વગર જાળ ગૂંથતા કરોળિયાની માફક સતત પ્રયત્ન કરો એવો બોધ આપે છે.
સહી કરતો કરોળિયો..નામ જ આશ્ચર્યજનક છે ને..એટલે ડો. નિધીને કુતૂહલ સાથે પૂછ્યું…
તેમણે જણાવ્યું કે આમ તો આ કરોળિયો ગુજરાતમાં જોવા મળે છે પણ અન્ય કરોળિયાથી એ અલગ એ રીતે છે કે આ કરોળિયો ઝિગઝાગ પેટર્ન માં જાળની ગૂંથણી કરે છે. સફેદ રંગની તેની જાળ કોઈએ સહી (સિગ્નેચર) કરી હોય એવી દેખાતી હોવાથી તેને આ કુતૂહલ પ્રેરક નામ મળ્યું છે.