HomeWildlife Specialકોરોના મહામારીમાં વન્યજીવો ને ફાયદો, જાણો કેવી રીતે

કોરોના મહામારીમાં વન્યજીવો ને ફાયદો, જાણો કેવી રીતે

વનવિભાગ દ્વારા તાજેતરમાં અભ્યારણ્યો રતનમહાલ અને જાંબુધોડામાં યોજાયેલી વન્યજીવો ની વસ્તી ગણતરીમાં 7 વન્ય પ્રાણીઓ ની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. દીપડા, રીંછ, ઝરખ, જંગલી-બિલાડા, ભૂંડ, શિયાળ, જંગલી-બિલાડી સહિત ના 7 પ્રાણીઓ ગત વસ્તી-ગણતરીમાં 982 નોંધાયા હતા.

WSON Team

આ વર્ષ વાઇલ્ડ-લાઇફ ડિવિઝન દ્વારા યોજાયેલી ગણતરીમાં 2839 નોંધાયા છે. આ વસ્તી-ગણતરીમાં નોંધપાત્ર બાબત એ છે કે જંગલ ના સફાઇ-કામદાર તરીકે જેમની ગણના થાય છે તેવા ઝરખ ની સંખ્યામાં 46નો વધારો થયો છે. આ અચાનક બે વર્ષમાં આટલા બધા ઝરખ ની સંખ્યા વધી જતાં વન્ય-પ્રાણીઓની વસ્તી ગણતરી કરવા જતા એનજીઓ ના કાર્યકરો પણ આશ્ચર્યમા મૂકાયા હતા.

WSON Team

છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના ને લીધે દરમિયાન માનવો ની અવરજવર ઓછી થઇ ગઇ હતી તેવા સંજોગોમાં વન્ય-જીવોની સંખ્યા વધી છે, તેવો તર્ક વન-વિભાગ દ્વારા અપાયો છે. આ બંને વિશાળ અભ્યારણ્યમા ગણતરી 68 વોચમેન અને 34 અન્ય સ્ટાફે મળીને કરી હતી. માત્ર ઝરખ જ નહીં શિયાળ, જંગલી બીલાડી, જંગલી ભૂંડ, સસલા, ચોસિંગા અને નીલગાય જેવા પ્રાણીઓ ની સંખ્યામાં પણ મોટો વધારો થયો હોવાનું આ વસ્તી-ગણતરીના ડેટામાં બહાર આવ્યું

- Advertisment -