HomeWild Life Newsદિલ્હી નજીક લઈ શકાશે ‘લાયન સફારી’નો આનંદ, હરિયાણા સરકાર કરી રહી છે...

દિલ્હી નજીક લઈ શકાશે ‘લાયન સફારી’નો આનંદ, હરિયાણા સરકાર કરી રહી છે તૈયારી

જો હરિયાણા સરકારની યોજના અસરકારક રહી તો દિલ્હીના લોકોએ જંગલના રાજા સિંહને જોવા માટે દૂર જવાની જરુર નહીં પડે. દિલ્હીની પાસે જ સિંહની ડણક સાંભળવા મળશે.

પર્યટનને પ્રોત્સાહન આપવા માટે હરિયાણા સરકાર NCRમાં લાયન સફારી તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. હરિયાણાના વન, પર્યાવરણ અને વન્યજીવ પ્રધાન રાવ નરબીરસિંહે અરવલીના પહાડોની તળેટીમાં લાયન સફારી બનાવવા માટેની શક્યતા ચકાસતો અહેવાલ તૈયાર કરવા જણાવ્યું છે.રાવ નરબીરસિંહે એક મુલાકાતમાં જણાવ્યું કે, ‘અમે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, તેઓ લાયન સફારી બનાવવા માટે યોગ્ય સ્થળની પસંદગી કરે. અધિકારીઓને ગુરુગ્રામ અને ફરિદાબાદ જિલ્લામાં આવા સ્થળની પસંદગી કરવા માટે જણાવવામાં આવ્યું છે.

આ જિલ્લાઓમાં અરવલ્લી તળેટીમાં લાયન સફારી માટે ખૂબ અનુકૂળ વાતાવરણ છે અને ત્યાં સિંહોને અનુકૂળ આવે તેવું હરિયાળી અને બાલુ મિશ્રિત વિસ્તાર પણ આવેલો છે. રાવ નરબીરસિંહે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ માટે એક જ જગ્યાએ લગભગ પાંચ હજાર એકર જમીનની જરુર પડશે. રાવ નરબિરસિંહે કહ્યું કે, ‘આમ કરવા પાછળનો વિચાર એવો છે કે, ગીરના જંગલની જેમ અહીં પણ એક લાયન સફારી વિકસાવવી જોઈએ. જેથી દિલ્હી આવનારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પ્રવાસન માટે વધુ આકર્ષિત કરી શકાય.

આ ઉપરાંત હરિયાણા સરકાર અહીં સિંહ માટેનું સંવર્ધન સ્થળ વિકસિત કરવા માગે છે જેથી સિંહોની સંખ્યામાં વધારો થાય’. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં એશિયાઈ સિંહોનો લુપ્ત થતી પ્રજાતીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્ષ 2010 પછીથી ગુજરાતમાં ગીર જંગલ નેશનલ પાર્કમાં સિંહની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ તેમ છતાં સિંહોની સંખ્યા માત્ર 665 છે.

- Advertisment -