Home Travelling ગુજરાતના આ વિસ્તારમાં ડુંગર, વનસ્પતિ અને સંખ્યાબંધ પક્ષીઓની પ્રજાતિઓનું નિવાસ સ્થાન

ગુજરાતના આ વિસ્તારમાં ડુંગર, વનસ્પતિ અને સંખ્યાબંધ પક્ષીઓની પ્રજાતિઓનું નિવાસ સ્થાન

0
ગુજરાતના આ વિસ્તારમાં ડુંગર, વનસ્પતિ અને સંખ્યાબંધ પક્ષીઓની પ્રજાતિઓનું નિવાસ સ્થાન
Suresh Mishra, Nature Lover And Traveller

ગુજરાતના આ વિસ્તારમાં ધનેશ્વરી માતાના ડુંગર અને સાદરા ના જંગલમાં વનસ્પતિ અને પક્ષી વિવિધતા ઘણી છે અને દીપડા,નીલગાય,શાહુડી સહિતના વન્ય જીવો પણ છે.

WSON Team

અહિંયાના ભોમિયા જશુભાઇ રાઠવા કહે છે કે ડુંગર પર અને ઢોળાવો પર રામબાવળ,ઉંભ, બિલી, વાંસ,દેવ વૃક્ષ ગણાતું કલમ,જેની લચીલી ડાળખીઓ નો ઘાસ ની ગાંસડી બાંધવામાં દોરડી જેવો લોકો ઉપયોગ કરે છે તે મોઈનો, ટીમરૂ જેવા વૃક્ષો અને વેલાઓ મોટા પ્રમાણમાં છે.

Suresh Mishra, Nature Lover And Traveller

આ વિસ્તારમાં સાગ, સાદડ, જળ જાંબુ,ખાખરો,આલેડો,બહેડો, ઉમરો, આસિતરો, કાકડ,મોદડ,લીમડો, કુસુમ, ગૂગળ અને ચારોળી જેવા સંખ્યાબંધ પ્રજાતિઓના વૃક્ષો છે.

Suresh Mishra, Nature Lover And Traveller

મહુડા હોય ત્યાં પોપટ તો હોય જ તેવી જાણકારી આપતાં વનરક્ષક જગદીશ પટેલ અને ઇકો ટુરિઝમ મંડળીના મનહરભાઈ જણાવે છે કે ચિલોત્રો,ખેરખટ્ટો, દુધરાજ,પીળક,લક્કડખોદ,ચીબરી સહિતની પક્ષી વિવિધતા પણ પંખી છબિકારો એ નોંધી છે.

Suresh Mishra, Nature Lover And Traveller

પાવાગઢ થી ઘોઘંબા ના રસ્તે મસ્ત ડુંગર પર બાબાદેવનું મંદિર છે. ચારે તરફ પથ્થર જ પથ્થર અને વચ્ચે મંદિરમાં દેવ બિરાજે છે.લોકો અહીં બાધા માનતા પૂરી કરવા ,દર્શન કરવા આવે છે. દેવની કૃપા ફળે એટલે માટી ના ઘોડા ચઢાવવા,બકરા, મરઘાં રમતા મૂકવા અને અન્ય રીતે ચઢાવાની પરંપરા છે.આ ખૂબ પવિત્ર દેવ થાનક(મંદિર) છે.

Suresh Mishra, Nature Lover And Traveller

આ વિસ્તારમાં તરગોળ અને કડા ના બે સિંચાઇ તળાવો જંગલોને પોષે છે અને પવિત્ર ઝંડ હનુમાનની જગ્યા,પ્રાચીન અને જર્જરિત શિવ મંદિરો અને પાંડવ કાલીન અવશેષો આ વિસ્તારને રસપ્રદ બનાવે છે.

Writer: Suresh Mishra, Nature lover, and Traveller

ઈડરિયા ગઢની ભવ્યતા અને ધાર્મિક દિવ્યતા નો સમન્વય થયો છે ચેલાવાડા ના ડુંગરોમાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here