HomeWildlife Specialગુજરાતના આ શહેરમાં આજે પણ બોરડીના ઝાડ પર હજારોની સંખ્યામાં લુપ્ત થતી...

ગુજરાતના આ શહેરમાં આજે પણ બોરડીના ઝાડ પર હજારોની સંખ્યામાં લુપ્ત થતી ચકલીઓ કરે છે કલબલાટ

કોંક્રિટના જંગલો અને આધુનિક વ્યવસ્થા વચ્ચે ચકલી ‘બેઘર’ થઈ ગઈ

આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી..ચી..કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલીની પ્રજાતિની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. હવેના સમયમાં જો ચકલીને બચાવવાના પ્રયાસો નહિ કરીએ તો ભાવિ પેઢીને માત્ર પાઠયપુસ્તકોમાં જોવા મળે તો નવાઈ નહિ.

Social Media

પરંતુ ગુજરાતના ભુજમાં એક અનોખુ વૃક્ષ આવેલું છે. જેના પર કેટલાક વર્ષોથી હજારોની સંખ્યામાં ચકલીઓ વસે છે. પોતાના ચીચી અવાજથી આજે પણ આસપાસના લોકોનું મનોરંજન કરે છે. કચ્છ- ભુજના વોકળા ફળિયામાં આવેલી જૂની લોહાણા મહાજનવાડી પાસેની તકેવાલી મસ્જિદ સામે આશરે 100થી 150 વર્ષ જૂનું બોરડીનું ઝાડછે, જેમાં દરરોજ 15 થી 20હજાર જેટલી ચકલીઓ સવાર સાંજ જોવા મળે છે. રાત્રીના સમયમાં તો જાણે ઝાડ પર બલ્બ લગાડવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. કચ્છ જિલ્લામાં આવું ઝાડ બીજે ક્યાંય પણ નથી કે જ્યાં આટલી સંખ્યામાં ચકલીઓ જોવા મળટી હોય.

શહેરમાં વિકાસના અનેક કામો થતાં ગયાં અને નવા નવા બાંધકામો થતાં ગયાં. જેના પરિણામે પક્ષીઓ પણ ઓછા જોવા મળી રહ્યાં છે પણ ભુજ શહેરની ભરબજારે આવેલા આ ઝાડ પર હજારોની સંખ્યામાં ચકલીઓજોઈ શકાય છે.  આશરે 100થી 150 વર્ષ જૂના આ ઝાડ પર પોતાના મધુર અવાજથી ચકલીઓ સવારસાંજ કલબલાટ કરે છે.

Social Media

આજના હરણફાળ સમયની સાથે થતા બાંધકામમાં કોઈ ખૂણા ન હોવાને લીધે ચકલીઓને માળો બાંધવામાં મુશ્કેલી રહે છે. પરિણામે વસવાટના જંગી પ્રશ્ન સામે ચકલીઓની સંખ્યા શહેરોમાં ખૂબ ઓછી જાેવા મળે છે. પણ ભુજ શહેરની ભર બજારે આવેલા આ ઝાડ પર હજારોની સંખ્યામાં ચકલીઓ જાેઈ શકાય છે.

Social Media

હાલની શહેરીકરણની પરિસ્થિતી જોતા ચકલીને બચ્ચાના ઉછેરમાં ખુબ જ વિક્ષેપ પડે છે. પાછુ કુદરતે અમને માળો બાંધવાની કુદરતી બક્ષીસથી પણ વંચિત રાખ્યા છે. જેથી, હવે દરેક માનવી પોતાના ઘરે અનુકુળતા પ્રમાણે, ઘરમાં અમારા માટે માળાની વ્યવસ્થા કરે એ લાકડાનું હોય કે પછી માટીનું પણ આ અમારી દુઃખ દર્દ ભરી અપીલ છે. એવું હવે ચકલીઓ આપણને કહી રહી છે.

- Advertisment -