HomeWild Life Newsઆ સમુદ્ર કિનારે મોટા પ્રમાણમાં મળ્યા મૃત સીલ, મોત પાછળનું આ છે...

આ સમુદ્ર કિનારે મોટા પ્રમાણમાં મળ્યા મૃત સીલ, મોત પાછળનું આ છે મોટું કારણ

નમિબીઆના કાંઠે 7000 થી વધુ સસ્તન પ્રાણીસૃષ્ટિની સીલ મૃત હાલતમાં મળી આવી છે. આટલી મોટી સંખ્યામાં સીલ માર્યા ગયા પછી વૈજ્ઞાનિકો ચિંતિત બન્યા છે. આ સીલ વોલ્વિસ ખાડી શહેર નજીક પેલિકન પોઇન્ટ કોલોનીના રેતાળ દરિયાકિનારા પરના કચરાપેટીમાં મૃત હાલતમાં મળી આવી છે.

સપ્ટેમ્બર મહિનામાં આ સસ્તન પ્રાણીઓ કરે છે પ્રજનન

‘એવો અંદાજ છે કે એકલી આ વસાહતમાં 5,000થી વધુ સંખ્યામાં સીલ રહે છે. સપ્ટેમ્બર મહિનામાં આ સસ્તન પ્રાણીઓ પ્રજનન કરે છે અને નવી સીલને જન્મ આપે છે જે તેમની સંખ્યા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ઓક્ટોબરના પહેલા બે અઠવાડિયામાં કોલોનીમાં મોટી સંખ્યામાં સીલભ્રૂણ જોવા મળ્યા

નામિબિયાઈ ડોલ્ફિન પ્રોજેક્ટના વડા ડો. ટેસ ગ્રીડલીએ જણાવ્યું હતું કે ઓક્ટોબરના પહેલા બે અઠવાડિયામાં કોલોનીમાં મોટી સંખ્યામાં સીલભ્રૂણ જોવા મળ્યા હતા. મોટા પાયે સીલના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ વૈજ્ઞાનિકોને પ્રદૂષકો અથવા બેક્ટેરિયલ ચેપથી કુપોષિત રહેવાને કારણે તેના મરણનું કારણ હોઈ શકે છે.

1994 માં 10,000 સીલના મોત અને 15 હજાર ભ્રૂણ દાટી દીધા

ગ્રીડલીએ જણાવ્યું હતું કે મૃત માદાઓમાંથી કેટલીક પાતળી દેખાતી, નબળી કૂપોષિત અને ઓછી ચરબી વાળી સીલ જોવા મળી હતી. 1994 માં 10,000 સીલ મૃત્યુ થઈ હતી અને 15,000 ભ્રૂણને એક સામૂહિક ડાર્ક ઓફમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં તેમનું પણ મોત થયું હતું.

સીલનું મોત થવા પાછળ ખોરાકનો અભાવ હોઈ શકે

નામિબીઆના મત્સ્યઉદ્યોગ અને મરીન રિસોર્સિસ મંત્રાલયના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એનેલી હૈફેને જણાવ્યું હતું કે તેમને આશંકા છે કે મોટી સંખ્યામાં સીલનું મોત થવા પાછળ ખોરાકનો અભાવ હોઈ શકે છે. પરંતુ તપાસ રિપોર્ટ સામે આવ્યા બાદ જ સત્ય બહાર આવી શકે છે.

- Advertisment -