HomeWild Life Newsવડોદરા: વિશ્વામિત્રી નદી અને તળાવોમાં વસવાટ કરતા મગરોની ગણતરી કરાઈ

વડોદરા: વિશ્વામિત્રી નદી અને તળાવોમાં વસવાટ કરતા મગરોની ગણતરી કરાઈ

માનવ વસતી અને હિંસક પ્રાણીઓ એકબીજા સાથે તાલમેલથી રહેતા હોય એવું ભાગ્યે જ જોવા કે સાંભળવા મળે છે. ગુજરાત રાજયના વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્ર્વામિત્રી નદીએ મગરોનું વસવાટ સ્થળ છે. અને આ નદિ મગરોનું ઘર પણ કહેવાય છે.

વડોદરા શહેરના રાવપુરા ખાતે આવેલી નાયબ વન વિભાગની કચેરીના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિવિધ જીવદયા સંસ્થાઓની મદદ લઇને પાંચ વર્ષે વિશ્વામિત્રી નદી અને વડોદરા શહેરના તળાવોમાં વસવાટ કરતા મગરોની ગણતરી કરવામાં આવે છે.

આ વખતે વન વિભાગ અને જીવદયા સંસ્થાઓ મળી 22 ટીમો દ્વારા સવારથી મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. શિયાળાની ઋતુમાં મગરો સન બાથ માટે નદી કિનારે અને તળાવના કિનારે આવતા હોય છે.તે સમયે ગણતરી કરતી ટીમો દ્વારા મગરોની વસ્તી ગણતરી કરવામાં આવે છે.ગત વર્ષે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે મગરોની સંખ્યામાં વધારો થવાની શક્યાતાઓ છે.

અગાઉ 5 વર્ષ પહેલાં જ્યારે ગણતરી કરવામાં આવી હતી.ત્યારે મગરોની સંખ્યા 370 હતી. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વેમાલી હાઇવેથી સિદ્ધાર્થ બંગલો, સમા બ્રિજથી વુડા સર્કલ, રાત્રી બજારથી નરહરી હોસ્પિટલ, નરહરી હોસ્પિટલથી કાલાઘોડા બ્રિજ, કાલાઘોડા બ્રિજથી અકોટા બ્રિજ, અકોટા બ્રિજથી મુજમહુડા બ્રિજ, મુજમહુડા બ્રિજથી વડસર બ્રિજ, વડસર બ્રિજથી કલાલી, અને કલાલીથી તલસટ સુધીની વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોની ગણતરી કરવામાં આવી હતી.

આ ઉપરાંત કાશી વિશ્વનાથ તળાવ,લાલબાગ તળાવ, માંજલપુર તળાવ, કલાલી તળાવ, માણેજા તળાવ,તલસટ અને રાજસ્થંભ પાસેના તળાવ,છાણી તળાવ,દુમાડ તળાવ,વેમાલી તળાવ, દેના તળાવ, હરણી, સમા, વાસણા, ભાયલી અને તાંદલજા તળાવમાં વસવાટ કરતા મગરોની ગણતરી કરવામાં આવી હતી.

- Advertisment -