અમરેલી જિલ્લાના ગીરકાંઠાના ધારી તાલુકાના સરસીયા રેન્જ વિસ્તારમાં એકી સાથે ત્રણ-ત્રણ દીપડાનાં મૃતદેહો મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે ત્યારે આ દીપડાનાં મોતના પ્રાથમિક તારણમાં આ દીપડાએ મૃત શ્વાનની મિજબાની માણી હોવાનાં કારણો ત્રણેય દીપડાના મોત થયાનું આશંકા દશાર્વાય રહી છે.
મળતી માહિતી મુજબ ત્રણ દિપડાનું ઝેરી દવાના કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન છે. બનાવને પગલે વનખાતાના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવમાં દિપડાએ ઝેરી પદાર્થથી મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મૃત કુતરાની મિજબાની આ ત્રણેય દિપડાઓએ માણ્યા બાદ મોત થયાનું જાણવા મળેલ છે. આ બનાવની જાણ વનવિભાગને થતાં તપાસનો ધમધમાટ શરૂ થવા પામ્યો છે.
અગાઉ પણ વનવિભાગની બેદરકારીના કારણે સિંહોના મોત થયા હતા આમ છતાં વનવિભાગે કોઈ સાવચેતી નહી રાખતા વધુ ત્રણ દિપડાના મોત થતાં વન્ય પ્રેમીઆેમાં ભારે રોષ જોવા મળી રહ્યાે છે. આ બનાવમાં વનવિભાગે ત્રણ દિપડાનાં મોત ઝેરી અસરથી થયાની પુષ્ટી આપી છે.