Home Wild Life News ગુજરાત: વાવાઝોડાના કહેરથી ગીરના એશિયાટીક સિંહો(Asiatic Lion)ને બચાવી સલામત સ્થળે ખસેડાયા

ગુજરાત: વાવાઝોડાના કહેરથી ગીરના એશિયાટીક સિંહો(Asiatic Lion)ને બચાવી સલામત સ્થળે ખસેડાયા

0
ગુજરાત: વાવાઝોડાના કહેરથી ગીરના એશિયાટીક સિંહો(Asiatic Lion)ને બચાવી સલામત સ્થળે ખસેડાયા
WSON Team

ગુજરાત તરફ આગળ વધી રહેલા ‘વાયુ’ વાવાઝોડાએ એની દિશામાં થોડો ફેર થતાં હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાશે નહીં. પરંતુ એની આડ અસરો દેખાવાની શરૂ થઇ ગઇ છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. આ સંજોગોમાં અમરેલી અને જૂનાગઢ પંથકમાં ભારે વરસાદથી ભારે નુકશાનની ભિતી સેવાઈ રહી છે. ત્યારે આ ગંભિર પરિસ્થિને જોતા ગુજરાતના આન બાન શાન સમા એશિયાટીક સિંહો(Asiatic Lion)ને સંભવિત વાયુ વાવાઝોડાને લઇ વેરાવળ રેન્જના અંદાજે 13 જેટલા એશિયાટીક સિંહો(Asiatic Lion)ને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે.

મળતી માહિતી મુજબ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારે સંભવિત વાયુ વાવાઝોડાને લઇ વેરાવળ રેન્જના અંગાજે 13 જેટલા એશિયાટીક સિંહો(Asiatic Lion)ને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે. વેરાવળ સહિત સમુદ્ર કિનારે અને નદી કાંઠાના વિસ્તારમાં રહેતા એશિયાટીક સિંહો(Asiatic Lion)ને સલામત ખસેડી લેવામાં આવ્યા છે. જેમા ચોરવાડથી લઇ વેરાવળ અને હીરણ નદીના કાંઠાળ વિસ્તારના એશિયાટીક સિંહો(Asiatic Lion)નો સમાવેશ થાય છે. જેમાં વડાદરા ડોડીયાના ૩, આદરીના 5 અને હીરણ નદી કાંઠે વસવાટ કરતા 5 એશિયાટીક સિંહો(Asiatic Lion)ને ખસેડાયા છે.

રાજુલા જાફરાબાદના દરિયા કાંઠે એશિયાટીક સિંહો(Asiatic Lion)સહિત વન્યપ્રાણીના લોકેશન રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. દરિયા કાંઠાની આસપાસ વસવાટ કરતા વન્ય પ્રાણીઓમાં ખાસ કરીને એશિયાટીક સિંહ(Asiatic Lion), દીપડા, નીલગાય સહિત વન્યપ્રાણીઓનો સામવેશ થાય છે. રાજુલા રેન્જ દ્વારા એશિયાટીક સિંહો(Asiatic Lion)ના લોકેશન રાખવા અને સતત વન્યપ્રાણીઓની ગતિવિધિ પર નજર રાખવા સૂચનાઓ મળી છે. વાયુ વાવાઝોડુ આવે તો એશિયાટીક સિંહો(Asiatic Lion)તણાય નહિ તેની માટે તમામ તકેદારી રાખવા વન અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here