હવે સામાન્ય દિવસોમાં 150 પરમીટ અને તહેવારોમાં 160 પરમીટ અપાશે.
દેવળીયા પરિચય ખંડમાં ખાતાની બસોમાં ઉપરાંત હવે જીપ્સી દ્વારા પણ પ્રવાસીઓને પાર્કની મુલાકાત લઇ શકશે.
ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા ગીર જંગલ ટ્રેઇલ અને દેવળીયા ગીર ખાતે એશિયાટીક લાયનને નિહાળવા આવતા પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા તેમજ સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે હેતુથી હાલની પ્રવેશ પરમીટ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
હાલમાં પ્રવાસીઓને ગીર જંગલ ટ્રેઇલ મુલકાતની પરમીટની સંખ્યામાં 16 ઓગષ્ટથી વધારો થતાં હવે પ્રવાસીઓને નીરાશ નહીં થવુ પડે, બપોરની ટ્રીપનો સમય પ્રવાસીઓને વધુ પસંદ કરતા ના હોય જે સવારનાં 9-00 કલાકથી 12-00 કલકાનો હતો તે હવે પછી સવારે 8-30 થી 11-30 કલાકનો ફેરફાર કરવામાં આવેલ છે.

ટ્રીપ સમય જોઇએ તો સવારે 6-00 થી 9-00 સુધી હવે 30 ટ્રીપનાં બદલે 50 ટ્રીપ સામાન્ય દિવસોમાં અને તહેવારનાં દિવસોમાં 50 ટ્રીપનાં બદલે 60 ટ્રીપ કરવામાં આવી છે. બીજો સવારનાં 8-30 થી 11-30 કલાક સુધી સવારે 6-00 થી 9-00 સુધી હવે 30 ટ્રીપનાં બદલે 50 ટ્રીપ સામાન્ય દિવસોમાં અને તહેવારનાં દિવસોમાં 50 ટ્રીપનાં બદલે 60 ટ્રીપ કરવામાં આવી છે.
તે જરીતે ત્રીજી ટ્રીપ બપોરનાં 3-00 થી સાંજનાં 6-00 કલાકની છે તેમાં સવારે 6-00 થી 9-00 સુધી હવે 30 ટ્રીપનાં બદલે 50 ટ્રીપ સામાન્ય દિવસોમાં અને તહેવારનાં દિવસોમાં 50 ટ્રીપનાં બદલે 60 ટ્રીપ કરવામાં આવી છે. આમ સામાન્ય દિવસોમાં 90 અને તહેરવારોમાં 150 ટ્રીપની પરમીશન હતી તેમાં વધારો કરી સામાન્ય દીવસોમાં 150 અને તહેવારોમાં 160 ટ્રીપની પરમીશન આપતા સામાન્ય પરમીટમાં 66 ટકા અને તહેવારોની પરમીટમાં 20 ટકાનો વધારો કરવામાં આવેલ છે.

આ વધારને ધ્યાને લઇને હાલનાં ટુરીઝમ ઝોનનાં 8 રૂટમાં 5 નવા રૂટનો ઉમેરો કરી કુલ 13 રૂટ બનાવવામાં આવ્યા છે. દેવળીયા ગીર પરીચય ખંડની મુલાકાતે પધારતા પ્રવાસીઓને પાર્કની મુલાકાત ખાતાની બસોમાં કરાવવામાં આવતી હતી. તે ઉપરાંત હવે પછી એક ટ્રીપમાં 10 જીપ્સી(લોખંડની જાળી કવર કરેલી) દ્વારા પણ પ્રવાસીઓને પાર્કની મુલાકાત લઇ શકશે. આ નિર્ણયથી લોકો ગીર જંગલ તેના વન્યપ્રાણીઓ અને પ્રકૃતિ નીહાળી વધુ લાભાન્વિત બની શકશે.