HomeWild Life Newsજૂનાગઢ: સક્કરબાગ ઝુમાં ઘાયલ સિંહણનું કરાયુ સફળ ઓપરેશન

જૂનાગઢ: સક્કરબાગ ઝુમાં ઘાયલ સિંહણનું કરાયુ સફળ ઓપરેશન

તબીબોની મહેનત અને સફળ ઓપરેશન બાદ સિંહણને નવજીવન મળ્યું

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહણનું સફળ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં વનવિભાગના તબીબોને સફળતા મળી હતી. થોડા સમય અગાઉ બિમાર અવસ્થામાં વનવિભાગને એક સિંહણની જાણકારી મળી હતી. જેને સારવાર માટે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવી હતી. જેનું ખૂબ જ જટિલ કહી શકાય તેવું ઓપરેશન પાર પાડવામાં વનવિભાગના તબીબોને સફળતા મળી હતી.

Social Media

મળતી માહિતી મુજબ થોડા સમય અગાઉ જૂનાગઢ વનવિભાગને બિમાર હાલતમાં એક સિંહણ મળી આવી હતી. જેને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તબીબોની દેખરેખ નીચે રાખવામાં આવી હતી. થોડા દિવસોની સારવાર બાદ સિંહણની તબિયતમાં કોઈ સુધારો નહીં જણાતા વનવિભાગના તબીબો પણ ચિંતામાં મુકાયા હતા. ત્યારબાદ સિંહણના વધુ પરીક્ષણ કરતા સિંહણના શરીરમાં લોખંડ જેવો કોઇ પદાર્થ હોવાનું વનવિભાગના અધિકારીઓને માલુમ પડતા તેઓ પણ ચોંકી ઉઠયા હતા અને તાબડતોબ સિંહણના ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો.

Social Media

કલાકોની ભારે મહેનત અને તબીબોની કુશળતાને કારણે સિંહણનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડાયું હતું. આ ઓપરેશનમાં સિંહણના જઠરમાંથી અંદાજિત ત્રણથી ચાર ઇંચ લાંબી સોય મળી આવી હતી, જેને લઇને વનવિભાગના અધિકારીઓ અને તબીબો પણ ચોંકી ઉઠયા હતા. આટલી લાંબી અને અણીદાર સોય સિંહણના જઠર સુધી કઈ રીતે પહોંચી હશે તેને લઈને વનવિભાગ પણ ચિંતિત બની રહ્યું છે. જોકે આખરે તબીબોની મહેનતને પગલે સિંહણનો જીવ બચી જવા પામ્યો હતો.

- Advertisment -