HomeWild Life Newsમોરબી: 10 રાષ્ટ્રીય પક્ષી મોરના રહસ્મય મૃતદેહો મળ્યા

મોરબી: 10 રાષ્ટ્રીય પક્ષી મોરના રહસ્મય મૃતદેહો મળ્યા

 ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ મોરના 10 મૃતદેહોને એફએસએલ રિપોર્ટ માટે મોકલ્યા

મોરબી માળીયામિંયાણા ના જુનાઘાંટીલા ગામે નવા તળાવની પાળ નીચે બાવળની જાડીમાં ફસાયેલા 10 મોર ના મૃતદેહો મળતા આ વિસ્તાર માં ચકચાર મચી જવા પામી હતી. એક મોર સાત ઢેલ અને બે બચ્ચા મળીને દસ મોરના મોત થયા હતા.

મળતી માહિતી મુજબ જુનાઘાંટીલાના નવા તળાવની બાજુમાં ગાંડા બાવળ ની જાડીમાં એક યુવકને દસ જેટલા રાષ્ટ્રીય પક્ષી મોર અને ઢેલના મૃત હાલતમાં મૃતદેહો જોઈને યુવાને સામાજીક કાર્યકર કાંતિલાલ રવજીભાઈ ચાવડાને જાણ કરી હતી અને તેમને વધુમાં ગામના સરપંચ ચંદુભાઈ લક્ષ્મણભાઈ વિડજા અને દિલીપભાઈ ઠાકોરને જાણ કરતા સરપંચ અને ગામના આગેવાનો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા.. તેમજ મામલો ગંભીર જણાતા સરપંચે તુરંત વનવિભાગ ને જાણ કરતા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા તાત્કાલિક ફોરેસ્ટ અધિકારી સહીતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી..

social media

જેમને બારીકાઈ થી નિરીક્ષણ કરતા મોરના મોત ઝેરી ખોરાક ખાવામાં આવી જતા ઝેરી અસર થી દસ રાષ્ટ્રીય પક્ષી મોર મોતને ભેટ્યા નુ પ્રાથમિક તારણ બહાર આવ્યુ હતું.. જોકે રાષ્ટ્રીયપક્ષી મોર ના મોત ઝેરી ખોરાક કે અન્ય કારણોસર મોતને ભેટયા તેનુ સાચુ કારણ એફએસએલ રિપોર્ટ બાદ જ જાણવા મળશે..

તેમજ આ વિસ્તાર માં મોટીસંખ્યામાં મોર જોવા મળે છે ત્યારે જુનાઘાંટીલા ના પાદરમાં ૧૦ જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.. ૧૦ જેટલા મોરના શંકાસ્પદ હાલતમાં મોતથી રાષ્ટ્રીયપક્ષી મોરના મોત ના પગલે ગ્રામજનો અને જીવદયાપ્રેમીઓમા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. તેમજ આ ઘટના અંગે યોગ્ય તપાસ કરી મોતનુ સાચુ કારણ બહાર લાવવા ગ્રામજનોએ ફોરેસ્ટ અધિકારીઓ ને જણાવ્યુ હતુ. હાલ તમામ દસ મૃતદેહોને ફોરેસ્ટ વિભાગે કબ્જો લઈ મોરને પી.એમ માટે ખસેડવામાં આવ્યા હતા.

 

- Advertisment -