રિલાયન્સ દ્વારા એરપોર્ટ પર વર્ષ 2018 માં ‘ધ ગીર’નું નિર્માણ કરવામાં આવ્યું હતું
ગુજરાતના સ્થાપના દિવસથી અમદાવાદ એરપોર્ટ પર તમને અદભૂત નજારો જોવા મળશે. મુસાફરોથી ભરેલા આ એરપોર્ટ પર ગીરનું શીતળ વન ઉભુ કરવામાં આવ્યુ છે. અહી પગ મૂકતા જ તમને ગીરનો અહેસાસ થશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલની બહાર ‘ધ ગીર’ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ ‘ધ ગીર’ એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. રિલાયન્સ દ્વારા એરપોર્ટ પર વર્ષ 2018 માં ‘ધ ગીર’નું નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે આ ગેલેરીને ખસેડવામાં આવી છે. ગેલેરીને ડિપાર્ચર વિસ્તારની બહાર ખસેડીને તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે, જેથી માત્ર મુસાફરો જ નહિ, પરંતુ તેમને લેવા અને મૂકવા આવતા લોકોને પણ તેનો લાભ મળી રહે. વન્યજીવ પ્રેમી, રાજ્યસભા સાંસદ અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયકેક્ટર પરિમલ નથવાણી દ્વારા અદાણી એરપોર્ટ હોલ્ડીંગના ડાયરેક્ટર જીત અદાણી અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના પ્રેસિડેન્ટ હેમંત દેસાઈની ઉપસ્થિતિમાં મે 1, 2022ના રોજ ગુજરાત દિવસના પ્રસંગે કરવામાં આવ્યું હતું.
આર.આઇ.એલ. સામાજિક વિકાસનાં કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. આ પ્રોજેક્ટ લગભગ 8000 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં સાસણ ગીરમાં જોવા મળતાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે સિંહ, ચિત્તા, બાજ, કાળિયાર, ચીત્તલ, અજગર, વગેરેની પૂર્ણ કદની આશરે 60 પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. પ્રસિદ્ધ ગીરનું જંગલ સૂકા ઘાસથી છવાયેલું છે. તેથી તેની પ્રતિકૃતિમાં પણ કૃત્રિમ સૂકા ઘાસનો ઉપયોગ કરીને ગીરના મૂળ જંગલ જેવું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ એરપોર્ટ જંગલમાં એશિયાટીક લાયન, હરણ, ચિત્તા અને પક્ષીઓનું મોડલ સ્થાપિત કરવામાં આવ્યું છે. ડિસ્પ્લેમાં ચિત્તલ અને બ્લેકબક પણ છે. ગુજરાતના ગૌરવસમા સિંહોને એરપોર્ટ પર ડિસ્પલે કરવામાં આવ્યા છે. અને જો મુલાકાતીઓ આ સિંહો પર ઇશારો કરે છે તો સિંહો ગર્જના કરે છે. ગીરના જંગલ જેવું જ કૃત્રિમ જંગલ ઉભું કરવામાં આવ્યું છે. રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીએ એરપોર્ટ પર ગીર જંગલના ખ્યાલને રજૂ કર્યો હતો જેને એરપોર્ટ ઓથોરિટીએ ચરિતાર્થ કર્યો છે.