HomeWildlife Specialસફળતા: 5 વર્ષના દ્રષ્ટિહીન એશિયાટીક સિંહને નેત્રમણી આરોપણથી મળી નવી દ્રષ્ટિ, જાણો...

સફળતા: 5 વર્ષના દ્રષ્ટિહીન એશિયાટીક સિંહને નેત્રમણી આરોપણથી મળી નવી દ્રષ્ટિ, જાણો સમગ્ર કિસ્સો

સેંકડો લોકોએ દ્રષ્ટિ ગુમાવ્યા બાદ તેમના ઓપરેશન કરાવ્યા હશે પરંતુ એશિયાટીક સિંહની દ્રષ્ટિ જતા તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યાનો કિસ્સો સામે આવ્યાની પ્રથમ ઘટના ઘટી છે.

આ એશિયાટીક સિંહને રેસ્ક્યુ કરી તપાસ કરતા તેને કઈ દેખાતું ન હોવાનું સામે આવ્યું હતું. આથી આ એશિયાટીક સિંહની નેત્રમણી ફિટ કરવા નક્કી કરવામાં આવ્યું હતું. દરમ્યાન અન્ય એક એશિયાટીક સિંહનું કુદરતી મોત થતા પી.એમ. બાદ તેની આંખ કાઢી તેનું માપ અને અન્ય વિગતો મદુરાઈ લેબોરેટરીમાં મોકલવામાં આવી હતી. ત્યાંથી તે માપની નેત્રમણી આવતા એશિયાટીક સિંહમાં આરોપણ કરવામાં આવી હતી અને દ્રષ્ટિહીન એશિયાટીક સિંહને નવી દ્રષ્ટિ મળી છે.

Social Media

ગીર જંગલના જામવાળા રેન્જ આસપાસ એક પાંચેક વર્ષનો યુવાન એશિયાટીક સિંહ રહેતો હતો. પણ હરકત કરતો નહી વનવિભાગના સ્ટાફને શંકા જતા આ એશિયાટીક સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અને સિંહની આંખોની તપાસ કરતા એશિયાટીક સિંહની આંખોમાં મોતિયો હોવાથી તે જોઈ શકતો ન હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આ સિંહને સક્કરબાગ લાવવામાં આવ્યો હતો.

એશિયાટીક સિંહની વય પાંચેક વર્ષની હતી.અને તે જોઈ ન શકવાથી શિકાર ન કરી શકે તો જંગલમા ન રહી શકે એવી સ્થિતિ થઈ ગઈ હતી.આથી આ એશિયાટીક સિંહને નેત્રમણી આરોપણ કરી નવી દ્રષ્ટિ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું ડો. રીયાઝ કડીવાર, વેટરનરી તબીબ અને તેની ટીમ દ્વારા ઓપરેશન કરવાનુ નક્કી કરવામાં આવ્યું. દ્રષ્ટિહીન બનેલા એશિયાટીક સિંહની નેત્રમણી બેસાડવાનું કામ અને તેનું માપ લેવાનું કામ કપરૂ હતું.

Social Media

નેત્રમણી મદુરાઈ બનતી હોવાનું જાણવા મળ્યું હતું.પરંતુ ત્યાં આંખનું માપ તેમજ અન્ય વિગત મોકલવી પડે તેમ હતી.આ બાબતને લઈને મૂંઝવણ ઉભી થઇ હતી.આ દરમ્યાન ગીર જંગલમાં એક એશિયાટીક સિંહનું કુદરતી રીતે મોત થયું હતું. આથી આ સિંહના પી.એમ.બાદ તેની આંખો કાઢી આંખના સર્જન તેમજ વેટરનરી તબીબોએ તેના માપ સહિતની વિગતો લઈ મદુરાઈ લેબોરેટરીમાં મોકલી હતી.

ત્યાંથી નેત્રમણી બનીને આવી જતા આંખના સર્જન અને વેટરનરી તબીબોએ સર્જરી કરી નેત્રમણી આરોપણ કરી હતી. ત્યારબાદ આ એશિયાટીક સિંહને નવી દ્રષ્ટિ મળી છે. હવે આ સિંહ આસપાસમાં હલચલ જોઈને તેને પ્રતિસાદ આપે છે. આગામી સમયમાં આ એશિયાટીક સિંહને જંગલમાં છોડી મુકવામાં આવશે.

જંગલના ખૂંખાર રાજા પણ મોતીયોનો ભોગ બનતા હોવાનું સામે આવ્યું છે અને આવા દ્રષ્ટિહીન બનેલ એશિયાટીક સિંહની સફળ સર્જરી પણ કરવામાં આવી હવે આ એશિયાટીક સિંહને થોડા જ સમયમાં ફરી તેના જંગલમાં છોડવામાં આવશે.

- Advertisment -