ગીર અભયારણ્યમાં પ્રથમ વખત સિંહના ડી.એન.એ લેવાયા છે. બાળ સિંહોની માતા નક્કી કરવા ડીએનએ લેવામાં આવ્યા છે. વિસાવદરના વીરપુર નજીક ત્રણ સિંહબાળ રેઢા મળી આવ્યા હતા. આ સ્થળ નજીક સિંહણે બાળકનો શિકાર કર્યો હતો. બાદમાં આ સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી હતી.
તો સિંહણને તેના બાળસિંહ સાથે મિલન ન કરાવાતા પ્રકૃતિ પ્રેમીઓએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી હતી. ત્યારે આ સિંહ બાળ તે જ સિંહણના બચ્ચા છે કે કેમ તે જાણવા ડીએનએ ટેસ્ટ કરાયો છે. હાલમાં બાળ સિંહોને સક્કરબાગમાં રાખવામાં આવ્યા છે. તો બાળકનો શિકાર કરનાર સિંહણને હવે પરત રેવન્યુ વિસ્તારમાં છોડી દેવાઇ છે.