HomeWild Life Newsગુજરાતનું આ પ્રાણીસંગ્રહાલય પ્રવાસીઓથી ઉભરાયું: દિવાળી વેકેશનમાં થઇ લાખોની આવક

ગુજરાતનું આ પ્રાણીસંગ્રહાલય પ્રવાસીઓથી ઉભરાયું: દિવાળી વેકેશનમાં થઇ લાખોની આવક

દિવાળીનું વેકેશન શરૂ થાય અને જૂનાગઢમાં પ્રવાસીઓ ઉમટતા હોય છે, છેલ્લા પાંચ દિવસમાં 25 હજારથી વધુ પ્રવાસીઓએ સક્કરબાગ ઝુ ની મુલાકાત લીધી છે.

દિવાળીનું વેકેશન શરૂ થાય અને જૂનાગઢમાં પ્રવાસીઓ ઉમટતા હોય છે જેથી જૂનાગઢનું સક્કરબાગ ઝુ પણ પ્રવાસીઓથી ઉભરાયું છે. છેલ્લા પાંચ દિવસમાં 28,167 થી વધુ પ્રવાસીઓએ સક્કરબાગ ઝુ ની મુલાકાત લીધી છે અને આવનારા દિવસોમાં પણ હજુ આ આંકડાઓ વધશે તે શક્યતા પણ દ્રઢ છે.

મળતી માહિતી મુજબ છેલ્લા 25 ઓક્ટોબર સુધી કુલ 28, 167 પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે અને જૂનાગઢ સક્કરબાગ ઝૂ ને આ પ્રવાસીઓ થકી 7,12,368 ની આવક થઈ છે હજુ પણ પ્રવાસીઓ નો આંકડો વધી શકે તેમ છે બહારના જિલ્લાઓમાંથી સિંહ દર્શન અને સાથે અનેક વન્યજીવોના દર્શન માટે સક્કરબાગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેથી પ્રવાસીઓ અહીં મુલાકાત લેવાનું ચૂકતા નથી. આ સાથે થોડા સમય પહેલા જ સફારી પાર્કની પણ શરૂઆત થવાથી અહીં સિંહદર્શન અચૂક થતા હોય છે. જેથી પ્રવાસીઓ સક્કરબાગ ઝુ માં સિંહ દર્શન માટે સફારી પાર્કની પણ મુલાકાત લે છે.

જૂનાગઢના સક્કરબાગ ઝૂ માં 21 ઓક્ટોબરે 3747 પ્રવાસીઓ , 22 ઓક્ટોબરે 3242 પ્રવાસીઓ , 23 ઓક્ટોબરે 3742 પ્રવાસીઓ , 24 ઓક્ટોબરે 5164 પ્રવાસીઓ અને 25 ઓક્ટોબરે 12272 પ્રવાસીઓએ આ ઝુ ની મુલાકાત લીધી હતી.હજુ પણ આવનારા દિવસોમાં વધુ પ્રવાસીઓ આવશે તો યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સક્કરબાગ ઝુ દ્વારા પણ સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે જુનાગઢ પ્રવાસન ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે ગુજરાત તો ઠીક પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીં આવી રહ્યા છે અને અહીં પ્રવાસનના વિવિધ સ્થળોએ મુલાકાત લઇ અને જૂની અને ઐતિહાસિક જૂનાગઢની વિરાસતો વિશે માહિતી મેળવી રહ્યા છે.

જૂનાગઢ બની રહયુ છે ટુરિઝમ હબ: વેકેશન ગાળવા માટેનું ઉત્તમ સ્થળ

- Advertisment -