“કુદરતની ગોલ્ડન માસ્ટરપીસ: ધ બોવર ઓફ ધ ગોલ્ડન બોવરબર્ડ”
પક્ષીઓને હવામાન, વરસાદ, ગરમી- ઠંડી અને અન્ય શિકારી પક્ષીઓથી સૌથી વધુ રક્ષણ મેળવવું પડે. વળી તેને ઇંડા પણ સાચવવા પડે. આ માટે પક્ષીઓમાં વિવિધ પ્રકારના માળા બાંધવાની કળા વિકસી છે.
કેટલાક પક્ષીઓ તે અદ્ભૂત એન્જિનિર હોય તેવા માળા બાંધે છે. સુગરીનો વોટર પ્રૂફ માળો જાણીતો છે. દરજીડો પાંદડામાં સિલાઈ કરીને માળા બનાવે છે. પરંતુ ઓસ્ટ્રેલિયાનુ બોવરબર્ડ નામનું પક્ષી તો જમીન પર બે મિનારા અને તેને જોડતા પૂલ જેવો અદ્ભૂત માળી બનાવે છે. માળામાં રહેવાની કે ઇંડા મૂકવાની જગ્યા હોતી નથી એટલે તે શા માટે માળો બાંધે છે તે પણ એક રહસ્ય છે.
માત્ર પોણો ફૂટ લંબાઈનું આ પક્ષી આસપાસમાંની સળીઓ એકઠી કરી બે મિનારા તૈયાર કરે છે. મિનારા વચ્ચે ચાર પાંચ ફૂટનું અંતર હોય છે. બંને મિનારાની ટોચને જોડતો લાકડી અને રેસાનો બનેલો પુલ બનાવે છે. બે મિનારા અને પૂલ એટલી ચિવટ અને ચોક્સાઈથી બનાવે છે કે એન્જિનિયરોને પણ આશ્ચર્ય થાય, બોવરબર્ડ માળામાં આસપાસથી રંગીન કાંકરા કે ચીજવસ્તુઓ વીણી લાવીને સુશોભન પણ કરે છે.
એશિયાટિક સિંહોના વસવાટનો વ્યાપ વધ્યો: ગુજરાતના આ જિલ્લામાં જંગલના રાજાની એન્ટ્રી?
અમદાવાદની આસપાસના જિલ્લાઓમાં જંગલના રાજાની ગર્જના સંભળાશે?
ગત્ત વર્ષે તૈયાર કરાયેલા એશિયાટીક સિંહ માટે 2047ના વિઝન ડોકયુમેન્ટમાં એવો અંદાજ હતો કે આ એશિયાટિક સિંહો 25 વર્ષમાં અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પહોંચી જશે. પરંતુ એવું લાગે છે કે, હવે 2030 સુધીમાં અમદાવાદની આસપાસના જિલ્લાઓમાં જંગલના રાજાની ગર્જના સંભળાશે. ત્રણ એશિયાટિક સિંહો જેમાં એક સિંહણ અને બે બચ્ચા એ બોટાદ જિલ્લાના છ ગામોને આવરી લેતો વિસ્તાર બનાવ્યો છે જે અમદાવાદથી લગભગ 150 કી.મી. દુર છે જે તેમની ઘરની શ્રેણી છે જયારે એક પુરુષે વેળાવદરથી લગભગ 1 કી.મી. દુર કાયમી પ્રદેશ બનાવ્યો છે. આ ચાર પ્રાણીઓ હવે અમદાવાદ જિલ્લાની સરહદોથી માત્ર 50 કી.મી. દુર છે.
એવું પ્રાણી, નવા બચ્ચાંને જન્મ આપતા પહેલાં જ બીજું બાળક તેના શરીરમાં આકાર લઈ લે છે
દુનિયામાં અજીબોગરીબ વસ્તુઓની કોઈ અછત નથી. પૃથ્વીપર એક એવું પ્રાણી પણ છે જે હંમેશા પ્રેગનેંટ રહે છે. એવું સમજી લોકે તેણે જો એક બાળકને જન્મ આપ્યો છે. તો બની કે છે તેના પેટમાં બીજું બાળક આકાર લઈ રહ્યું હોય છે.


શું તમે જાણો છો ? મોત બાદ વધુ ખતરનાક બને છે દુનિયાનું આ સૌથી મહાકાય પ્રાણી
આપણે બધા જાણીએ છીએ કે વ્હેલ એક દરિયાઈ માછલી છે અને તે વિશ્વનું સૌથી મોટું પ્રાણી છે.

સંપૂર્ણ રીતે વિકસિત વ્હેલ માછલીની લંબાઈ લગભગ 110 ફૂટ હોય છે અને તેનું વજન 180થી 200 ટન સુધી હોય છે.
જણાવી દઈએ કે જ્યારે વ્હેલ મરી જાય છે ત્યારે દરિયાનાં મોજા તેને કિનારે લાવીને છોડી દે છે. આવી સ્થિતિમાં જે લોકો જીવતી વ્હેલને જોઈ શક્યા ન હોય, તો તે તેના શબને જોવા માટે નજીક પહોંચી જાય છે, પરંતુ આ વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે કે મૃત વ્હેલની નજીક જવું જીવન માટે જોખમી હોઈ શકે છે, કારણ કે મૃત વ્હેલનું શરીર કોઈપણ સમયે વિસ્ફોટ કરી શકે છે. વિસ્ફોટને કારણે, તેમા બ્લાસ્ટ થાય છે, જેના કારણે તે વ્હેલનાં મૃત્યુ પછી મનુષ્યો માટે મોટો ખતરો બની જાય છે. મૃત વ્હેલનું શબ શા માટે વિસ્ફોટ કરે છે શું તમે જાણી છો?

જાણો, શા માટે ઘણા પ્રાણીઓની આંખો અંધારામાં ચમકે છે? કારણ છે ખાસ…
પ્રાણીઓની આંખો મનુષ્યની આંખોથી તદ્દન અલગ હોય છે. કુદરતે તેમની આંખો એવી રીતે બનાવી છે કે તેઓ અંધારામાં કે ઓછા પ્રકાશમાં પણ આરામથી જોઈ શકે છે.


પ્રાણીઓને રાત્રે જોવાની જરૂર છે. જેથી તેઓ કાં તો શિકાર કરી શકે અથવા તેમના શિકારીઓથી બચી શકે.
પ્રાણીઓની આંખો મનુષ્યો કરતાં જુદી હોય છે.

