“દેશવાસીઓ હું તમને એક કામ સોંપી રહ્યો છું” ચિત્તાના આ અભિયાનનું નામ શું રાખવું જોઈએ? : PM

‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઘણા લોકોએ સવાલ પૂછ્યા છે કે તેમને ચિત્તાને જોવાની તક ક્યારે મળશે. “ચિત્તાઓ માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તે જોશે કે અહીંના વાતાવરણમાં ચિત્તા કેટલા પ્રમાણમાં ભળી શકે છે. ત્યારબાદ જ સામાન્ય લોકોને ચિત્તાને જોવાની તક મળશે. પીએમએ નાગરિકોને અપીલ કરી:
https://twitter.com/PMOIndia
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું તમને બધાને કંઈક કામ સોંપી રહ્યો છું, આ માટે MYGOVના એક પ્લેટફોર્મ પર એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે, જેમાં હું લોકોને કેટલીક વાતો શેર કરવાનો આગ્રહ કરું છું. પીએમે લોકોને પૂછ્યું કે ચિત્તા વિશે આપણે જે અભિયાન ચલાવી રહ્યા છીએ, આખરે તે અભિયાનનું નામ શું હોવું જોઈએ? “જો આ નામકરણ પરંપરાગત હોય તો તે મહાન રહેશે. કારણ કે, આપણા સમાજ અને સંસ્કૃતિ, પરંપરા અને વારસા સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ આપણને સરળતાથી તેની તરફ આકર્ષિત કરી લે છે.

ચિત્તાઓનું નામ શું રાખવામાં આવે ?:

Social Media

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ચિત્તાના નામકરણ અંગે પણ સવાલ કર્યા. મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, શું આપણે આ બધા ચિત્તાના નામકરણ વિશે વિચારી શકીએ કે દરેક ચિત્તાને ક્યાં નામથી બોલાવી શકીએ છીએ? તેમણે કહ્યું, “હું તમને બધાને અપીલ કરું છું કે તમે આ સ્પર્ધામાં જરૂર ભાગ લો, કોણ જાણે તમને ઇનામના રૂપમાં ચિત્તાને જોવાની પ્રથમ તક મળી જાય.

ચિત્તા વિષે ઘણા પ્રશ્નો મળ્યા: વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “મને ઘણા લોકોના પત્રો મળ્યા છે. આ પત્રો દેશભરના છે. આવામાં ભારતમાં ચિત્તાના આગમન અંગે લોકોએ ખુશી વ્યક્ત કરી છે. તે ભારતનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.

એશિયાટીક સિંહોના અકસ્માત ક્યારે અટકશે ? એક બાદ એક થઈ રહ્યા છે એશિયાટીક સિંહના મોત

અમરેલી ચલાલા વચ્ચે એશિયાટીક સિંહ બાળ ટ્રેનની અડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું. જેને લઈને સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જુનાગઢ અમરેલી પેસેન્જર ટ્રેનની અડફેટે એશિયાટીક સિંહ આવી જતા નિપજ્યું હતું. જેને લઈને વન્યજીવ પ્રેમીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. અમરેલી જિલ્લામાં સિંહોના ટ્રેનમાં થતા મૃત્યુને લઈને મામલો હવે વધુ આગળ વધ્યો છે. આ પહેલા સાવરકુંડલા અને પીપાવાવ નજીક અકસ્માતો થતા હતા, પરંતુ હવે અમરેલી નજીક પણ અકસ્માત થયો છે. ત્યારે સિંહની સુરક્ષા પર સવાલો ઉભા કરી રહ્યા છે.

અમરેલીનો રેલમાર્ગ સિંહ ગોજારો:

રાત્રિના સમયે જુનાગઢ અમરેલી મીટર ગેઈજ ટ્રેનની અડફેટે ચલાલા અમરેલી વચ્ચે ગાવડકા ગામ નજીક ત્રણ માસના સિંહ બાળનુ અકસ્માતે મોત થયું છે. જેને લઈને એશિયાટીક સિંહ પ્રેમીઓમાં ભારે નિરાશા સાથે રોષ જોવા મળી રહ્યો છે. પાછળના કેટલાક વર્ષોના ઇતિહાસ પર નજર કરીએ તો જિલ્લાનો રેલવે માર્ગ સિંહો માટે ગોજારો બની રહ્યો છે. અગાઉ અમરેલી જિલ્લાના પીપાવાવ અને સાવરકુંડલા નજીક અકસ્માતોની ઘટના ઘટી હતી. જેમાં અત્યાર સુધીમાં 15 કરતાં વધુ સિંહના મોત થયા છે. તો કેટલાક હતભાગી સિંહો અકસ્માતમાં ઇજાગ્રસ્ત પણ થયા છે. ત્યારે આ એશિયાટીક સિંહ બાળ મૃત્યુ નિપજ્યું છે. જ્યારે સદ્નસીબે અન્ય ત્રણ સિંહ બાળનો ચમત્કારિક રીતે બચાવ થયો છે.

માલગાડી બાદ પેસેન્જર ટ્રેન લીધો સિંહનો ભોગ:

અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી રાજુલા વચ્ચે પીપાવાવ પોર્ટ પર ઔદ્યોગિક એકમોના માલની હેરાફેરી માલ ગાડીઓ મારફતે થઈ રહી છે. જેમાં પણ અનેક વખત એશિયાટીક સિંહોના મૃત્યુ નીપજ્યા છે, ત્યારે પીપાવાવથી માલ લઈને પસાર થતી તમામ માલગાડી ટ્રેનને ફરજિયાત પણે તમામ પ્રકારની તકેદારી અને સાવચેતી રાખવાની સાથે માત્ર 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવાનો આદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે જ્યારે ટ્રેન પસાર થતી હોય ત્યારે એન્જિનના ચાલકે ખૂબ ચોકસાઈ પૂર્વક ટ્રેનને હંકારવી. તેવો આદેશ રેલવે વિભાગ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત રીતે મળેલી બેઠકમાં કરવામાં આવ્યો હતો, ત્યારે હવે પેસેન્જર ટ્રેનની ઝડપે એશિયાટીક સિંહ બાળનું મૃત્યુ થતા મામલો નવી ચર્ચા ને જન્મ આપી રહ્યો છે.

શિયાળા દરમિયાન અકસ્માતની ઘટનાઓ:

આ સમયગાળા દરમિયાન સિંહ ખાસ કરીને રાત્રિનો સમયે રેલવે ટ્રેક પર આરામ ફરમાવતા હોય છે તેવું સામાન્ય પણ જોવા મળ્યું છે. આવી પરિસ્થિતિમાં એશિયાટીક સિંહ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. લીલીયા થી સાવરકુંડલા અને પીપાવાવ પોર્ટ પર જતી માલ ગાડીઓ આ ટ્રેક પરથી પસાર થાય છે ત્યારે સમય રહેતા એશિયાટીક સિંહો રેલવે માર્ગ પરથી જાતે ખસી જાય તો તે અકસ્માતથી બચી શકે છે. પરંતુ કેટલાક સિંહ ટ્રેનના આપવાના સમયે માર્ગ પર બેઠા હોય છે, ત્યારે ડ્રાઇવરની નિષ્કાળજી અને તેને આપવામાં આવેલા દિશાનિર્દેશોનું પૂરતું પાલન નહીં થતા એશિયાટીક સિંહ અકસ્માતનો ભોગ બની રહ્યા છે, રેલ્વે ટ્રેકની ફરતે ફેન્સીંગ બનાવવાની દિશામાં પણ પાછલા ઘણા વર્ષોથી વાત ચાલી રહી છે, કેટલાક નિર્ધારિત વિસ્તારોમાં આ પ્રકારની ફેન્સીંગ થયેલી છે. પરંતુ હજુ સુધી અકસ્માતોને નિવારવા માટે કાયમી નિરાકરણ થયું નથી.

ચિત્તાને મધ્યપ્રદેશના નવા ઘર કુનો નેશનલ પાર્કમાં છોડાયા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાને મધ્યપ્રદેશમાં તેમના નવા ઘર કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા.

Social Media
આજે ચિત્તાઓ નેશનલ પાર્કમાં છોડ્યા બાદ PM મોદીએ નામીબિયા દેશનો આભાર માણ્યો હતો. આ સાથે તેમેન જણાવ્યું હતું કે, હું આ ઐતિહાસિક અવસરે દેશવાસીઓને અભિનંદન પાઠવું છું અને મિત્ર દેશ નામીબિયાનો આભાર માનુ છુ, જેમની મદદથી વર્ષો પછી ભારતની ભૂમિમાં ચિત્તા પરત આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, 1947 જ્યારે દેશમાં માત્ર 3 જ ચિત્તા બચ્યા હતા, ત્યારે પણ તેમનો શિકાર કરવામાં આવ્યો, ચિત્તાઑના પુનર્વાસ માટે દાયકાઓ સુધી કોઈ પ્રયાસ ન થયા.
Social Media
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ચિત્તાઓને જોવા માટે દેશવાસીઓએ થોડી ધીરજ રાખવી પડશે, ચિત્તા હજુ મહેમાન છે અને આ જગ્યાથી અજાણ છે, તે ભારતને પોતાનું ઘર બનાવે તેની રાહ જોવી પડશે. આજે આ ચિત્તા મહેમાન બનીને આવ્યા છે, કૂનો નેશનલ પાર્કને તેઓ પોતાનું ઘર બનાવી શકે એ માટે આપણે પણ તેઓને સમય આપવો પડશે.
Social Media
PM મોદીએ ઉમેર્યું હતું કે, આજે ગુજરાત એશિયાટીક સિંહ માટે ખૂબ મોટું ક્ષેત્ર બની ગયું છે, તેની પાછળ દાયકાઓની મહેનત છે. એક સમયે આસામમાં એકશિંગી ગેંડાની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ હતી પણ હવે વધી રહી છે અને ટાઈગરની સંખ્યા ડબલ કરવાનો લક્ષ્ય પણ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મધ્ય પ્રદેશમાં તેમના નવા ઘર કુનો નેશનલ પાર્કમાં છોડ્યા.

70 વર્ષ બાદ નામિબિયાના ચિત્તાએ કર્યો ભારતની ધરતી પર પ્રવેશ

મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં નવા મહેમાન આફ્રિકન ચિત્તાઓ આવવાની રાહ પૂરી થઈ ગઈ છે, હવે વિદેશી મહેમાનો MPની ધરતી પર ઉતર્યા છે.

70 વર્ષ બાદ આફ્રિકન ચિત્તાઓએ ભારતની ધરતી પર પગ મૂક્યો, તમને જણાવી દઈએ કે, આ વિદેશી મહેમાનોના સ્વાગત માટે વડાપ્રધાન મોદી પોતે આજે શ્યોપુરના કુનો નેશનલ પાર્ક પહોંચશે. ચિતાની સાથે સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે અડધા ડઝનથી વધુ પ્રધાનો પણ ઉપસ્થિત રહેશે. આખરે, ચિત્તાઓને દેશમાં લાવવાની 70 વર્ષની રાહનો અંત આવ્યો, આફ્રિકન ચિત્તાઓ વિશેષ વિમાન દ્વારા નામિબિયા છોડ્યા બાદ દેશની ધરતી પર ઉતર્યા છે. ગ્વાલિયરના મહારાજપુરા એરવેઝ પર ચિત્તાઓને લઈ જતું વિમાન આવી ગયું છે, હવે ચિત્તાઓને પ્લેનમાંથી હેલિકોપ્ટરમાં ખસેડવામાં આવી રહ્યા છે અને અડધા કલાક પછી આ ચિત્તાઓ કુનો અભયારણ્ય જવા રવાના થશે. કુનો અભયારણ્ય છેલ્લા ઘણા સમયથી તેમની રાહ જોઈ રહ્યું હતું, હવે સમગ્ર રાજ્ય ચિતાના આગમનની ખુશીમાં ઉજવણીમાં ડૂબી ગયું છે. ચિત્તા લાવવાનું આ વિશેષ વિમાન તેના સમય પ્રમાણે દોઢ કલાક મોડું આવ્યું છે.

નવા મહેમાનો ગ્વાલિયરથી કુનો નેશનલ પાર્ક જશે:

તમને જણાવી દઈએ કે, 16 સપ્ટેમ્બરે આફ્રિકાના નામિબિયાથી 8 ચિત્તાઓને ગ્વાલિયર મોકલવામાં આવ્યા હતા, જે આજે  તા, 17 સપ્ટેમ્બરે સવારે લગભગ 8 વાગ્યા સુધીમાં ગ્વાલિયર એરપોર્ટ પર પહોંચ્યા છે. અહીંથી તેઓને મધ્યપ્રદેશના કુનો પાલપુર નેશનલ પાર્કમાં (Kuno Palpur National Park in Madhya Pradesh) લઈ જવામાં આવશે, જેમાં 5 માદા અને 3 નર ચિત્તાનો (African 8 leopards) સમાવેશ થાય છે. આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાની ઉંમર લગભગ 4 થી 6 વર્ષ જણાવવામાં આવી રહી છે.

PM મોદી ચિતાઓના સ્વાગત માટે પહોંચશે:

70 વર્ષ બાદ આફ્રિકન ચિત્તાઓએ ભારતની ધરતીમાં પગ મૂક્યો છે, તમને જણાવી દઈએ કે, PM પોતે આ વિદેશી મહેમાનોના સ્વાગત માટે શ્યોપુરના કુનો નેશનલ પાર્ક પહોંચશે. ચિતાઓના આગમન બાદ હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્વાલિયર એરવેઝ પર આવવાના છે, જ્યાંથી તેઓ કુનો અભયારણ્ય જવા રવાના થશે. PM મોદી સવારે 9:40 વાગ્યે એરવેઝ પર (PM Modi will arrive to welcome the cheetahs) પહોંચશે અને 9:45 વાગ્યે કુનો અભયારણ્ય માટે રવાના થશે, એરવેઝની અંદર જિલ્લા પ્રશાસનના અધિકારીઓની સાથે ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રા પણ તેમનું સ્વાગત કરવા પહોંચ્યા છે.

ચિત્તાનું આગમન: જાણો, નામીબિયાના ચિત્તાને કુનો અભયારણ્યમાં શા માટે રાખવામા આવશે

નામીબિયાથી આઠ ચિત્તાઓને લઈને એક વિશેષ વિમાન ગ્વાલીયર પહોંચ્યું છે. અહીંથી તેમને મધ્યપ્રદેશ કુનો પાલપુર નેશનલ પાર્કમાં લઈ જવામાં આવશે, જે 748 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. આ ચિત્તાઓને અહીં રાખવાનું સૌથી મોટું કારણ એ છે કે તેની આસપાસ કોઈ વસાહત નથી. આ જંગલ વિસ્તાર છત્તીસગઢના કોરિયાના સાલ જંગલોની ખૂબ નજીક છે. આ જંગલોમાં, એશિયન મૂળના ચિત્તાઓ છેલ્લીવાર લગભગ 70 વર્ષ પહેલાં જોવા મળ્યા હતા. વર્ષ 2010 અને 2012 વચ્ચે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં દસ સ્થળોનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે બાદ બહાર આવ્યું કે કુનો અભયારણ્ય ચિત્તા રાખવા માટે સૌથી યોગ્ય સ્થળ છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા (WTI) એ અન્ય પરિબળોની સાથે આબોહવા અને વસ્તીને ધ્યાનમાં રાખીને આ સર્વે હાથ ધર્યો હતો અને કુનોને સૌથી યોગ્ય સ્થળ તરીકે જાહેર કર્યું હતું. જો કે ચિત્તાની મનુષ્યો સાથે ઘર્ષણની સંભાવના ઓછી હોય છે, તેઓ મનુષ્યોનો શિકાર કરતા નથી. તેઓ મોટા પ્રાણીઓ પર પણ હુમલો કરતા નથી. ઉચ્ચ વસ્તી ગીચતા અને ખુલ્લા ઘાસના મેદાનો ભારતમાં પ્રાણીઓ માટે ખતરો છે. કુનો કદાચ દેશની કેટલીક વન્યપ્રાણી સાઇટ્સમાંની એક છે, જ્યાંથી વર્ષો પહેલા લગભગ 24 ગામો અને તેમના પાળેલા પ્રાણીઓને પાર્કની અંદરથી સંપૂર્ણપણે હાંકી કાઢવામાં આવ્યા હતા.
સરકારની યોજના અનુસાર કુનોને વાઘ, સિંહ, દિપડા અને ચિત્તા માટે સંભવિત રહેઠાણ તરીકે ગણવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતમાં સિંહોની વસ્તી વધુ છે. જંગલમાં દીપડાઓની નોંધપાત્ર વસ્તી છે. 100 ચોરસ કિલોમીટરમાં લગભગ નવ દીપડા છે. સરકારી આંકડાઓ અનુસાર, રાષ્ટ્રીય ઉદ્યાનમાં હાલમાં 21 ચિત્તાઓ રહી શકે છે. જો જરૂરી પ્રયાસો કરવામાં આવે અને શિકારનો આધાર જાળવવામાં આવે તો આ સંખ્યા 36ની આસપાસ જઈ શકે છે.
નામિબિયાથી આવતા ચિત્તાઓમાં 5 માદા અને 3 નર છે. આ ચિતાઓ ખાસ જમ્બો જેટ દ્વારા સવારે 6 વાગ્યે ગ્વાલિયર પહોંયાં હતા.  જે બાદ વાયુસેનાના હેલિકોપ્ટર તેમને કુનો નેશનલ પાર્કમાં લાવશે. આ ચિત્તાઓને શરૂઆતમાં ખાસ બિડાણમાં રાખવાની હોય છે. તેમને થોડા સમય માટે આ એન્ક્લોઝરમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવશે, ત્યારબાદ તેમને ખુલ્લા જંગલમાં છોડી દેવામાં આવશે. પીએમ મોદી પિંજરાની લીવર ખેંચીને આ ચિત્તાઓને આ એન્ક્લોઝરમાં છોડાવવા જઈ રહ્યા છે. ચિત્તાઓને મુક્ત કર્યા બાદ પીએમ મોદી અહીં એક સંવાદમાં ભાગ લેશે.