જાણો, એક એવા ભારતીય કોર્સર પક્ષી વિશે જેનું ઈંડુ દેખાય છે પથ્થર જેવું

રાજસ્થાનના જેસલમેર જિલ્લાના દેગરાઈ ઓરાનમાં દક્ષિણ અને પૂર્વ દિશામાંથી ઉડતા ભારતીય કોર્સર પક્ષીઓ જોવા મળ્યા છે. આ પક્ષીઓનો માળો ખડકાળ સપાટી પર કોઈપણ ઘાસ વગર બનાવવામાં આવે છે. તેના ઈંડાનો રંગ જેસલમેરના ખડકાળ સ્થળો જેવો જ છે, ખાસ કરીને ગોળાકાર પથ્થરો, જેને સ્થાનિક બોલીમાં ગાંગચિયા અને સત્તાવાર ભાષામાં પી કાંકરી કહેવામાં આવે છે, તેથી તે તેના પર સુરક્ષિત છે.
મળતી માહિતી મુજબ વન્યજીવ પ્રેમી સુમેરસિંહ ભાટી સાવતાએ જણાવ્યું કે ચોમાસા પહેલા ઘાસના મેદાનો અને નદી કિનારે ખુલ્લા મેદાનોમાં રહેલું આ પક્ષી દક્ષિણ અને પૂર્વ દિશાઓથી જેસલમેર આવે છે અને પ્રજનન કરે છે. તે તેમને મોટું કરે છે અને ચોમાસું ગયા પછી, તે નવા જન્મેલા સભ્યો સાથે દક્ષિણ અને પૂર્વ તરફ ઉડે છે. ભાટીએ જણાવ્યું હતું કે દક્ષિણ ભારતના પક્ષી અને પર્યાવરણ નિષ્ણાતોના મતે આ પક્ષી ઝડપથી ઘટી રહ્યું છે અને દક્ષિણ ભારતમાં જ્યાં તે એક સમયે મોટી સંખ્યામાં હાજર હતો ત્યાં હવે તેને જોવાનું મુશ્કેલ બની રહ્યું છે.
આનું કારણ એ છે કે મોટા ભાગના ઘાસના મેદાનો ખેતીની જમીન બની ગયા છે, નદીના મેદાનો ડેમના ડૂબી ગયેલા વિસ્તારો બની ગયા છે, કાંઠા પર કાંકરીનું ખાણકામ ચાલુ છે જે ડૂબ વિસ્તારમાં નથી. ગામડાઓ અને શહેરોની આસપાસના ખુલ્લા મેદાનો લગભગ ગાયબ થઈ ગયા છે.
જો જોવામાં આવે તો, જેસલમેરમાં, પથ્થરના મેદાનો અને ખડકાળ મગરના વિસ્તારોમાં પણ તેમના સંવર્ધન સ્થાનો સુરક્ષિત નથી. આ ખુલ્લી જગ્યાઓમાં વાહન ચલાવવું એ સામાન્ય બાબત બની ગઈ છે. ઘણા ગામડાઓમાં, જ્યાં સપાટી પરના પથ્થર બરાબર હોય છે, તે ગામડાઓમાં ઘરો બાંધવા માટે મૂંગિયાના રૂપમાં પણ એકત્રિત કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે આ સુરક્ષિત કુદરતી ઘરો નાશ પામી રહ્યા છે, આવા અનેક સ્થળો ખાસ કરીને સાંકરા, સનાવડા, રસલા, સાવતા, રાજગઢ, ઘેલાણા, મહેરેરી આસપાસના ગામો તરફનો વિસ્તાર પણ સોલાર પાર્કમાં જવાને કારણે નાશ પામ્યો છે.
તેમના મુખ્ય સંવર્ધન ક્ષેત્રોમાંનું એક છે પારેવર, ખિંયા, કબીર બસ્તીના ગામોની આસપાસ સફેદ કાંકરીના ઘાસના મેદાનોનો વિસ્તાર પણ કાંકરી ખનન પ્રવૃત્તિઓ દ્વારા નાશ થવા લાગ્યો છે. ભાટીએ કહ્યું કે જેસલમેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વૈજ્ઞાનિક પર્યાવરણીય અભિગમ અને સંશોધન વિના વિકાસના આંધીએ આ સુંદર પક્ષીની હાલત ગોદાવન જેવી ન કરવી જોઈએ.

ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે ઝૂમાં નાનાં પ્રાણીઓને સુરક્ષિત રાખવા કરાઈ ખાસ વ્યવસ્થા

વડોદરા શહેરમાં ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે કમાટીબાગઝૂમાં નાનાં પ્રાણીઓને સુરક્ષિત રાખવા માટે પાંજરા અને એન્કલોઝરમાં પ્લેટફોર્મ ઊંચા કરવામાં આવ્યાં છે. આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી છે. ઐતિહાસિક પ્રાણી સંગ્રહાલયમાં 1100 જેટલા પ્રાણીઓ-પક્ષીઓ છે. પૂરની પરિસ્થિતિ કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં રહેતા પ્રાણીઓને નુકસાન ન પહોંચે તે માટેની વ્યવસ્થા કરાઈ છે. કમાટીબાગ સંગ્રહાલયમાં નાના પ્રાણીઓ જેવા કે જમીની કાચબા, સસલા અને શાહુડીના પાંજરા અને એન્ગ્લોઝરમાં પ્લેટફોર્મ ઉંચા કરવામાં આવ્યા છે. સદનસીબે હાલ કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ નથી. ઝુ માં ખાસ સ્ટેડબાય પર પીંજરાઓ રાખવામાં આવ્યા છે. વરસાદને કારણે પુરવઠો ન મળવાની સ્થિતિમાં તેમની પાસે પ્રાણીઓ માટે પુરતો ખોરાકનો જથ્થો સંગ્રહકરી દેવામાં આવ્યોછે. કમાટીબાગ ઝૂ કયુરેટર ડો. પ્રત્યુષ પાટણકરે જણાવ્યું કે, “અમારી પાસે પ્રાણીઓ માટે પહેલેથી જ એક એક્શન પ્લાન છે અને જમીન કાચબાને અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. જો જરૂર પડે તો સસલા અને શાહુડીઓને પણ શિફ્ટ કરવાના છીએ. જૂના પ્રાણી સંગ્રહાલયની અંદર ઊંચા ઊંચા પ્લેટફોર્મ છે અને નવા પાંજરામાં બનાવવામાં આવ્યા છે. કટોકટીના સમયે પ્રાણીઓ સ્થળાંતર કરી શકે છે. કમાટીબાગ ઝૂ કયુરેટરના જણાવ્યા મુજબઝૂમાં રહેતા પ્રાણીઓ માટે અગાઉથી આયોજન કરીનેપ્રાણીઓ પક્ષીઓ માટે ખોરાકની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. અમે દવાઓ અને એન્ટિબાયોટિક્સનો સંગ્રહ કર્યો છે અને પશુ ચિકિત્સક સાથેના વિસ્તારોને પણ સેનિટાઈઝ કર્યા છે. પૂરના કિસ્સામાં ઝડપથી પાણી છોડવા માટે અમે ડ્રેનેજની સફાઈ સમયાંતરે કરાવી લઈએ છીએ. અમારી પાસે ઇમરજન્સી ટીમ પણ છે અને જો ભારે વરસાદ દરમિયાન કોઈ ઈમરજન્સી ઉભી થાય તો અમે આ વ્યવસ્થા માટે તરત જ તૈયાર હોય છે. હાલમાં એવી કોઈ પરિસ્થિતિ ઉભી થઇ નથી.

ગીરના એશિયાટિક સિંહોની ભીતરની દુનિયાનો પરિચય: 12 શ્રેણીની ‘ધ પ્રાઇડ કિંગડમ’ જોઈને થશે ગર્વ

વન્યપ્રેમી તેમજ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ 12 એપિસોડની એક ખાસ શ્રેણી ધ પ્રાઇડ કિંગડમનું નિર્માણ કર્યું

ભારતની શાન ગણાતા અને ગુજરાતના ગિરમાં આવેલા એશિયાટિક સિંહોના એકમાત્ર વસવાટની ભીતરની અકથિત કહાનીઓનો પરિચય કરાવવા માટે વન્યજીવસૃષ્ટિના ચાહક તથા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ 12 એપિસોડની એક ખાસ શ્રેણી ધ પ્રાઇડ કિંગડમનું નિર્માણ કર્યું છે.  કેટલાંક અઠવાડિયાના સમયગાળામાં ગિરના જંગલમાં ફિલ્માવવામાં આવેલી શ્રેણી આ જાજરમાન પ્રાણીના અસંખ્ય મૂડને સુંદર રીતે કેમેરામાં કંડારે છે. આ શ્રેણી માટે પરિમલ નથવાણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારની પહેલ પ્રોજેક્ટ લાયનમાંથી પ્રેરણા મળી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ગિરના સિંહોના સંરક્ષણ અને સંવર્ધનના અવિરત પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત હવે તેઓ વડાપ્રધાન તરીકે ગિરના સિંહો પ્રત્યેના તેમના અનુરાગને વધુ વેગવંત બનાવવા માટે જુસ્સાપૂર્વક પ્રતિબદ્ધ છે. શ્રેણીને આ રીતે પ્રથમ વખત ફિલ્માવવામાં આવી ગિરમાં સિંહોના જીવનમાં ડોકિયું કરાવતી આ અદભૂત શ્રેણીને આ રીતે પ્રથમ વખત ફિલ્માવવામાં આવી છે. આ શ્રેણીની અત્યંત રસપ્રદ બાબત એ છે કે કહાનીના નાયક એવા જોડિયા સિંહ ભાઈઓ ભૂરિયા બંધુ કેવી રીતે તેમના પ્રદેશ પર કબજો મેળવવા માટેની મથામણ આદરે છે. આ શ્રેણીનો એક એપિસોડ ચિત્તા અને અન્ય પ્રાણીઓમાં સિંહના વ્યાપ્ત ભયને પણ કેમેરામાં કંડારે છે અને તેમના આ ભાવ દર્શાવે છે કે સિંહ શા માટે જંગલનો રાજા કહેવાય છે. સિંહોનું વર્તન અને મનુષ્યો સાથેનું તેમનું સહનજીવન કોઈપણ વન્યજીવસૃષ્ટિ અથવા જંગલના ઈતિહાસમાં એક અસામાન્ય ઘટના છે અને તેનું તાદ્રશ્ય નિરુપણ આ શ્રેણીમાં કરવામાં આવ્યું છે. લાયન હોસ્પિટલ સુવિધાઓ જોઈ દંગ રહી જશો આ શ્રેણીમાં સિંહણ કેવી રીતે નાનાં બચ્ચાઓને ઉછેરે છે અને ગિરની રાણી તેમને શિકાર કરવા માટે કેવી રીતે તાલીમ આપે છે તે પણ બતાવવામાં આવ્યું છે. એટલું જ નહીં આ શ્રેણી એ પણ દર્શાવે છે કે કેવી રીતે સિંહણ તેના બચ્ચાને બચાવવા માટે તેના જીવનને જોખમમાં મૂકી આદર્શ માતા અને રોલ મોડેલનું કામ કરે છે. આ શ્રેણીમાં બેજોડ “લાયન હોસ્પિટલ” ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે, આ હોસ્પિટલ જાજરમાન પ્રાણીની સંભાળ માટે વિકસાવવામાં આવેલી અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે. પરિમલ નથવાણીએ આ ડોક્યૂમેન્ટરી વિશે શું કહ્યું? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) તથા રાજ્યસભાના સાંસદ અને વન્યજીવસૃષ્ટિના ચાહક-સંરક્ષક-સમર્થક પરિમલ નથવાણીએ આ ડોક્યૂમેન્ટરી વિશે જણાવ્યું હતું કે, “હું 35 વર્ષ કરતાં વધુ સમયથી નિયમિત રીતે ગિરની મુલાકાત લઈ રહ્યો છું. જે બાબત મને સૌથી વધુ આકર્ષે છે તે એશિયાટિક સાવજોનો શાહી સ્વભાવ. ગુજરાતનું ગિર વિશ્વભરમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ ગિરની મુલાકાતે આવે છે તેમ છતાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હજુ પણ તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. આ ડોક્યુમેન્ટરીનો ઉદ્દેશ્ય ગિરમાં એશિયાટિક સિંહોની અકથિત કહાનીઓને દુનિયા સમક્ષ લાવવાનો છે.”

ડાલામથ્થાના ઈતિહાસ જાણવા જેવો પરિમલ નથવાણીએ પ્રકૃતિ અને વન્યજીવનની અજાયબીઓ શોધવાનો પ્રયાસ કર્યો છે અને આ શ્રેણી બતાવે છે કે કેવી રીતે ગિરનું જંગલ સિંહો માટે આદર્શ નિવાસસ્થાન છે. દર્શકોને આ વિશેષ એપિસોડમાં ડાલામથ્થાના ઈતિહાસને જાણવાનો આનંદ આવશે, અને તેના પરથી ખ્યાલ આવશે કે આપણી પૌરાણિક કથાઓ, સંસ્કૃતિ અને અસંખ્ય ભાષાઓમાં સિંહો આટલા આદરણીય કેમ છે. પરિમલ નથવાણીએ 35 વર્ષ પહેલા કોઈપણ સહાય વિના તેમનું મિશન શરૂ કર્યું હતું અને સતત પોતે કાર્યરત રહેવા ઉપરાંત સ્થાનિકોને ગિરના જંગલ અને તેના ગૌરવ એવા “સિંહો”ના સંવર્ધનને બહેતર બનાવવા માટે એક ભગિરથ પ્રયાસ આરંભવા સતત સમજાવતા રહ્યા છે. ત્યારથી જ તેઓ વન અધિકારીઓ, ટ્રેકર, માલધારીઓ અને ગિર વિસ્તારના સ્થાનિક લોકોની મદદથી સિંહોના રક્ષણ માટે વિવિધ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે.

ભવિષ્યનો શું પ્લાન? ગુજરાતના ઉમદા અને સામૂહિક પ્રયાસોનું જ પરિણામ છે કે આજે ગિર નેશનલ પાર્ક, ગિર અભયારણ્ય અને બૃહદ ગિરથી આગળ વધીને સિંહોનું ‘સામ્રાજ્ય’ રેવન્યુ વિસ્તાર સુધી ફેલાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પહેલેથી જ પ્રોજેક્ટ લાયન માટે રૂ. 1000 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે અને ડિસેમ્બર 2022 સુધીમાં તેની ફાળવણી કરવામાં આવશે. મે 2022માં ગિર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જનો કાર્યભાર સંભાળતાં મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુજરાત રાજ્યના વન વિભાગના અધિકારીઓને આગામી 25 વર્ષ માટે સિંહોનું આ સામ્રાજ્ય ટકી શકે તે માટેનો એક રોડ મેપ તૈયાર કરવા જણાવ્યું હતું.

આ ડોક્યૂમેન્ટરી શ્રેણી જિયો ટીવી, યુટ્યૂબ જેવા વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ
  • એપિસોડના ટાઇટલ:
  • 1.    કહાની કી ખોજ
  • 2.    ભુરિયા બંધુ કી કહાની
  • 3.    ભુરિયા બંધુ ઔર ટીલિયા કી ટક્કર
  • 4.    મા આખીર મા હૈ
  • 5.    ભાઈ કી ભાઈ સે ન બની
  • 6.    શહજાદો કી પરવરીશ
  • 7.    શિકાર ઔર શિકારી
  • 8.    પુનર્મિલન
  • 9.    સૌહાર્દ ઔર સહઅસ્તિત્વ
  • 10.    શાહી મરીઝ ઔર ઉનકા ઇલાજ
  • 11.    શાહી સલ્તનત કે સાથી
  • 12.    ઇતિહાસ કે પન્નો મેં

જાણો, શા માટે ઘણા પ્રાણીઓની આંખો અંધારામાં ચમકતી હોય છે

0

પ્રાણીઓને રાત્રે જોવાની જરૂર છે. જેથી તેઓ કાં તો શિકાર કરી શકે અથવા તેમના શિકારીઓથી બચી શકે.

પ્રાણીઓની આંખો મનુષ્યની આંખોથી તદ્દન અલગ હોય છે. કુદરતે તેમની આંખો એવી રીતે બનાવી છે કે તેઓ અંધારામાં કે ઓછા પ્રકાશમાં પણ આરામથી જોઈ શકે છે.
WSON Team
જો તમે ક્યારેય અંધારામાં બિલાડી, કૂતરો, ગાય અથવા અન્ય પાળતુ પ્રાણી જોયું છે, તો તમે એક વાતનું ધ્યાન રાખ્યું હશે. તેમની આંખો રાત્રે ચમકે છે.  ક્યારેક તમે રાત્રે જંગલના  રસ્તેથી પસાર થતા હોવ અને વચ્ચે કોઈ પ્રાણી દેખાય તો તમે તેની આંખોમાં પણ ચમક જોઈ હશે.  તે ખૂબ જ આશ્ચર્યજનક છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રાણીઓની આંખો અંધારામાં કેમ ચમકે છે? The Conversation વેબસાઈટના અહેવાલ મુજબ, પ્રાણીઓની આંખો માનવીઓની આંખોથી તદ્દન અલગ હોય છે. કુદરતે તેમની આંખો એવી રીતે બનાવી છે કે તેઓ અંધારામાં કે ઓછા પ્રકાશમાં પણ આરામથી જોઈ શકે છે. આ પ્રાણીઓને રાત્રે જોવાની જરૂર છે જેથી તેઓ કાં તો શિકાર કરી શકે અથવા તેમના શિકારીઓથી બચી શકે. સામાન્ય રીતે બિલાડીઓ અને તેમની પ્રજાતિના પ્રાણીઓની આંખો અંધારામાં ચમકતી હોય છે. જેમાં બિલાડી, સિંહ, વાઘ, ચિત્તા વગેરે જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. પ્રાણીઓની આંખો મનુષ્યો કરતાં જુદી હોય છે.
WSON Team
હવે ચાલો સમજાવીએ કે કેવી રીતે પ્રાણીઓ અંધારામાં માણસો કરતાં વધુ સારી રીતે જુએ છે. અંધારામાં, બિલાડીઓ સહિત ઘણા પ્રાણીઓની આંખમાં આવેલી કીકી સામાની કરતાં ઘણી મોટી થઈ જાય છે. રિપોર્ટ અનુસાર, તેઓ મનુષ્યની આંખની કીકી કરતા 50 ટકા મોટા છે. આ ઉપરાંત, બિલાડીઓની આંખોમાં માનવ કરતાં વધુ પ્રકાશ સંવેદનશીલ કોષો હોય છે, જેને રોડ્સ કહેવામાં આવે છે. આ  રોડ્સ નામના કોષને કારણે તેઓ અંધારામાં માણસો કરતાં વધુ સારી રીતે જુએ છે. પ્રાણીઓની આંખો શા માટે ચમકતી હોય છે?
WSON Team
હવે જાણી લો આંખો ચમકવાનું કારણ શું છે. પ્રાણીઓના રેટિના પાછળ ટેપેટમ લ્યુસિડમ નામની પેશી હોય છે. આ પેશી મનુષ્યમાં હાજર નથી. તેને આઈશાઈન પણ કહેવામાં આવે છે. આ પેશી પ્રકાશ મેળવે છે અને મગજને સિગ્નલ તરીકે મોકલે છે. આનાથી મન અંધારામાં પોતાની સામે દેખાતી વસ્તુઓનું સ્પષ્ટ ચિત્ર બનાવી શકે છે. આ ટિશ્યુના કારણે આંખોમાં અંધારામાં ચમક આવે છે. બિલાડીની ટેપેડમ લ્યુસિડમ પેશી સ્ફટિક જેવા કોષોથી બનેલી હોય છે. તે કાચની જેમ પ્રકાશને પ્રતિબિંબિત કરે છે અને તેને રેટિનામાં પાછો મોકલે છે. આ સાથે, કોઈપણ ચિત્ર પ્રાણીઓને સ્પષ્ટપણે જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે દરેક પ્રાણીની આંખોમાં ચમક નથી હોતી. આવા ઘણા ઘરેલું કૂતરાઓ છે જેમની જાતિએ સમય જતાં આ શક્તિ ગુમાવી દીધી છે. માછલીઓની આંખો પણ સમાન હોય છે કારણ કે તેમને પાણીના અંધારામાં પણ વસ્તુઓ જોવાની હોય છે.

ગીર સફારીની ડેડકડી રેન્જમાં 13 એશિયાટીક સિંહનો પરિવાર આરામ ફરવાતો દર્શ્યમાન થયો

ગીર અભયારણ્યમાં સામાન્ય રીતે એકલ દોકલ સિંહો જોવા મળતા હોય છે પણ એક સાથે 13 જેટલા સિંહો જોવા મળવા એક અવિસ્મરણીય લ્હાવો છે.

કહેવાય છે કે સિંહના ટોળા ન હોય! પરંતુ ગીરના જંગલોમાં ક્યારેક ક્યારેક સિંહોનાં ટોળા કેમેરામાં કેદ થતા હોય છે. આ વખતે એક સિંહ પરિવાર આરામ ફરમાવતો હોય તેવું દ્રશ્ય કેમેરામાં કેદ થયો છે. તસવીરમાં જોઈ શકાય છે કે ધોમધખતા ઉનાળામાં એક સિંહ પરિવાર આરામ કરી રહ્યો છે. ગીર સફારીની ડેડકડી રેંજમાં 13 સિહોનો પરિવાર ફરમાવી રહ્યો હોય તેવા દ્રશ્યો કેદ થયા છે. ઉલ્લેખનીય છે કે ઉનાળાનું સિઝનમાં વન વિભાગ દ્વારા જંગલમાં કૃત્રિમ વોટર પોઈન્ટ ઊભા કરવામાં આવે છે. જ્યાં ટાંકીમાંથી પાણી બહાર ઢોળાતા આજુબાજુની જમીનમાં ઠંડક પ્રસરી જતી હોય છે. આ ઠંડકમાં સાવજોના એક જૂથે ત્યાં ધામા નાખી આરામ ફરમાવ્યો હતો. ઉનાળામાં જંગલમાં કુદરતી વનસ્પતિ અને કરમદાના ઢુવામાં સિંહો આખો દીવસ પસાર કરે છે. આ સમય દરમિયાન સિંહો ખાસ પાણીવાળા વિસ્તારોમાં જોવા મળતા હોય છે. ડેડકડી વિસ્તારમાં પ્રવાસીઓને સિંહ દર્શન માટે લઈ જવાતા હોય છે ત્યારે પ્રવાસીઓએ પણ આ સિંહોના પ્રાઈડને નિહાળ્યું હશે. જાણવા મળતી માહિતી પ્રમાણે સિંહોના આ પ્રાઇડમાં પાંચ સિંહણ, એક નર અને 8 જેટલા બચ્ચા હોવાનું માલુમ પડ્યું છે. સાથે આ સિંહોમાં ત્રણ સગી બહેનો હોવાનું માલુમ પડયું છે. કહેવાય છે કે સિંહોના ટોળા નથી હોતા પણ અહીં એક સાથે 13 જેટલા સિંહ આરામ ફરમાવતા નજરે પડ્યા છે.