વર્લ્ડ વેટરનરી દિવસ: વિશ્વમાં એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારે શા માટે વિશ્વ વેટરનરી દિવસ ઉજવાય છે

આ વર્ષે Strengthening veterinary resilience થીમ હેઠળ વિશ્વ વેટરનરી દિવસની ઉજવણી કરાશે

વર્લ્ડ વેટરનરી અસોસીએશન દ્વારા વર્ષ ૨૦૦૧ થી સમગ્ર વિશ્વમાં એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારને વર્લ્ડ વેટરનરી ડે (વિશ્વ વેટરનરી દિવસ) તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ વેટરનરી દિવસની ઉજવણી માટે દર વર્ષ માટે એક થીમ પસંદ કરવામાં આવે છે. વિશ્વ વેટરનરી દિવસનો મુખ્ય હેતુ પશુ સ્વાસ્થ્ય વિશે જાગૃતતા ફેલાવવાનો અને પ્રાણી ક્રુરતા નિવારણ માટે યોગ્ય પગલા લેવાનો છે. વિશ્વ વેટરનરી દિવસ જવાબદારી પૂર્વક પાલતુ પશુઓને ઉછેરવા અને પાલતુ પશુ પ્રત્યે સંવેદનશીલતાનો પણ સંદેશ આપે છે. આ વર્ષે વિશ્વ વેટરનરી દિવસ – ૨૦૨૨ અંતર્ગત “Strengthening veterinary resilience” થીમ પસંદ કરવામાં આવી છે. આ થીમ મુજબ પશુચિકિત્સા ડોક્ટર્સને ચિકિત્સા ક્ષેત્રે તમામ પ્રકારની મદદ અને સંસાધનો પૂરા પાડવા અને પશુચિકિત્સા ક્ષેત્રે ડોક્ટર્સ દ્રારા આપવામાં આવેલ યોગદાન બદલ તેમને સન્માનિત કરવામાં આવશે. ગુજરાત સરકાર પશુપક્ષીઓ સંભાળ માટે પ્રતિબદ્ધતા દર્શાવી રહી છે. ખાસ કરીને કરુણા એમ્બયુલન્સની સેવા ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પ્રત્યેક ૧૦ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાના વેટનરી સેવામાં અસરકારક સાબિત થઈ રહ્યા છે. વડોદરા જિલ્લામાં આવા ફરતા પશુ દવાખાનાની સંખ્યા ૧૭ છે. પશુપાલન શાખા, જિલ્લા પંચાયત વડોદરા દ્રારા વડોદરા જિલ્લામાં મોટા પશુઓ (ગાય, ભેંસ) ને વિના મુલ્યે ખરવાસા-મોવાસા રોગ વિરોધી રસી આપવાનો કાર્યક્રમ પણ આ સમયગાળા દરમ્યાન યોજવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં  ગત વર્ષ: ૨૦૨૧-૨૨ દરમિયાન પશુપાલન શાખા, જિલ્લા પંચાયત વડોદરા અંતર્ગત કાર્યરત ૩૨ પશુ સારવાર સંસ્થાઓ દ્રારા ૧,૦૫,૬૫૦ પશુઓને સારવાર, ૧૨૪૭ પશુઓનું ખસીકરણ, ૮૦,૯૧૫ પશુઓનું રસીકરણ, ૧૦,૧૦૬ પશુઓને કૃત્રિમ બીજદાન, ૨૦૮ ગ્રામ્ય કક્ષાએ યોજવામાં પશુ આરોગ્ય મેળામાં ૪૧,૬૮૩ પશુઓને સારવાર પૂરી પાડવામાં આવી છે. વિશ્વ વેટરનરી દિવસ ૨૦૨૨ અને તેની થીમનો યોગ્ય અમલ કરવાના હેતુથી પશુપાલન શાખા, જિલ્લા પંચાયત વડોદરા અને વડોદરા વેટરનરી સોસાયટી દ્રારા વડોદરા જિલ્લા ખાતે આવેલ પાલતુ પશુઓ (શ્વાન, બિલાડી વિગેરે), રખડતા પશુઓ અને લાઇવ સ્ટોક પશુઓ (ગાય, ભેંસ, બકરી, ઘેંટા, વિગેરે) ને પશુ આરોગ્ય મેળા અંતર્ગત નિ:શુલ્ક સારવાર અને રસીકરણનો કેમ્પ યોજવામાં આવ્યો છે જે અંતર્ગત હડકવા રોગ વિરોધી રસીકરણ, કૃમિનાશક દવા, મેડીસીન કેસની વિના મુલ્યે સારવાર પશુ દવાખાના ભુતડીઝાંપા, વડોદરા ખાતે તા:૩૦-૦૪-૨૦૨૨ (શનિવાર) ના રોજ સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે વિશ્વ વેટરનરી દિવસ – 2022 અંતર્ગત “Strengthening veterinary resilience” થીમ પસંદ કરાઈ

વર્લ્ડ વેટરનરી અસોસીએશન દ્વારા વર્ષ 2001 થી સમગ્ર વિશ્વમાં એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારને વિશ્વ વેટરનરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વર્લ્ડ વેટરનરી અસોસીએશન દ્વારા વર્ષ 2001 થી સમગ્ર વિશ્વમાં એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારને વર્લ્ડ વેટરનરી ડે (વિશ્વ વેટરનરી દિવસ) તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ વેટરનરી દિવસની ઉજવણી માટે દર વર્ષ માટે એક થીમ પસંદ કરવામાં આવે છે. વિશ્વ વેટરનરી દિવસનો મુખ્ય હેતુ પશુ સ્વાસ્થ્ય વિશે જાગૃતતા ફેલાવવાનો અને પ્રાણી ક્રુરતા નિવારણ માટે યોગ્ય પગલા લેવાનો છે. વિશ્વ વેટરનરી દિવસ જવાબદારી પૂર્વક પાલતુ પશુઓને ઉછેરવા અને પાલતુ પશુ પ્રત્યે સંવેદનશીલતાનો પણ સંદેશ આપે છે. આ વર્ષે વિશ્વ વેટરનરી દિવસ – 2022 અંતર્ગત “Strengthening veterinary resilience” થીમ પસંદ કરવામાં આવી છે. આ થીમ મુજબ પશુચિકિત્સા ડોક્ટર્સને ચિકિત્સા ક્ષેત્રે તમામ પ્રકારની મદદ અને સંસાધનો પૂરા પાડવા અને પશુચિકિત્સા ક્ષેત્રે ડોક્ટર્સ દ્રારા આપવામાં આવેલ યોગદાન બદલ તેમને સન્માનિત કરવામાં આવશે. ગુજરાત સરકાર પશુપક્ષીઓ સંભાળ માટે પ્રતિબદ્ધતા દર્શાવી રહી છે. ખાસ કરીને કરુણા એમ્બયુલન્સની સેવા ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પ્રત્યેક ૧૦ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાના વેટનરી સેવામાં અસરકારક સાબિત થઈ રહ્યા છે. વડોદરા જિલ્લામાં આવા ફરતા પશુ દવાખાનાની સંખ્યા ૧૭ છે. પશુપાલન શાખા, જિલ્લા પંચાયત વડોદરા દ્રારા વડોદરા જિલ્લામાં મોટા પશુઓ (ગાય, ભેંસ) ને વિના મુલ્યે ખરવાસા-મોવાસા રોગ વિરોધી રસી આપવાનો કાર્યક્રમ પણ આ સમયગાળા દરમ્યાન યોજવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં  ગત વર્ષ: ૨૦૨૧-૨૨ દરમિયાન પશુપાલન શાખા, જિલ્લા પંચાયત વડોદરા અંતર્ગત કાર્યરત ૩૨ પશુ સારવાર સંસ્થાઓ દ્રારા ૧,૦૫,૬૫૦ પશુઓને સારવાર, ૧૨૪૭ પશુઓનું ખસીકરણ, ૮૦,૯૧૫ પશુઓનું રસીકરણ, ૧૦,૧૦૬ પશુઓને કૃત્રિમ બીજદાન, ૨૦૮ ગ્રામ્ય કક્ષાએ યોજવામાં પશુ આરોગ્ય મેળામાં ૪૧,૬૮૩ પશુઓને સારવાર પૂરી પાડવામાં આવી છે. વિશ્વ વેટરનરી દિવસ 2022 અને તેની થીમનો યોગ્ય અમલ કરવાના હેતુથી પશુપાલન શાખા, જિલ્લા પંચાયત વડોદરા અને વડોદરા વેટરનરી સોસાયટી દ્રારા વડોદરા જિલ્લા ખાતે આવેલ પાલતુ પશુઓ (શ્વાન, બિલાડી વિગેરે), રખડતા પશુઓ અને લાઇવ સ્ટોક પશુઓ (ગાય, ભેંસ, બકરી, ઘેંટા, વિગેરે) ને પશુ આરોગ્ય મેળા અંતર્ગત નિ:શુલ્ક સારવાર અને રસીકરણનો કેમ્પ યોજવામાં આવ્યો છે. જે અંતર્ગત હડકવા રોગ વિરોધી રસીકરણ, કૃમિનાશક દવા, મેડીસીન કેસની વિના મુલ્યે સારવાર પશુ દવાખાના ભુતડીઝાંપા, વડોદરા ખાતે તા:૩૦-૦૪-૨૦૨૨ (શનિવાર) ના રોજ સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.

વ્યવસ્થા: ઉનાળામાં ગીરના જંગલમાં પ્રાણીઓ માટે ઊભી કરાઇ ખાસ વ્યવસ્થા

પાણી મળી રહેતા જંગલ બહાર હિંસક પ્રાણીઓ નથી આવતા, આસાનીથી પાણી મળી રહે તે માટે પાણીના કુંડ બનાવી વનવિભાગે કરી વ્યવસ્થા

ઉનાળામાં પાણીની ઘટ સર્જાય એટલે માણસ તો ગમે ત્યાં જઈને પાણીની કરી લે છે. પરંતુ જંગલમાં વસતા પ્રાણીઓનું શું. તેઓ પાણી ક્યાં શોધવા જાય.વાયા-વોકળા પણ સુકાઈ ગયા હોય છે તો પછી પાણી તેમને કેવી રીતે મળે? આવો સવાલ થતો હશે. પરંતુ તમે એ નહીં જાણતા હોય કે, આપણા વન વિભાગ દ્વારા પ્રાણીઓ માટે પણ ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ છે. જેના થકી તેમને પાણી મળી રહે છે.

કાળઝાળ ગરમીમાં પણ પ્રાણીઓને મળી રહે છે પાણી ઉનાળો આવતા જ ગીર અને જૂનાગઢના જંગલોમાં વાયા-વોકળા સુકાઈ જાય છે. અને જંગલી પ્રાણીઓ માટે પીવાના પાણીની સમસ્યાઓ સર્જાય છે. તેવામાં આ પ્રાણીઓ ગામડાઓ તરફ આગળ આકર્ષિત થાય છે. પરંતુ જંગલના પ્રાણીઓ જંગલમાં જ રહે તે માટે વન વિભાગ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.વન વિભાગે જૂનાગઢના જંગલ વિસ્તારમાં અલગ-અલગ પોઈન્ટ બનાવી ત્યાં પ્રાણીઓ માટે પાણીના કુંડ બનાવ્યા છે. જેમાં સરળતાથી પ્રાણીઓને પાણી પણ મળી રહે છે.

વન વિભાગ દ્વારા ભરવામાં આવે છે પાણીના કુંડા ગીર એટલે કે, એશિયાઈ સિંહોનું ઘર. તેવામાં અહીં ગીરના રાજાને નિહાળવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. અને દરેક લોકોની ઈચ્છા હોય છે કે, તેઓને જંગલમાં સિંહ જોવા મળે. જોકે વન વિભાગની જંગલમાં જળ યોજનાથી સિંહો પણ પર્યટકોને જોવા મળી રહે છે. આ કુંડાઓ અને પાણીના પોઈન્ટ પર વન વિભાગ ખુદ પાણીની વ્યવસ્થા કરે છે. કેટલાક વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણીના કુંડા ભરવામાં આવે છે. તો કેટલાક વિસ્તારોમાં બોરવેલ બનાવી પવન ચક્કીની મદદથી પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.

પાણી મળી રહેતા જંગલ બહાર નથી આવતા હિંસક પ્રાણીઓ ગીરનું જંગલ સુકું જંગલ છે. તેવામાં પ્રાણીઓ કાળઝાળ ગરમીમાં દિવસ દરમિયાન ટાઢો છાયડો શોધી ત્યાં બેસી રહે છે. અને રાત્રે જ ખોરાક અને પાણી માટે બહાર નિકળે છે. ત્યારે જંગલ વિભાગની આ કામગીરીથી દરેક જંગલી પ્રાણીઓને પાણી પણ મળી રહે છે. અને હિંસક પ્રાણીઓ ગામડા તરફ ન આવતા, લોકો પર હુમલાની ઘટનાઓ પણ ઘટી જાય છે.

ઈન્ડિકેટર સ્પીસિસ તરીકે ઓળખાતી જળબિલાડી ગુજરાતના આ શહેરમાં સૌથી વધુ દ્રશ્યમાન થઈ રહી છે

શિડયુલ-2 માં આરક્ષિત જળબિલાડી ગુજરાતમાં મહી, નર્મદા અને તાપી નદીમાં જોવા મળે છે. 

દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતના ગવિયર લેક, ટેના લેક, બરબોધન, કોઝવે અને ડભોલીમાં દ્રશ્યમાન થઈ રહી છે. દુનિયાભરમાં જળબિલાડીની લગભગ 13 જેટલી પ્રજાતિ જોવા મળે છે. જેમાંથી ભારતમાં 3 પ્રજાતિ અને ગુજરાત રાજ્યમાં માત્ર સ્મૂથ કોટેડ ઓટર પ્રજાતિ (ઉદયું,ઉદ બિલાડો, જળબિલાડી) જોવા મળે છે. લુપ્ત ગણાતી આ જળ બિલાડી ગુજરાતમાં મહી, નર્મદા અને તાપી નદીમાં જોવા મળે છે. લુપ્ત ગણાતી અને શિડયુલ-2 માં આરક્ષિત જળબિલાડી પાણીમાં 5 મિનિટ સુધી શ્વાસ રોકી શકવામાં માહિર છે.
WSON Team
ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડને છોડીને આ જળબિલાડી વિશ્વના દરેક મહાદ્વીપ પર જોવા મળે છે. ભારતમાં જળબિલાડીની ત્રણ પ્રજાતિ જોવા મળે છે. પહેલી છે યુરેશિયાઈ જળબિલાડી. બીજા નંબર પર છે સ્મૂથ કોટેડ ઓટર (Smooth coated otter) અને ત્રીજા નંબર પર છે સ્મોલ કલાવ્ડ ઓટર (Small-clawed otter). જેમાંથી ગુજરાતમાં માત્ર સ્મૂથ કોટેડ ઓટર પ્રજાતિ જ જોવા મળે છે. તે મોટાભાગે નીચાણવાળા વિસ્તારો, દરિયાકાંઠાના મેંગ્રોવ જંગલો, તાજા પાણીના વેટલેન્ડ, જંગલીની નદીઓ, તળાવોમાં જોવા મળે છે. પાણી માટે અનુકૂળ હોવા છતાં, જમીન પર પણ આરામદાયક રીતે રહી શકે છે અને યોગ્ય નિવાસસ્થાનની શોધમાં લાંબું અંતર પણ કાપી શકે છે.
WSON Team
ગુજરાત રાજયમાં સુરત,ભરૂચ,પંચમહાલ ,દાહોદ અને વડોદરમાં શહેરોમાં તેના હોવાના પુરાવાઓ અગાઉ જોવા મ‌ળ્યા હતા. તેને તાપી,કિમ,પુર્ણા,નર્મદા અને મહી નદી કિનારા વિસ્તારોમાં પણ જોવા મળી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સૌથી મોટી સંખ્યામાં સુરત શહેરમાં તે અલગ અલગ સ્થળોએ દ્રશ્યમાન થઈ રહી છે. સમગ્ર દેશના આશરે 510 જેટલા પ્રાણીસંગ્રહાલયમાં સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં જળબિલાડીઓની સંખ્યામાં સતત વધારો થયો રહ્યો છે. સરથાણા નેચર પાર્ક ઉપરાંત તે ગવિયર લેક ખાતે જોવા મળી હતી. ગુજરાતની લુપ્ત ગણાતી જળ બિલાડી પર વર્ષ 2015 થી ગવિયર લેક પર નેચર કલબ સુરત દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ત્યાં 7-10 જળબિલાડીઓનું ઝુંડ જોવા મળ્યું હતું. અહીં 1200 થી વધુ નેટિવ વૃક્ષો તળાવની વન્યજીવ સૃષ્ટિને ખોરાક અને આશ્રય પૂરો પાડે છે. જેને લઇને કુદરતી રીતે જ તેમની સંખ્યા વધતી જોવા મળી રહી છે.
WSON Team
લસ્મૂથ-કોટેડ ઓટર એ દક્ષિણપૂર્વ એશિયાનું સૌથી મોટું ઓટર છે. તે સર્વભક્ષી છે. તે 75 થી 100 ટકા માછલીઓને જ ખોરાક બનાવે છે. જો કે નાના જંતુ, અળસિયા, દેડકા, કાચબા, જીવ સીલ, કરચલાનો પણ શિકાર કરે છે. સ્મુથ-કોટેડ ઓટર જૂથોમાં એક સાથે ડૂબકી મારી શિકાર કરે છે.તેઓ એક દિવસમાં તેમના વજનથી ૨૫ ટકા જેટલું ભોજન આરોગે છે. જળબિલાડીની આંખો અને નાક કદમા નાનાં હોય છે તેમજ તેમના શરીરનો આકાર વેલણ જેવો હોય છે. જળબિલાડીની પૂંછડી તેમને તરવામાં સહાય કરે છે. જળબિલાડીને ચાર નાના પગ હોય છે. તેમના પગની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે જે હલેસાનું કામ કરે છે અને આ કારણે તેમને તરવામાં સરળતા રહે છે. અણીદાર અને મજબૂત દાંત તેમને શિકાર કરવામાં અને ખાવામાં મદદ કરે છે. તેમના પગના પંજા પણ મજબૂત હોય છે જેનાથી તેઓ શિકારી પર મજબૂત પકડ બનાવી શકે છે. જળબિલાડી પાણીમાં તરે છે ત્યારે તેમના કાન અને નાક બંધ થઈ જાય છે. જેથી તેમના કાન અને નાકમાં પાણી જતું નથી. જળબિલાડીની લંબાઈ 4 થી 5 ફૂટ અને વજન 15 થી 20 કિલોગ્રામ જોવા મળે છે.
WSON Team
તેની ચામડી એકદમ સુવાળી રૂઆંટી અને મોહક આકર્ષક દેખાવ ધરાવે છે અને તેને લીધે જ તે સામાન્ય જળબિલાડીથી અલગ તરી આવે છે. ભારતીય જળબિલાડી કાળાશ પડતા કે હલકા ભુખરા રંગની હોય છે. નદીમાં રહેતી જળબિલાડી પાણીમાં 30 ફૂટ ઊંડાણ સુધી જઈ શકે છે. જળબિલાડી લગભગ પાંચ મિનિટ સુધી પાણીમાં શ્વાસ રોકી શકે છે. તેમનું આયુષ્ય 10 થી 16 વર્ષનું હોય છે. સ્મૂથ-કોટેડ ઓટર એક પત્નીત્વ વાળી જોડી બનાવે છે. તેમનો પ્રજનનનો સમય ઓગસ્ટ અને ડિસેમ્બરની વચ્ચે હોય છે. ગર્ભધારણની અવધિ 61-65 દિવસ હોય છે. ત્રણ દિવસ પછી બચ્ચાની આંખો ખુલે છે અને સાત-આઠ દિવસમાં આ બચ્ચા તરી શકે છે. બચ્ચાને લગભગ 130 દિવસ સુધી દૂધ પીવડાવવામાં આવે છે. સ્મુથ કોટેડ ઓટર અન્ય ઓટર્સથી વિપરીત નાના કુટુંબના સમૂહ બનાવીને રહે છે. જ્યારે બચ્ચા દૂધ પીવાનું બંધ કરે છે ત્યારે નરના જૂથમાં જોડાય જાય છે.
WSON Team
જળ બિલાડીને આઇ.યુ.સી.એન દ્વારા લુપ્ત થતી પ્રજાતીમાં મુકવામાં આવી છે. એકવા કલ્ચર માટે જળબિલાડી મહત્વનું પ્રાણી છે. કોઇ પણ પ્રકારના રોગ ધરાવતી માછલીઓને જળબિલાડી આરોગી જતી હોય છે. જેને કારણે પાણીમાં સ્વચ્છતા જળવાઇ રહેતી હોય છે. જેથી તેને ઇન્ડિકેટર સ્પીસિસ પણ કહેવાય છે. વોટર ઈકોસિસ્ટમમાં મોખરાનું સ્થાન ધરાવતી જળબિલાડીના બચાવ માટે વિશ્વના અલગ-અલગ દેશો કામ કરે છે. મે મહિનાના છેલ્લા બુધવારે વિશ્વ ઓટર દિવસ મનાવવામાં આવે છે. જેથી તેમને બચાવી શકાય અને લોકોને તેમના વિશે જાગૃત કરી શકાય. ઈન્ડિકેટર સ્પીસિસ તરીકે ઓળખાતી જળબિલાડી વિશે જાણવા જેવુ
WSON Team
  • શિડયુલ-2 માં આરક્ષિત જળબિલાડી પાણીમાં 5 મિનિટ સુધી શ્વાસ રોકી શકવામાં માહિર
  • ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડને છોડીને આ જળબિલાડી વિશ્વના દરેક મહાદ્વીપ પર જોવા મળે છે.
  • આ જાતિનું પ્રાણી પૂર્વ ભારત થી દક્ષિણ-પૂર્વ એશિયા સુધી અને થોડા પ્રમાણમાં ઈરાકમાં પણ જોવા મળે છે.
  • વિશ્વના અલગ-અલગ દેશો કામ કરે છે. મે મહિનાના છેલ્લા બુધવારે વિશ્વ ઓટર દિવસ મનાવવામાં આવે છે.
  • ગુજરાતની લુપ્ત ગણાતી જળ બિલાડી પર વર્ષ 2015 થી ગવિયર લેક પર નેચર કલબ સુરત દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.
  • દેશના આશરે 510 જેટલા પ્રાણીસંગ્રહાલયમાં સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં જળબિલાડીઓની સંખ્યામાં સતત વધારો થયો રહ્યો છે.
  • જળ બિલાડીને આઇ.યુ.સી.એન દ્વારા લુપ્ત થતી પ્રજાતીમાં મુકવામાં આવી છે. એકવા કલ્ચર માટે જળબિલાડી મહત્વનું પ્રાણી છે.
  • ભારતમાં 3 પ્રજાતિ અને ગુજરાત રાજ્યમાં માત્ર સ્મૂથ કોટેડ ઓટર પ્રજાતિ (ઉદયું,ઉદ બિલાડો, જળબિલાડી) જોવા મળે છે.

                                 જળ માર્જર, જળ બિલાડી

    WSON Team

    સ્થાનિક નામ-  જળ માર્જર, જળ બિલાડી અંગ્રેજી નામ-    Smooth Indian Otter, Smooth-coated Otter વૈજ્ઞાનિક નામ-  Lutrogale perspicillata લંબાઇ-           105 થી 120 સેમી. વજન-            7 થી 12 કિલો સંવનનકાળ-    શિયાળો ગર્ભકાળ-        61 દિવસ દેખાવ-           લાંબુ પાતળુ,વાળ વાળું શરીર, લાંબી પુંછડી અને પાણીમાં રહેઠાણ. ખોરાક-          માછલી, કરચલા, દેડકા, ઉંદર અને જળપક્ષીઓ. વ્યાપ-            ગુજરાતમાં નર્મદા નદીમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતના ગવિયર લેક, ટેના                        લેક, બરબોધન, કોઝવે અને ડભોલીમાં દ્રશ્યમાન થઈ રહી છે. રહેણાંક-         મોટી નદીઓ અને સરોવરો ઉપસ્થિતિ ના ચિન્હો–  હગાર, પગનાં નિશાનમાં પાંચ આંગળીઓ ઉપર નખનાં નિશાન.

    Writer: Biny Patel, Nature lover, Traveller, and journalist 
 

State Bird of Gujarat: મનમોહક અને સુંદર દેખાતા સુરખાબ પક્ષીની પક્ષીસૃષ્ટિમાં પારિવારિક પક્ષી તરીકેની ઓળખ

ગુજરાતમાં રાજ્ય પક્ષી (State Bird Flamingo) તરીકે સુરખાબને સ્વીકારવામાં આવ્યું છે.

ગુજરાતમાં રાજ્ય પક્ષી તરીકે સુરખાબને સ્વીકારવામાં આવ્યુ છે મનમોહક અને સુંદર દેખાતું સુરખાબ પક્ષી જગતમાં પારિવારિક પક્ષી તરીકે ઓળખાય છે. તેની સાથે તે જીવન પર્યંત એક માત્ર માદા સાથે પારિવારિક જીવન વિતાવે છે તેને લઈને પણ આ પક્ષી સમગ્ર પક્ષી સૃષ્ટિમાં અલગ તરી આવે છે.
WSON Team

ગુજરાત રાજ્યના રાજ્ય પક્ષી તરીકે સુરખાબની (Flamingo) પસંદગી કરવામાં આવેલી છે. પક્ષી જગતમાં greater flamingo તરીકે ઓળખાતું સુરખાબ દેખાવે ખૂબ જ સુંદર અને મનોહર છે. અંદાજે 1.5 મીટર જેટલી ઉંચાઈ ધરાવતું આ પક્ષી વિશ્વમાં ભારત સહિત અફઘાનિસ્તાન, દક્ષિણ ફ્રાન્સ, ઈસ્ટ આફ્રિકા, દક્ષિણ સ્પેન અને પશ્ચિમ સાયબેરિયાની સાથે શ્રીલંકામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ પક્ષી દરિયાકાંઠાના અને ખાસ કરીને કાદવવાળા વિસ્તારમાં સવિશેષ જોવા મળે છે. દેખાવે આછા ગુલાબી અને સફેદ રંગનું પક્ષી કાદવ વાળી જગ્યામાં કાદવથી જ માળો બનાવે છે. અને તેમાં એક ઈંડું મૂકીને બચ્ચાંનો ઉછેર કરે છે. આવા હજારોની સંખ્યામાં ફ્લેમિંગો કાદવ અને ખાસ કરીને દરિયાઇ વિસ્તાર અને ખારાશવાળા વિસ્તારમાં જોવા મળે છે.

એક માદા પક્ષી સાથે જ રહેવાના કારણે તે બની રહ્યું છે વિશેષ પક્ષી

WSON Team

ફ્લેમિંગોનું (Flamingo) આયુષ્ય કુદરતી રીતે 30થી 35 વર્ષનું હોય છે. આ સમય દરમિયાન નર એકમાત્ર માદા ફ્લેમિંગો પક્ષી સાથે પારિવારિક સંબંધો નિભાવે છે અને તે જીવનપર્યંત જાળવી રાખે છે. આ પ્રકારનું વિશેષ લક્ષણ એકમાત્ર ફ્લેમિંગો એટલે કે સુરખાબ ધરાવે છે જેને કારણે પણ તેની પક્ષી જગતમાં વિશેષ ઓળખ ઊભી થઈ છે. સુરખાબ પક્ષી પારિવારિક પક્ષી તરીકે પણ જાણીતું છે તે પોતાના બચ્ચાંનો ઉછેર ખૂબ જ કાળજીપૂર્વક કરે છે સામાન્ય સંજોગોમાં માદા ફ્લેમિંગો એકમાત્ર ઈંડું મુકે છે કેટલાક કિસ્સામાં બે ઈંડા ભાગ્યે જ જોવા મળે છે.

સુરખાબ કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાં ખુબ મોટી સંખ્યામાં જોવા મળે છે

WSON Team
સુરખાબ પક્ષીઓ દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળે છે, પરંતુ નારાયણ સરોવર વિસ્તારમાં તે લાખોની સંખ્યામાં જોવા મળે છે. અહીં સમગ્ર વિશ્વની દુર્લભ કહી શકાય તેવા સુરખાબના માળાઓની હારમાળાઓ જોવા મળે છે. આ પણ સુરખાબના (Flamingo) એક વિશેષ લક્ષણ તરીકે પક્ષી જગતમાં જોવા મળે છે. વધુમાં આ પક્ષીની ચાંચ અને ગરદન તમામ પક્ષીઓ કરતા અલગ રીતે અને ખોરાક ગ્રહણ અને શિકાર કરવાની દ્રૃષ્ટિએ પણ વિશિષ્ટ બનતી જોવા મળે છે. આ પક્ષીનું બીજું વિશિષ્ટ લક્ષણ એ છે કે તે દિવસ દરમિયાન સતત ખોરાક અને શિકારની શોધમાં જોવા મળે છે અને સતત ખોરાક ગ્રહણ કરતું પણ જોવા મળે છે.