સિંહ વગરનું જંગલ કલ્પના કરવી જ મુશ્કેલ છે. અને ગીર સાસણમાં સિંહો હોવું એ આપના દેશ માટે અને ખાસ કરીને ગુજરાત રાજય માટે ખુબ જ ગૌરવની વાત છે. પરંતુ આપણે આજે જે હાલાતમાં સિંહોને જોઈ રહ્યા છીએ અથવા તો જે હાલતમાં સિંહોને આપણે મુક્યા છે. તે જોતા થોડા વર્ષો બાદ સિંહો જંગલ છોડી આસ પાસ ના ગામો માં ઘૂમતા જોવા મળશે. અને આજે ઘણા ખરા સિંહો આજે હાલત માં છે. આ પરિસ્થિતિ માટે આપણે ખુદ જવાબદાર છીએ આપણે જ સિંહોને તેમનું પ્રાપ્તિસ્થાન છોડવા મજબુર કરી રહ્યા છીએ. જેના કારણે આજે 60% સિંહો જંગલની બહાર વસવાટ કરવા લાગ્યા છે.
WSON Team
જોકે હવે આ સમસ્યાને લઈને રાજય સરકાર ગંભિર બની છે. ગુજરાત સરકારે અમરેલી અને ભાવનગર જિલ્લામાં લગભગ 109 સ્ક્વેર કિલોમીટર વિસ્તારને લાયન કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. વન પર્યાવરણની પ્રધાનની આગેવાનીમાં સરકારે એક કમિટી પણ તૈયાર કરી છે.ગુજરાતના ફોરેસ્ટ મિનિસ્ટર ગણપત વસાવાએ કહ્યું કે, સરકારે નક્કી કર્યું છે કે સિંહના રહેણાંકનો આખો વિસ્તાર જૂનાગઢના ચીફ કન્ઝર્વેટર ઓફિસર હેઠળ હશે. અત્યાર સુધી, આ આખો વિસ્તાર ચાર અલગ અલગ વિભાગો દ્વારા મેનેજ કરવામાં આવતો હતો.
WSON Team
ઉલ્લેખનીય છે કે એક ઓથોરિટીનો પ્રસ્તાવ 2007માં મુકવામાં આવ્યો હતો પરંતુ ત્યારથી તે પેન્ડિંગ છે. ગણપત વસાવાએ કહ્યું કે હવે આખો વિસ્તાર CCF જૂનાગઢના અંડરમાં હશે. સરકારે નક્કી કર્યું છે કે અમરેલીમાં CCF વાઈલ્ડલાઈફની ઝોનલ ઓફિસ ખાતે એક DCF લેવલના ઓફિસરની નિમણુક કરવામાં આવશે તેમજ અમરેલી, લિલિયા, કુકાવા, જાફરાબાદ, રાજુલા, મહુવા, જેસર, પાલિતાણા અને તળાજા વિસ્તારોને તેમાં કવર કરવામાં આવશે.
WSON Team
આ સિવાય સરકારે એક સ્ટીઅરિંગ કમિટી તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે જેનું નેતૃત્વ મોનિટરિંગ કમિટી અને મંત્રી દ્વારા કરવામાં આવશે. પોતાના વિસ્તારમાં સિંહ સંરક્ષણને લગતી પ્રવૃત્તિઓ માટે કલેક્ટર્સ જવાબદાર રહેશે. આ સિવાય મોનિટરિંગ માટે ટ્રેકર્સ નીમવામાં આવશે.
ગુજરાત સરકારે એશિયાટીક સિંહોને લઈને અને સિંહોને રક્ષણને લઈને મહત્વર્પુણ જાહેરાત કરવામાં આવી કે, વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972ના સેક્શન 9 અંતર્ગત સિંહની હેરાનગતિ કરનારા લોકોને કડક સજા કરવામાં આવશે. ગેરકાયદેસર સિંહ દર્શન, વાહનોથી સિંહોનો પીછો કરવો, ગેરકાયદેસર વીડિયો શૂટ કરવા, આ બધાની ગણતરી હેરેસમેન્ટમાં કરવામાં આવશે.
WSON Team
સરકારે ચેતવણી આપી છે કે જે વ્યક્તિ સિંહને ખલેલ પહોંચડાતી દેખાશે તેને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રાજયમાં લગભગ 22 હજાર સ્ક્વેર મિટર વિસ્તારમાં સિંહનો રહેણાંક વિસ્તાર પથરાયેલો છે, જે અત્યારે ચાર અલગ અલગ ઓથોરિટીના કંટ્રોલમાં છે. સરકારે જાહેરાત કરી છે કે, એક જ ઓથોરિટી દ્વારા આખા વિસ્તારનું મેનેજમેન્ટ થાય તેવી રચના કરવામાં આવશે.
WSON Team
રાજ્યના વન વિભાગના મંત્રી ગણપત વસાવાએ કહ્યું કે, અમે અધિકારીઓને સૂચના આપી છે કે પ્રાણીઓને હેરાન કરનારા લોકો સામે શિકારનો ગુનો દાખલ કરવામાં આવે. કાયદા અનુસાર, શિકાર એટલે માત્ર પ્રાણીને મારવું જ નહીં, તેમે તેની હેરાનગતિ પણ શામેલ છે. વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત શિડ્યુલ 1ના પ્રાણીઓને મહત્તમ પ્રોટેક્શન આપવામાં આવે છે.
WSON Team
તાજેતરમાં જ ગીર જંગલમાં સિંહની હેરાનગતિના અનેક વીડિયો વાયરલ થતા ગુજરાત સરકારની ઘણી ટીકા થઈ હતી. મુખ્યમંત્રી વિજય રુપાણીએ સોમવારના રોજ એક રિવ્યુ મીટિંગ કરી હતી જેમાં સિંહ સંરક્ષણ માટેની સ્ટ્રેટેજી પર ચર્ચા કરવામાં આવી હતી. મંગળવારના રોજ વસાવાએ 13 મુદ્દાઓનો કન્ઝર્વેશન પ્લાન જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં ગીર જંગલ વિસ્તારમાં પહેલાની સરખામણી કરતા અત્યારે સિંહોની સંખ્યામાં પણ વધારો થયો છે.અંદાજે 600ની આસપાસ સિંહોની સંખ્યા પહોચી છે. જૂનાગઢમાં આવેલા ગીર અભયારણ્ય અને અમરેલી, ભાવનગર, ગિર-સોમનાથ અને પોરબંદરના લગભગ 1 હજારથી પણ વધુ ગામમાં સિંહનો વસવાટ છે. હવે જયારે રાજય સરકાર દ્વારા સિંહોના રક્ષણને લઈને મહત્વપુર્ણ જાહેરાત કરી છે. ત્યારે હવે આવનાાર દિવસોમાં ચોક્કસ પણે સિંહો પોતાના ઘર એવા જંગલમાં સુરક્ષાનો અનુભવ કરી શકશે.
ગુજરાતની આન બાન અને શાન સમા ગીરની સાવજની પજવણીના છેલ્લા કેટલાક સમયથી અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. દિવસેને દિવસે સિંહોની પજવણી વધી રહી છે. અને ગીરમાં કોઈને કોઈ કારણસર સતત મૃત્યુ પામી રહેલા સિંહોની સંખ્યા મામલે રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરી છે. હવે એશિયાટીક સિંહોને બચાવવા માટે સરકાર મહત્વનું પગલું ભરવા જઈ રહી છે. જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લાઓ સિંહો માટેનું આશ્રય સ્થાન છે. આ વિસ્તારમાં આવેલા તમામ સિંહોના રક્ષણ માટે સરકાર તેમને રેડિયો-કોલર ફાળવશે. આ રેડિયો-કોલર એક પ્રકારનું જીપીએસ ડિવાઈસ છે જેનાથી સિંહનું લોકેશન જાણી શકાશે. ઉપરાંત સિંહના રક્ષણ માટે સિંહ મિત્રોની પણ મદદ લેવામાં આવશે.
WSON Team
મળતી માહિતી મુજબ રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં એક બેઠક મળી હતી જેમાં નક્કી કરાયું કે દેશમાં વાઘના વિવિધ અભ્યારણ્યો માટે જેવી રીતે રેડિયો-કોલરનો ઉપયોગ કરાયો તેવી જ રીતે એશિયાટીક સિંહો માટે પણ રેડિયો-કોલરનો ઉપયોગ કરવામાં આવશે. ફોરેસ્ટ વિભાગના રાજ્ય પ્રધાન રમણલાલ પાટકરે કહ્યું કે રેડિયો-કોલરનો ઉપયોગ કરવો પ્લાનનો આવશ્યક હશે. વધુમાં કહ્યું કે, “ડિવાઈસ જીપીએસથી કનેક્ટેડ હશે અને દરેક સિંહની પ્રતિક્રિયા, સિંહોનું લોકેશન અને સિંહની ઉંમર અને હાલ તે કયા વિસ્તારમાં છે તે સહિતની ઉપયોગી માહિતી નોંધવામાં મદદ કરશે. સિંહને ટ્રેક કરીને તેમને બચાવી શકાય તેમ છે.” રેડિયો કોલરની વાત કરીએ તો રેડિયો કોલર જીપીએસ ટ્રેકિંગ ડિવાઈસ છે, જેના દ્વારા સિંહ કઈ બાજુ જઈ રહ્યો છે, કેટલી ઝડપે ભાગી રહ્યો છે, ઉભો છે કે કૂદકો લગાવી રહ્યો છે વગેરે જેવી બધી જ માહિતી જાણી શકાશે. આ ડિવાઈસથી સિંહના રિસર્ચમાં પણ મદદ મળી રહેશે.
WSON Team
રમણલાલ પાટકરે વધુમાં જણાવ્યું કે આગામી એક મહિનામાં આ યોજનાનું અમલિકરણ કરી 600 જેટલા એશિયન સિંહો પર રેડિયો-કોલર ડિવાઈસ લગાવવામાં આવશે. સૂત્રોએ જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ પાછળ 2 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કોઈ શંકાસ્પદ સ્થિતિ જણાય જેમ કે એક જગ્યાએ સિંહ વધુ સમય સુધી ફસાઈ ગયો હોય વગેરે જેવી સ્થિતિમાં તેમને બચાવવા માટે ફોરેસ્ટ ગાર્ડ અથવા પોલીસને મોકલવામાં આવશે. પાટકરે કહ્યું કે સિંહની વસતી 513થી વધીને 600 થઈ ગઈ છે. જો કે અકુદરતી રીતે 57 સિંહના મોત થતાં આ પગલું ભરવું જરૂરી હતું.
WSON Team
અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં ખુલ્લા કુવામાં પડવાથી કુલ 17 સિંહ મૃત્યુ પામ્યા હતા, 13 સિંહનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયું હતું, રોડ પસાર કરતી વખતે ૩ સિંહ મૃત્યુ પામ્યા હતા, ડૂબવાથી 5 સિંહ મૃત્યુ પામ્યા હતા,રાજ્ય સરકાર ગીર ફોરેસ્ટમાં અંદાજે સૌ થી વધુ સિંહ મિત્રોની નિયુક્તિ કરવામાં આવશે.
ભાવનગર નજીક ભાલ વિસ્તારમાં આવેલા કાળા તળાવમાંથી પાણી પીધા બાદ 6 જેટલા કાળિયારના મોત થયા હતા.કાળીયારના મોતને પગલે પ્રકૃતિપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. મળતી માહિતી મુજબ ભાલ વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાંથી પ્રદુષિત અને કેમિકલ મિશ્રિત પાણી કાળા તળાવમાં આવતું હોવાની અનેક ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતા સોમવારે 6 જેટલા કાળિયાર તંત્રની બેદરકારીને કારણે મોતને ભેટ્યાં છે.
WSON Team
સમગ્ર મામલાની વન વિભાગને જાણ થતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે જઈને તપાસ કરી છે. ગામ લોકોની ફરિયાદને આધારે તળાવના પાણીનો નમૂનો લઈ કાડિયારના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમમાં કેમિકલ મિશ્રીત કે પ્રદુષિત પાણી પીવાને કારણે મોત થયાનું કારણ બહાર આવ્યું, તો વન વિભાગ દ્વારા કેમિકલ ફેક્ટરી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરશે.
નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી કંપની દ્વારા પ્રદુષિત અને કેમિકલવાળું પાણી તળાવમાં છોડવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં તંત્રની ઉદાસીનતાને લઈને કંપની સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા, પરંતુ સોમવારે 6 કાળિયારે જીવ ગુમાવતા તંત્ર પણ હવે આળસ ખંખેરીને પ્રદુષણ ફેલાવતા એકમો સામે કડક હાથે કામ લે તેવી લોકો માંગ કરી રહ્યાં છે.
બે દિવસ બાદ વનરાજનું વેકેશન શરૂ થશે. 15 જૂનથી સાસણમાં સિંહ દર્શન બંધ થવા જઇ રહ્યા છે. તેમજ સફારી માટેના રૂટ બંધ કરી દેવાશે. મળતી માહિતી અનુસાર 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી વનરાજનું વેકેશન રહેશે. જો કે પ્રવાસીઓ માટે દેવળીયા પાર્ક ચાલુ રહેશે.
WSON Ream
ઉલ્લેખનિય છે કે ચોમાસાની સીઝન મોટાભાગના વન્યજીવો માટે સંવનનકાળ હોવાથી વન્યજીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન બે દિવસ બાદ પડી જશે. ચાર માસના વેકેશન દરમ્યાન સિંહ દર્શન કરાવતી જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે. પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફારી પાર્ક ચાલુ રહેશે.
WSON Team
વળી ચોમાસાની સીઝન દરમ્યાન જંગલના તમામ રસ્તાઓ કાચા હોવાથી મોટા પ્રમાણમાં ધોવાણ પણ થઈ જાય છે જેથી વાહનો લઈને અવર જવર કરવી શકય નથી. જો કે ભારેવરસાદ હોય તો દેવળીયા સફારી પાર્ક પણ બંધ કરી દેવામાં આવે છે. વેકેશનના છેલ્લા પંદર દિવસ બાકી હોવાથી સાસણમાં પ્રવાસીઓની ભીડ રહે છે. પંદર દિવસ બાદ સાસણની બજારો પણ સુમસામ થઈ જશે.