ભાવનગર જીલ્લાના ભાલ વિસ્તારમાં આવેલું વેળાવદર બ્લેક્બગ એટલે કે કાળીયાર માટે સ્વર્ગ સમાન વિસ્તાર છે. વેળાવદરમાં આવેલા ઘાસના મેદાનોમાં કાળીયાર કે જે હરણની એક પ્રજાતિ છે.
ભાવનગરથી માત્ર 45 કિલોમીટર દુર આવેલું વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર દેશ નહિ પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે. તો આવો જાણીએ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનની વિશેષતા આવો વિશે.
કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન
WSON Team
ભાવનગર જીલ્લાના ભાલ વિસ્તારમાં આવેલું વેળાવદર બ્લેક્બગ એટલે કે કાળીયાર માટે સ્વર્ગ સમાન વિસ્તાર છે. વેળાવદરમાં આવેલા ઘાસના મેદાનોમાં કાળીયાર કે જે હરણની એક પ્રજાતિ છે. તેના માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય ઉદ્યાન બાવવામાં આવ્યું છે.
દેશમાં માત્ર ચાર રાષ્ટ્રીય ઉદ્યાનમાનું એક એવું વેળાવદર 1976ના વર્ષમાં રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સૌરાષ્ટ્ર પ્રદેશના ભાલમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ ભાલ વિસ્તારમાં આવેલાં ઘાસનાં મેદાનો કાળીયારને ખુબ જ માફક આવે છે.https://wildstreakofnature.com/what-i-wish-everyone-knew-about-velavadar-blackbuck-national-park-gujarat/ આ ઉદ્યાન જિલ્લા મુખ્ય મથક ભાવનગર શહેરથી 45 કિમી દૂર છે. ખંભાતના અખાતને કિનારે આવેલ આ ક્ષેત્ર 34.08 ચોરસ કિમી જેટલું મોટું છે. આ સ્થળ પહેલાં ભાવનગરના રજવાડાની “વીડી” હતી. વેળાવદર સપાટ જમીન, સુકાયેલું ઘાસ અને કાળિયારના ઝૂંડ હમેંશાથી પ્રવાસીઓને આ ઉદ્યાન તરફ આકર્ષિત કરતાં રહ્યાં છે.
WSON Team
વેળાવદરમાં કાળીયાર ઉપરાંત વરુ અને ઘોરાડના રક્ષણ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ રીતે ભારતીય પ્રજાતિ હોય એવા ઘોરાડ પક્ષીઓ જે એક સમયે સંપૂર્ણ ભારત ઉપ મહાદ્વીપમાં જોડવા મળતા હતાં. તેમની વસતિ હાલના દાયકમાં સમગ્ર ભારતમાં ઘટતી ચાલી છે. આ પક્ષીઓનો સૌથી મોટું સમૂહ આ ઉદ્યાનમાં રહે છે. આ ઉદ્યાનની પ્રાણી સૃષ્ટિમાં ખાસ કરીને કાળિયાર, વરુ, લોમડી, શિયાળ, સસલા, જંગલી બિલાડી મુખ્ય પ્રાણીઓ છે.
વેળાવદર આવવા ભાવનગર હવાઈ મથક હવાઈસેવા દ્વારા મુંબઈ, દિલ્હી, સુરતના આંતરરાષ્ટ્રીય હવાઈમથક સાથે જોડાયેલ છે. ભાવનગર રેલ્વે સ્ટેશન 4.5 કિમી દુર છે. https://wildstreakofnature.com/gu/veravadar-blackbuck-national-park-it-is-a-privilege-to-look-at-blackbuck-national-antique-antique-and-wolf/જ્યાં થી દેશના તમામ નાનામોટા શહેરો સુધી ટ્રેન મળી શકે છે. સાથે જ દરિયાઈ સેવામાં ભાવનગરના ઘોઘા થી હજીરા સુધી રો પેક્ષ ફેરી સર્વિસ થી ભાવનગર સુધી પહોચી અને રોડ માર્ગે વેળાવદર જઈ શકાય.
WSON Team
ભાવનગર અમદાવાદમેં જોડતા શોર્ટ હાઈવે થી 10 કિલોમીટર અંદર હોવથી રોડ માર્ગ પણ પ્રવાસીઓને પહોચવામાં સરળ પડે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન વલ્લભીપુર નામનું ઐતિહાસિક શહેર અહીંથી 15 કિમી દૂર છે. આ ઉદ્યાનમાં સરકારી વન વિભાગ દ્વારા રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જેમાં અગાઉથી બુકિંગ કરાવીને ડોરમેત્રીમાં ભાડેથી રહી શકાય છે.
રાજકોટની પ્રકૃતિ પ્રેમી અને સિંહ પ્રેમી જનતા માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે હવે રાજકોટમાં પણ સિંહને મુક્ત વિહાર કરતા જોઈ શકશે રાજકોટ મહાનગરપાલિકાનો ઝૂ અને લાયન બ્રિડીંગ સેન્ટરનો પ્રોજેકટ સફળ થયા બાદ આગામી વર્ષમાં રાંદરડા તળાવ પાસે લાયન સફારી પાર્ક બનાવવા માટે રૂ.10 કરોડની યોજના બનાવવામાં આવી છે તેના માટે જરૂરી જમીન એકત્ર કરવા માટે મનપાએ 15 વર્ષ પહેલા જંગલખાતાને આપેલી 8 હેકટર જમીન પરત લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બે દિવસ પૂર્વે મનપા કમિશનર અને જંગલખાતાના અધિકારીઓ સાથે બેઠક મળી હતી અને આ બેઠકમાં જંગલખાતાએ જમીન પરત આપવા તૈયારી બતાવી છે.
સમય મર્યાદા પુરી થતા જંગલખાતાએ જમીન પરત કરવાની તૈયારી બતાવી
રાજકોટ મહાનગરપાલિકાને આ જમીન સરકારે બ્યુટીફિકેશન અને રાંદરડા તળાવ આસપાસ મનોરંજન પાર્ક માટે બનાવવાના હેતુથી ફાળવી હતી. જો કે જમીન ફાળવણી બાદ કોઈ પ્રોજેકટ નહિ બનતા જંગલખાતાને સામાજિક વનિકરણની યોજના માટે જમીનનો ઉપયોગ કરવા પરવાનગી આપવામાં આવી હતી. જમીનનો ઉપયોગ 15 વર્ષ માટે થઈ શકશે તેવું નક્કી કરાયું હતું. હવે મહાપાલિકાએ બજેટ 2023-24 માં જમીનની જરૂર પડી છે. મનપા દ્વારા ત્યા લાયન સફારી પાર્ક બનાવવા માટે આગળ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.
15 વર્ષ પહેલા જંગલખાતાને અપાયેલી 8 હેક્ટર જમીન પરત લેવાની કાર્યવાહી શરૂ
મનપાએ જમીનની માગણી માટે જંગલખાતાને જણાવતા અધિકારીઓ વચ્ચે હકારાત્મક બેઠક યોજાઈ હતી. આ જમીન 15 વર્ષ માટે આપવામાં આવી હતી અને હાલ તેના કરતા વધુ સમયગાળો થઈ ચૂક્યો છે ત્યારે જમીન જંગલખાતું પરત આપી દેશે. જમીન મહાપાલિકાની માલિકીની હોવાથી કોઈ ટેકનીકલ સમસ્યા આડી આવી શકે તેમ નથી. જમીનનો મુદ્દો ક્લિયર થયા બાદ યોજનાનો ડી.પી.આર. બનાવવામાં આવશે. જે રીતે સાસણના દેવળીયા, જૂનાગઢમાં સકકરબાગ પાછળ સિંહને મુક્ત વિહાર કરતા માણી શકાય છે તે રીતે રાજકોટમાં રાંદરડા અને લાલપરી પાસે સફારી પાર્કમાં સિંહ દર્શન થઈ શકશે.
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે આજે વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા ગીરમાં સિંહોની વસ્તી અને છેલ્લા બે વર્ષમાં સિંહોના મૃત્યું અંગેની વિગત માંગવામાં આવ્યા હતી હતી. જેમાં સિંહોની છેલ્લી વસ્તી ગણતરી અનુસાર રાજ્યમાં કેટલાં સિંહો છે અને સિંહોના મોત અંગેના આંકડા સરકાર દ્વારા વિધાનસભામાં જાહેર કરવામાં આવ્યા.
કુદરતી રીતે મૃત્યુ પામેલા એશિયાટિક સિંહો ( 31-01-2023ની સ્થિતિએ )વર્ષ નરસિંહ માદાસિંહ બાળસિંહ વળઓળખાયેલાં કુલ
2020-21 31 21 71 0 123
2021-22 26 33 54 0 113
2022-23 16 17 55 1 89
વનવિભાગ દ્વારા વર્ષ 2020 માં પૂનમ અવલોકનના આધારે સિહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી જે અનુસાર નર સિંહ 206, સિંહણ 309, બાળસિંહ 29 અને 130 વણઓળખાયેલા મળી કુલ 674 સિંહો છે. જણાવી દઈએ કે રાજ્યમાં સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે.
અકુદરતી રીતે મૃત્યુ પામેલા એશિયાટિક સિંહો ( 31-01-2023ની સ્થિતિએ )વર્ષ નરસિંહ માદાસિંહ બાળસિંહ કુલ
2020-21 02 06 06 14
2021-22 04 08 04 16
2022-23 04 04 03 11
સરકારે અકુદરતી મૃત્યુ અટકાવવા સિંહોના સારવાર, રેપીડ એક્શન ટીમ તથા વિવિધ પગલાઓ ભર્યા છે. જે અંતર્ગત વન્યપ્રાણીઓની બિમારી કે અકસ્માત થાય તો સારવાર આપવા માટે વેટરનપી ઓફિસરની નિમણૂંક કરવામાં આવેલી છે. આ સિવાય નિચે પ્રમાણે કામગીરીઓ કરવામાં આવે છે.
અદ્યતન લાયન એમ્બ્યુલન્સ વસાવવામાં આવી
વન્યપ્રાણી સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે
વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ધારા-1972 હેઠળ ગુન્હેગારોની સામે કાર્યવાહી
સિંહોને રેડિયો કોલરીંગ, હાઈટેક મોનીટરીંગ યુનિટની સ્થાપના
સકકરબાગ, બરડામાં સાતવિરડા ખાતે કોરેન્ટાઈન ઝોન બનાવાયું
સિંહોના અવર-જવરવાળા વિસ્તારમાં વન્યપ્રાણી મિત્રોની નિમણૂંક
રેસ્કયુ માટે રેપિડ એકશન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના કરી
બહુ ભાગ્યે જ જોવા મળતાં અને પ્રેમ બેલડી તરીકે જાણીતા સારસ પક્ષીએ ગુજરાત ગમવા લાગ્યું છે કારણ કે વસતી ગણતરીમાં તેમની સંખ્યા વધી હોવાનું જણાયું છે.
બહુ ભાગ્યે જ જોવા મળતાં સારસ પક્ષીને ગુજરાત ગમવા લાગ્યું છે. સારસ પક્ષીઓ હવે વધારેમાં વધારે ગુજરાતને રહેઠાણ બનાવી રહ્યાં છે જે સારી વાત છે.
WSON Team
ડિસેમ્બર 2022માં કરવામાં આવેલ સારસ પક્ષીની વસ્તી ગણતરી મુજબ, રાજ્યમાં સારસની વસ્તીમાં 15-20%નો વધારો થયો છે. ગુજરાતમાં 2021-22માં 992 સારસ પક્ષી હતા જે વધીને 1,150 થયા છે આ રીતે તેમની સંખ્યામાં 150થી વધુનો વધારો જોવા મળ્યો છે. સારસી પક્ષીને ગુજરાતનું હવામાન માફક આવી ગયું હોવાનું લાગી રહ્યું છે. વરિષ્ઠ વન અધિકારીઓએ જણાવ્યું હતું કે 2015-16માં આ સંખ્યા માત્ર 500 હતી અને એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં આ સંખ્યા 1,150 પર પહોંચી ગઈ છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સારસ (બગલો) પક્ષી સામાન્ય રીતે વેટલેન્ડ્સમાં અને તેની આસપાસ રહે છે, પરંતુ તે કાં તો અતિક્રમણ થઈ રહ્યા છે અથવા ઝડપથી અદૃશ્ય થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના કુદરતી નિવાસસ્થાનોમાં ઘટાડો થયો હોવા છતાં, સારસ પક્ષીની સંખ્યામાં વધારો થયો છે, અને તે પક્ષી પ્રેમીઓ અને વિભાગ માટે એક પ્રોત્સાહજનક બાબત છે.
ગુજરાતમાં ક્યાં ક્યાં જોવા મળ્યાં સારસWSON Team
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્યત્વે અમદાવાદ, ખેડા અને આણંદમાં આ પક્ષીની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં જ્યાં મોટાભાગે ધોળકા, બાવળા, ધંધુકા, વિરમગામ અને દેત્રોજ સહિતના મુખ્ય વિસ્તારોમાં પક્ષીઓ જોવા મળે છે ત્યાં લગભગ 80% સારસ પક્ષી જોવામાં આવ્યા. જ્યારે અન્ય સંખ્યા બાકીના વડોદરા, દાહોદ, નવસારી, સુરત, કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં જોવા મળ્યા હતા.
સારસના ઈંડાં બચાવવા હાથ ધરાયું મોટું અભિયાનWSON Team
અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રદેશોમાં પક્ષી પ્રેમીઓ દ્વારા એક મોટું જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમણે સારસ પક્ષી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં તેમના સ્વયંસેવકોની નિમણૂક કરી છે. તેઓ સુનિશ્ચિત કરે છે કે જો સારસ પક્ષીના ઈંડાં મળી આવે તો તેમને કૂતરા, જંગલી ડુક્કર અને અન્ય જંગલી પ્રાણીઓથી બચાવવા યોગ્યપણે ધ્યાન આપવામાં આવે. ગયા વર્ષે, સાણંદના ગણસર ગામના રહેવાસીઓએ સારુના ઈંડાને બચાવવા માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ કમનસીબે, તે ઇંડામાંથી બહાર નીકળી શક્યા ન હતા અને અંતે કૂતરા અથવા જંગલી ભૂંડે તેમને નુકસાન પંહોચાડતા ઇંડાને બચાવી શક્યા નહી.
IUCNના રેડ લિસ્ટમાં સામેલ છે સારસ
WSON Team
આ પક્ષીને ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (International Union for Conservation of Nature) ના રેડ લિસ્ટમાં સંવેદનશીલ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે.
છેલ્લા એક પખવાડિયામાં હાથીએ 15 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. હાથીઓના હુમલાના તાજેતરના કેસોની તપાસ માટે રાજ્યના વન વિભાગ દ્વારા રચવામાં આવેલી પાંચ સભ્યોની સમિતિએ તેના અહેવાલમાં આ માહિતી આપી છે.
ઝારખંડની રાજધાની રાંચી સહિત રાજ્યના પાંચ જિલ્લાઓમાં છેલ્લા એક પખવાડિયામાં હાથીએ 15 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. હાથીઓના હુમલાના તાજેતરના કેસોની તપાસ માટે રાજ્યના વન વિભાગ દ્વારા રચવામાં આવેલી પાંચ સભ્યોની સમિતિએ તેના અહેવાલમાં આ માહિતી આપી છે.રાંચીના વન સંરક્ષક પી રાજેન્દ્ર નાયડુની અધ્યક્ષતાવાળી સમિતિએ હાથીને શાંત કરવાની ભલામણ કરી છે.
તો બીજી તરફ નાયડુએ કહ્યું કે હાથીએ અત્યાર સુધીમાં રાંચી સહિત પાંચ જિલ્લામાં 15 લોકોને મારી નાખ્યા છે અને અન્ય ચારને ઘાયલ કર્યા છે ,તે જોતાં તેને બેભાન કરીને પકડવાના આદેશ આપવામાં આવ્યા છે.
હાથીએ 24 કલાકમાં 5 લોકો પર હુમલો કર્યો
છેલ્લા 24 કલાકમાં બે અલગ-અલગ ઘટનાઓમાં હાથીઓના હુમલામાં એક વૃદ્ધ વ્યક્તિ સહિત ચાર લોકોના મોત થયા છે. વન વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે, સોમવારે હાથીના હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે રવિવારે એક મહિલાનું મોત થયું હતું. ફોરેસ્ટ ગાર્ડ કિશોર કુમારે જણાવ્યું કે,જંગલી હાથીઓનો આતંક ઘણો વધી ગયો છે. વનકર્મીઓએ લોકોને હાથીઓથી દૂર રહેવાની સલાહ આપી છે.
લોહરદગાના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર અરવિંદ કુમારના જણાવ્યા અનુસાર આ ત્રણ વ્યક્તિઓ, જેમની ઓળખ લાલમન મહતો (60), નેહા કુમારી (18) અને ઝાલો ઓરાઓન (27) તરીકે થઈ હતી, સોમવારે હાથીના હુમલામાં મૃત્યુ પામ્યા હતા. કુમારે જણાવ્યું કે, તેના ટોળાને છોડ્યા પછી, હાથી જિલ્લાના ગામમાં ઘૂસી ગયો અને સવારે નિયમિત કામ માટે બહાર ગયેલા લોકો પર હુમલો કર્યો, જેના કારણે તેમનું મૃત્યુ થયું. ત્યારે હાલ વનવિભાગ બેકાબુ બનેલા હાથીને પકડવા જહેમત કરી રહ્યા છે.