ગુજરાતના આ પ્રાણીસંગ્રહાલયમાં હવે 2 વાઘણ અને 6 કાળિયાર હરણ લાવવામાં આવશે
પ્રાણીસંગ્રહાલયમાં હવે નવા મહેમાનોનું આગમન થશે. જેમાં અમદાવાદ પ્રાણી સંગ્રહાલય અને ઔરંગાબાદ પ્રાણીસંગ્રહાલય દ્વારા પશુ પક્ષીઓની આદાન-પ્રદાન કરવામાં આવશે.
ઔરંગાબાદથી 2 રોયલ બંગાળ અને 6 કાળિયાર હરણ અહીંયા લાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે આગામી 19 તારીખની આસપાસ અમદાવાદ પહોંચે તેવી સંભાવના જોવા મળી રહી છે.
ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય અમદાવાદ ખાતે આવેલું છે. જ્યાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા હોય છે. મુલાકાતે આવનારા પ્રવાસીઓ માટે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય દ્વારા 2 રોયલ બંગાળ વાઘણ અને 6 કાળિયાર હરણ અહીંયા લાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેની મંજૂરી પણ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે.
કાંકરીયા પ્રાણી સંગ્રહાલય કાંકરિયા પ્રાણીસંગ્રહાલય અને મહારાષ્ટ્રમાં આવેલ ઓરંગાબાદ પ્રાણીસંગ્રહાલય દ્વારા અલગ અલગ પ્રાણીઓની બદલી કરવામાં આવશે. આ મુદ્દે કેન્દ્ર સરકારની સેન્ટ્રલ ઝુ ઓથોરિટીમાંથી પણ મંજૂરી મળી ગઈ છે. તે મુજબ કાંકરિયામાંથી ઇમું, શાહુડી જેવા પ્રાણી ઔરંગાબાદના પ્રાણીસંગ્રહાલયમાં મોકલવામાં આવશે. જેના બદલામાં ઔરંગાબાદથી 2 વાઘણ અને 6 કાળિયાર હરણ અહીંયા લાવવામાં આવશે- આર.કે.સાહુ (કાકરીયા પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર)
અમદાવાદના પ્રાણી: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને ઔરંગાબાદ પ્રાણીસંગ્રહાલય વચ્ચે પશુ-પક્ષીઓનો આદાનપ્રદાન કરવામાં આવશે. જેમાં અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાંથી એક નર અને બે માદા એમ ત્રણ શિયાળ એક અને એક માદા એમ બે ઇમુ ત્રણ માદા પુનવાલ પાંચ માદા અને પાંચ નર એમ કુલ 10 શાહુડી ઓરંગાબાદ પ્રાણીસંગ્રહાલયમાં મોકલવામાં આવશે. જ્યારે ઔરંગાબાદ પ્રાણીસંગ્રહાલય થી 2 રોયલ બંગાળ વાઘણ અને 2 નર અને 4 માદા કુલ 6 કાળિયાર હરણ અહીંયા લાવવામાં આવશે.
પશુ પણ ક્વોરેન્ટાઈન: ઔરંગાબાદ પ્રાણીસંગ્રહાલયમાંથી અહીંયા લાવ્યા બાદ તેમને દસ દિવસ સુધી ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. ત્યારબાદ જ મુલાકાતીઓ માટે ખુલ્લા પાંજરામાં મૂકવામાં આવશે. અમદાવાદ પ્રાણી સંગ્રહાલય ટીમ પ્રાણી સંગ્રહાલયમાંથી પશુ પક્ષીને લઈને ઔરંગાબાદ જવા રવાના થઈ ચૂકી છે. જે આગામી 19 તારીખની આસપાસ અમદાવાદ પહોંચે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.
આફ્રિકાથી આવ્યા મહેમાન: ફરી એકવાર લાવવામાં આવ્યા 12 ચિત્તા, કુલ સંખ્યા 20 પર પહોંચી
મધ્યપ્રદેશ માટે ફરી એકવાર ઐતિહાસિક દિવસ છે કારણ કે દક્ષિણ આફ્રિકાથી 12 નવા મહેમાનો ચંબલ વિસ્તારમાં કુનો નેશનલ પાર્ક પહોંચ્યા છે.
ભારતની ધરતી પર ચિત્તાઓએ પગ મૂક્યા બાદ અહીંના લોકો ફરી એકવાર ગર્વ અનુભવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાથી ચિત્તાઓને લઈ જતું ગ્લોબમાસ્ટર સી-17 વિમાન સૌપ્રથમ ગ્વાલિયર એરવેઝ પર ઉતર્યું હતું.
આફ્રિકાથી આવ્યા મહેમાન: ગ્વાલિયર એરવેઝમાં હાજર વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે તમામ ચિત્તાને C-17 એરક્રાફ્ટમાંથી ચિનૂક હેલિકોપ્ટરમાં શિફ્ટ કરવામાં આવશે. આ પછી હેલિકોપ્ટર કુનો જશે. આ ચિત્તાઓને આ વિમાનમાંથી બીજા વિમાનમાં ખસેડવામાં લગભગ અડધો કલાક લાગશે. આ પ્લેન દ્વારા 7 નર ચિત્તા અને 5 માદા ચિત્તા
દક્ષિણ આફ્રિકાથી આવી છે.મહાનુભાવોની હાજરી: એક ચિનૂક હેલિકોપ્ટર સવારે 11:00 વાગ્યે ગ્વાલિયર એરવેઝથી કુનો અભયારણ્ય માટે ઉડાન ભરશે. કુનો અભયારણ્યમાં હાજર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ આ 12 ચિત્તાઓને એક વિશાળ રણમાં છોડશે. આ કાર્યક્રમમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય વન મંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને મધ્યપ્રદેશના વન મંત્રી પણ હાજર રહેશે.
સંભાળ માટે ટીમ તૈનાત: દક્ષિણ આફ્રિકાથી આવતા આ 12 ચિતાઓ માટે કુનો અભયારણ્યમાં 10 નવા મોટા વાળા બનાવવામાં આવ્યા છે, જેમાં 6 એન્ક્લોઝર પહેલેથી જ આરક્ષિત છે. એટલે કે આ નવા મહેમાનો માટે કુનો અભયારણ્યમાં 16 મોટા વાળા બનાવવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકાથી આવનારા આ ચિત્તાઓને એક મહિના સુધી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે અને તેમને માત્ર ભેંસનું માંસ જ ખવડાવવામાં આવશે.તેમની સંભાળ માટે એક ખાસ ટીમ તૈનાત કરવામાં આવશે, જે 24 કલાક તેમની દેખરેખ રાખશે, સાથે જ તેના માટે પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરેક પગલા પર ફોર્સ તૈનાત છે, સાથે ચિત્તા મિત્રોને ખાસ તાલીમ પણ આપવામાં આવી છે.
કુનો અભયારણ્ય: ઉલ્લેખનીય છે કે આખા દેશમાં આ એકમાત્ર કુનો અભયારણ્ય છે જ્યાં ચિત્તા રહે છે. આ પહેલા પણ 17 સપ્ટેમ્બરે એટલે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસે 8 ચિત્તાઓને નામીબિયાથી પૂર્વ અભયારણ્યમાં લાવવામાં આવ્યા હતા. અને આ વસ્તુઓને જંગલમાં છોડવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે અહીં આવીને નામીબિયાની ચિતાઓને પોતાના હાથે છોડાવી હતી.
હિમાલયના દાદા, ગરવા ગઢ ગિરનારની ગરિમા સાથેનો મારો યાદગાર અનુભવ: ગ્રીષ્મા દેવમુરારી
ગિરનાર પર્વતનો રોચક ઈતિહાસ અને તેની સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો..







તુલશીશ્યામ: રહસ્યમય અને અલૌકિક ધાર્મિક સ્થાન
સિંહણને ત્યાં પારણું બંધાયું, ‘સ્વાતી’ એ આપ્યો બેબી લાયનને જન્મ
માતા સ્વાતિ દ્વારા બચ્ચાંની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચું બન્ને તંદુરસ્ત છે.
રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે એશિયાઇ સિંહણએ સિંહ બાળને જન્મ આપ્યો છે. જેના કારણે કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે. એશિયાઇ સિંહ નર હરીશ તથા માદા સિંહણ સ્વાતીના સંવનનથી 105 દિવસના ગર્ભાવસ્થાના અંતે સિંહ માદા સ્વાતી દ્વારા આ સિંહ બાળનો જન્મ થયો છે. રાજકોટ શહેરનાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પારણું બાંધવાની મોસમ ખીલી છે. સિંહણ સ્વાતિએ સિંહ બાળને જન્મ આપ્યો છે. સિંહ હરીશ અને સિંહણ સ્વાતિના સંવનન થકી એક સિંહ બાળનો જન્મ થયો છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે 12મી તારીખનાં રોજ એશિયાઇ સિંહએ સિંહ બાળને જન્મ આપ્યો હતો. મેયર ડૉ. પ્રદિપડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગોસ્વામીએ સંયુક્ત યાદીમાં માહિતી આપીને જણાવ્યું હતું. એશિયાઇ સિંહ નર હરીશ તથા માદા સિંહણ સ્વાતીના સંવનનથી 105દિવસના ગર્ભાવસ્થાના અંતે સિંહ માદા સ્વાતી દ્વારા સિંહ બાળનો જન્મ થયેલ છે. માતા સ્વાતી દ્વારા બચ્ચાંની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચું બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાંનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે. સિંહણ સ્વાતીએ આ બીજી વખત બચ્ચાને જન્મ આપેલ છે. સિંહ નર “નીલ” સાથેના સંવનનથી ત્રણ સિંહ બાળને જન્મ આપેલ હતા. સામાન્ય રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બેથી ત્રણ બચ્ચાંને જન્મ આ૫તા હોય છે. ખૂબજ ઓછા કિસ્સામાં એક બચ્ચું અથવા ચારથી પાંચ બચ્ચાંઓ જન્મતા હોય છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ એશીયાઇ સિંહ તથા સફેદ વાઘને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે એશીયાઇ સિંહ બાળ–01નો જન્મ થતા એશીયાઇ સિંહની સંખ્યા 15 થઇ ગયેલ છે. જેમાં પુખ્ત નર-05, પુખ્ત માદા-૦૯ તથા બચ્ચા-01નો સમાવેશ થાય છે.ઍન્ટાર્કટિકામાં પક્ષીનાં મળમૂત્રના શોધાઈ પેન્ગ્વિનની નવી વસાહત
ઉપગ્રહની મદદથી ઍન્ટાર્કટિકામાં સંશોધન કરનાર બ્રિટનના સંશોધકોએ પેન્ગ્વિન પક્ષીની બ્રીડિંગ સાઇટ શોધી કાઢી હતી.
બરફથી આચ્છાદિત ખંડમાં આ વિલુપ્ત થઈ રહેલા પક્ષીની 66મી સાઇટ છે. પશ્ચિમ ઍન્ટાર્કટિકામાં પક્ષીનાં મળમૂત્રના ડાઘના આધારે આ સાઇટ શોધી કાઢવામાં આવી હતી. સમુદ્રના બરફ પીગળવાને કારણે આવતી સદી સુધી આ પક્ષીઓની સંખ્યામાં 80 ટકા ઘટાડો થશે.
