ગુજરાતના બનાસકાંઠાના આંગણે લાખો વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન

કહેવાય છે કે પક્ષીઓને કોઈ સરહદના સીમાડાઓ રોકી નથી શકતા તે ગમે ત્યાં પોતાની મરજી મુજબ ઉડી શકે છે. અને સહેલાઈથી સરહદના સીમાડા ઓળંગી હાલ લાખો વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. બનાસકાંઠા જીલ્લામાં લાખો વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. વિદેશી પક્ષીઓ પાકિસ્તાનની સરહદે અડીને આવેલા બનાસકાંઠા જીલ્લાની ભારત પાકિસ્તાન બોર્ડર પર આવી ગુજરાતના મહેમાન બન્યા છે. ગુજરાતના મહેમાન બનેલા વિદેશી મહેમાન પક્ષીઓ નડાબેટ સ્થિત સરહદ પર જોવા મળશે. બનાસકાંઠાના નડાબેટ વિસ્તારમાં લાખો વિદેશી પક્ષીઓ ગુજરાતની શોભા વધારી વધારી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા સીમા દર્શન માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે સીમા દર્શનની સાથે સાથે પક્ષી દર્શનની પણ લોકોને જાણકારી આપવામાં આવે તો આ સ્થળ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ છે. અંદાજે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ નડાબેટ ખાતે આવી પહોચ્યા છે. જેમાં ખાસ કરીને ફલેમિન્ગો, લેસર ફલેમિન્ગો, પેલીકન, બ્લેકનેક સ્ટોર્ક, વાઈટનેક સ્ટોર્ક, ક્રેન, હુબારા બસ્ટાર્ડ, જેવા વિવિધ પક્ષીઓ હાલ બનાસકાંઠાના મહેમાન બન્યા છે.

હકીકતે વાઘ આવ્યો રે વાઘ..!

વડોદરાથી 60 કિ.મી દુર ડેડીયાપાડા પાસે બીગ કેટ ( Big Cat ) અચાનક રસ્તા પર આવી ચઢી,

ગુજરાતના ડેડીયાપાડા વિસ્તારના જંગલમાં વાઘ જોવા મળ્યો છે. આ વાત ચોક્કસ નવાઈ પમાડે તેવી છે. પણ હા આ વાત સાચી છે. ગુજરાતના ડેડીયાપાડાના જંગલ વિસ્તારમાં વાઘે પગ પેસારો કર્યો છે. નિષ્ણાંત જાણકારોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં છેલ્લે વર્ષ 1965-70માં વાઘ જોવા મળ્યો હતા. ત્યારબાદ ગુજરાતની જમીન પર કયારેય વાઘે દેખા દીધી નથી. મળતી માહિતી પ્રમાણે ડેડીયાપાડા વિસ્તારમાં આવેલા રસેલા ગામના નરેન્દ્રસિંહ જાદવ પોતાની જીપ લઈને પોઈચા તરફના રસ્તા પર પસાર થતા હતા તે સમયે શુક્રવારની રાત્રીના સમયે જેતલપુર અને ભીલવાડા વચ્ચેના રોડ પર આ વાઘ જોવા મળ્યો હતો. રસ્તા વચ્ચે જ આવી જતા જીપની હેડ લાઈટમાં વાઘ દેખાતા તેની તસ્વીર કેદ કરી હતી. જોકે જોત જોતામાં વાઘ રસ્તો ક્રોસ કરીને ખેતરમાં જતો રહ્યો હતો. જોકે સ્થાનિકોમાં આ દિપડો હોય તેવું માની રહ્યા છે. કેમકે આ વિસ્તારમાં દિપડો છેલ્લા ઘણા સમયથી આતંક મચાવી રહ્યો છે. તેથી લોકો આને દિપડો જ માની રહ્યા છે. પરંતું જે રીતે તસ્વીર સામે આવી છે તે જોતા સ્પષ્ટ પણે દેખાઈ આવે છે કે વાઘ ગુજરાતની ઘરતીનો મહેમાન બન્યો છે. જોકે નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના ડેડીયાપાડા વિસ્તારમાં જો વાઘ જોવા મળ્યો હોય તો તેને મોટી ઘટના માની રહ્યા છે. કેમકે નિષ્ણાતોના મત પ્રમાણે ગુજરાત નજીક મહારાષ્ટ્રના જંગલો માંથી કદાચ ફરતા ફરતા ડેડીયાપાડાના જંગલોમાં આવી પહોચ્યો હોય. મહત્વપુર્ણ વાત એ છે કે ગુજરાતમાં દક્ષિણ ભારતના વાંસદાનાં જંગલોમાં વર્ષ 1947-50માં પાંચથી વધુ વાઘો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમજ આ જ જંગલોમાં છેલ્લે વર્ષ 1965-70ના સમય ગાળામાં વાઘ જોવા મળ્યો હતો. જોકે આટલા લાંબા સમયબાદ ગુજરાતની ધરતી પર વાઘ જોવા મળ્યોએ ખરેખર એક મોટી ઘટના ગણાવી શકાય. જોકે વાસંદા પછી આહવા પાસેના મહાલના જંગલોમાં વર્ષ 1990માં એક વાઘ દેખાયો હોવાનું સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે.  

વડોદરા : વન વર્તુળે પ્રવાસન નિગમના સહયોગથી કેવડી અને કલેશ્વરી ખાતે બે નવીન ઇકો કેમ્પ સાઇટસ વિકસાવી

વન કેડીઓ પક્ષીઓ વન્યજીવો પતંગીયાના જાણકાર પ્રશિક્ષિત ગાઇડસ પ્રકૃતિ શિક્ષણ આપશે

પ્રકૃતિ અને પર્યાવરણના માથે તોળાતુ જોખમ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો મુદ્દો બન્યું છે. પ્રકૃતિ અને પર્યાવરણના મહત્વ પ્રત્યે સજાગ અને દિલી લગાવ ધરાવતી ભાવિપેઢીનું ઘડતર એ પ્રકૃતિ અને પર્યાવરણના રક્ષણનો એક આશાસ્પદ ઉપાય છે. તેને અનુલક્ષીને પ્રકૃતિ શિક્ષણથી પ્રકૃતિના રક્ષણની વ્યૂહરચનાને અનુસરીને વડોદરા વન વર્તુળ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના કેવડી અને મહિસાગર જિલ્લાના ઇતિહાસધામ કલેશ્વરી ખાતે બે નવીન ઇકો કેમ્પ સાઇટસ વિકસાવવામાં આવી છે. કેવડી કેમ્પ સાઇટ વડોદરાથી ૧૧૫ કિ.મી.ના અને કલેશ્વરી કેમ્પ સાઇટ ૧૫૩ કિ.મી.ના અંતરે આવેલી છે અને પ્રકૃતિ શિક્ષણ શિબિરો યોજતી શૈક્ષણિક અને પર્યાવરણ સંરક્ષક સંસ્થાઓ અને પ્રકૃતિ પરિભ્રમણના ચાહકોએ બંને નવીન સરનામા નોંધી લેવા જેવા છે.  
gujaratinformation.net
વનોના સંરક્ષણની ખાતરીનો એક ઉપાય વનવાસીઓ માટે વનક્ષેત્રમાં જ રોજગારીની તકોનું સર્જન કરવાનો છે. આ સત્યને ધ્યાનમાં રાખીને વન વિભાગે આ બંને કેમ્પ સાઇટસનું પ્રબંધન સ્થાનિક વનવાસીઓની ઇકો ડેવલપમેંટ ટુરીઝમ સોસાયટી (ઇડીટીએસ)ને હવાલે કર્યું છે. કેમ્પ સાઇટસમાં આવનારા માટે સ્થાનિકોને ફિલ્ડ ગાઇડસ તરીકે પ્રશિક્ષિત કર્યા છે તથા તેમને વનવાસીઓની વાનગીઓના વેચાણ દ્વારા આવકની વ્યવસ્થા કરી છે. અત્રે નોંધવું ઘટે કે વન્ય પ્રાણી જીવોમાં અજાયબી જેવી ઉડતી ખિસકોલી (ફ્લાઇંગ સ્કીવરલ) ગુજરાતમાં માત્ર કેવડીના જંગલમાં જોવા મળે છે અને કેવડી કેમ્પ સાઇટમાં તેને જોવાની તક મળી શકે છે. આ ઉપરાંત આ બંને કેમ્પ સાઇટસની આસપાસ નોળીયો, ઝરખ, શાહુડી, રીંછ, દીપડો જેવા વન્ય પ્રાણીઓ, તેતર, જંગલી કુકડા અને દુર્લભ ચિલોતરા સહિત પક્ષીઓ, પતંગીયા અને ગળો, બહેઠા, આમળા, ચારોળી, ચણોઠી, કવચ, કાંચકા, ગુંદર, મહુડો, મામેજવો જેવી ઔષધીય વનસંપદાની ભરમાર છે. એટલે આ સાઇટસ પ્રકૃતિ સંપદાના વૈભવથી છલકાય છે. બંને કેમ્પ સાઇટસ માટે દસ-દસ જેટલા ફિલ્ડ ગાઇડસ પ્રશિક્ષિત કર્યા છે, જે વનદર્શન અને પ્રકૃતિ શિક્ષણમાં મદદરૂપ બનશે એવી જાણકારી આપતા વડોદરા વન વર્તુળના ડૉ. વિજય માનેએ જણાવ્યું કે, આ કેમ્પ સાઇટસ ખાતે વનભ્રમણ, પતંગીયા દર્શન, વનઔષધી દર્શન, પક્ષી નિરીક્ષણ, રાત્રે સ્વચ્છ આકાશમાં તારાદર્શન, ખડક ચઢાણ અને રીવર ક્રોસીંગ જેવી વિવિધતાસભર પ્રવૃત્તિઓની સાથે પ્રકૃતિ શિક્ષણની સુવિધા છે.  
gujaratinformation.net
ઝીરો પ્લાસ્ટીક ઝોનના રૂપમાં આ કેમ્પ સાઇટસની સંભાળ લેવામાં આવી રહી છે. શૌચાલયોની સાથે તંબુ નિવાસ, વોચ ટાવર, પાર્કિંગ, શિક્ષણ માટે ખુલ્લા મેદાનમાં વર્ગખંડો, પીવા માટે આરઓનું પાણી સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે. જે આ કેમ્પ સાઇટસને આકર્ષક બનાવે છે. તેની સાથે પીઠોરા પેઇન્ટીંગ, માટીકામ અને વનવાસીઓની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને જોડવામાં આવી રહી છે. કુદરતને બચાવવા કુદરતની નજીક જવું પડશે, કુદરતના ખોળે રમતા શીખવું પડશે, કુદરતને ચાહવાનો સ્વભાવ કેળવવો પડશે. આ બંને કેમ્પ સાઇટસ આ પ્રકૃતિ રક્ષક આદતો કેળવવામાં મદદરૂપ બનશે.

છોટાઉદેપુર : રતનપુર ગામે બાળ દિપડો પાંજરે પુરાયો

 છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર નજીક આવેલા રતનપૂર ગામ પાસે આવેલ એક  હોટેલ ના પાછળ ના ભાગ માં એક બાળ દીપડો નજરે પડતાં લોકો માં કુતૂહલ સાથે ભય વ્યાપી ગયો હતો . જેને જોવા માટે લોકો ના  ટોળાં ઉમટી પડ્યા હતા  વન વિભાગ ને જાણ થતા વનવિભાગ ના કર્મચારી પાંજરું  અને  જાળ લઈ ઘટના સ્થળ  પહોચ્યા હતા , લોકોના ટોળા અને ઘોંઘાટ સાંભળી બાળ દીપડો ગભરાઈને આમ તેમ દોડવા લાગ્યો હતોલોકટોળાના અંકુશ માટે પોલીસ ને બોલાવવાની ફરજ પડી હતી જોકે મોડી સાજેદીપડો  હોટેલ ની પાછળ આવેલા વાડા ના ભાગ માં કે જ્યાં લાકડા મૂકવા માં આવ્યા હતા. તેની નીચે સંતાઈને બેસી ગયું હતું .

wildstreakofnature.com
 

વનવિભાગના કર્મચારીઓએ મોડીરાત્રે સ્થાનીક  રેસક્યું ટીમ ની મદદ લઈ  જાળ નાખી દીપડા ને પકડી પાડી પાંજરે પુરવામા સફળતા મેળી હતીવન વિભાગના  રેંજ ફોરેસ્ટ અધિકારીના ના જણાવ્યા મુજબ પાંજરે પુરાયા બાદ નીરીક્ષણ કરતા 2 થી 3 વર્ષની વયની બાળ દીપડી હોવાનુ જણાયું હતું..અને હાલ તેને ડુંગરવાંટ ખાતે રાકહવામા આવેલ છે જ્યા વેટનરી તબીબ દ્વારા તેના સ્વાસ્થ્ય નુ નીરીક્ષણ કરી જો તે સ્વસ્થ હશે તો  તેને જંગલમા જઈ છોડી મુકવામા આવશે અને જો બિમાર જણાશે તો તેની સારવાર પુરી થાય ત્યા સુધી તેને રાખવામા આવશે.

ગીર એજ્યુકેશન ટુર : કુદરતને માણવાની સાથે શિક્ષણ ની અનોખી પહેલ 

પર્યાવરણ ને ખુબ નજીક થી જોવાની મજા જ અલગ છે. કહેવાય છે કે જીવનનો સાચો આનંદ જોઈતો હોય તો પ્રકૃતિની ગોદમાં જવું જોઈએ , કે જ્યાં નદી , ઝરણા , પર્વતો અને ગઢ જંગલો હોય , સુંદર દરિયા કિનારો હોય અને રમણીય તટ હોય … સાચું શિક્ષણ તો બસ અહી જ છે . આવું જ કૈક જોવા મળે છે ગીર એજ્યુકેશન ટુર માં કે જ્યાં તમે જોઈ શકો છો અવનવા પ્રાણીઓ અને પક્ષીઓ જોઈ શકાય છે, કુદરત ની મોજ માણી શકાય છે. દર વર્ષે લાખો બાળકો અહી શૈક્ષણિક ટુર માં આવે છે અને જ્ઞાન નો ખજાનો મેળવે છે . જેમાં ખાસ કરીને જંગલી પ્રાણીઓ અને પક્ષીઓના જીવનને ખુબ નજીકથી જોવાની તક મેળવે છે સાથે સાથે ગાઢ જંગલો , ખળખળ વહેતા ઝરણાઓ અને નદીઓ , સુનહરી સાંજ અને પક્ષીઓના કલ્ર્વ થી પડતી સુંદર સવાર ..કુદરતની  આ કરામત જોવાની મજા અનેરી છે . પ્રાણીઓની મસ્તી અને મમતા નું સ્વરૂપ જોવું એ પણ એક લહાવો છે , પક્ષીઓના મધુર અને અવનવા અવાજ થી વાતાવરણ ને મહેકતું માણવું એ પણ અંતરીક ખુશી આપે છે.
wildstreakofnature.com
ગીર આમ તો એશિયાટિક લાયન માટે પ્રસિદ્ધ છે એટલે જ અહી દર વર્ષે  લાખો પ્રવાસીઓ દેશ વિદેશથી આવે છે , દિવાળીના વેકેસન અને ઉનાળાની રજાઓમાં ગીર સાસણ પ્રવાસીઓથી છલકી ઉઠે છે. ખાસ કરીને નાના બાળકો અહી આવી જંગલ ને માણે ,સમજે અને મિત્રતા કેળવે એ ખુબ જરૂરી છે. અહી રમતા બાળ સિંહો ને એની માં સાથે રમતા ગેલ કરતા જોઈ બાળકો સમજી શકે છે કે સિંહ બાળ પણ તેમના જેવા જ બાળકો છે એ માનવ તરીકે સમજવું ખુબ જરૂરી છે કારણકે જો માનવ આ સમજશે તો જ કુદરત નું રક્ષણ કરશે અને પર્યાવરણની સમતુલા જળવાશે. દર   વર્ષે ગીર વન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે ખાસ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે જેમાં જંગલોમાં ટ્રેકિંગ અને એડવેન્ચર ને લગતી પ્રવુતિ કરાવવા માં આવે છે. ઓફ્સીઝ્ન દરમિયાન ગીર સાસણ માં આવેલ રિસોર્ટ અને હોટેલો પણ વધુ ને વધુ ટુરિસ્ટ ને આકર્ષવા માટે આવા ખાસ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. જેમાં રિસોર્ટમાં રહેવાનું , અને જંગલોમાં ફરવાનું તમામ આશરે વ્યક્તિ દીઠ ૧૫૦૦ રૂપિયા જેવો ચર્જ લેવામાં આવે છે તો ઘણી વખત શાળાઓ અને કોલેજો માટે ખાસ ઓફર આપવામાં આવતી હોય છે. ગીર સાસણ માં હાલમાં જ શરુ થયેલું એડવેન્ચર હડમતીયા પાર્ક બાળકો અને મોટા યુવાનો માટે પણ આકર્ષક જગ્યા છે જ્યાં સવારથી સાંજ લોકો આવતા હોય છે જ્યાં અનેક રાઈડ,  અને એડવેન્ચર ની લગતી પ્રવુતિ માટે ખાસ સ્પોટ બનાવેલા છે જેમાં સ્વીમીંગ થી લઇ ટ્રેકિગ , રોપ વોકિંગ  વગેરે નો સમાવશ થાય છે. જંગલ માં આવા રિસોર્ટ આમ તો કોઈક જ જોવા મળે છે એટલે અહી પ્રવાસીઓ નો ધસારો જોવા મળે છે. ગીર સાસણ માં આમ તો 15 જુન થી 15 ઓકોટોબર વેકેશન હોય છે કે મોન્સુન સીઝન દરમિયાન અહી પ્રવાસીઓને જંગલ માં પ્રવેશબંધી હોય છે આથી આ સીઝન દરમિયાન પ્રવાસીઓને દેવળિયા પાર્ક લઇ જવામાં આવે છે જે વન વિભાગ દ્વારા એક અભ્યારણ જેવો વિસ્તાર છે  જ્યાં આશરે ૮-૧૦ સિંહ રાખવામાં આવેલ છે જેને લોકો બારેમાસ જોઈ શકે છે. સિંહોના જીવન વિષે અહી એક આર્ટ ગેલેરી છે જ્યાં સિંહોના જીવન અને વન્યજીવોના જીવન વિષે માહિતી આપતિ તસ્વીરો મુકવામાં આવેલ છે.
wildstreakofnature.com
ગીર સાસણ નો પ્રવાસ  એ નાના મોટા સૌ કોઈ માટે એજ્યુકેશન ટુર બની રહે છે . અહી થી સૌ કોઈ કૈક અને કૈક શીખી ને જાય છે અને સાથે સાથે જંગલો માં રહેતા જીવો સાથે એક મિત્રતા કરી ને જાય છે . વન્ય જીવો ની સુરક્ષા અને આવનારી પેઢી માટે પર્યાવરણ ની જાળવણી જરૂરી છે અને એ માટે બાળકોને કુદરતને ખોળે મુકવા એટલા જ જરૂરી છે. આપને સૌ જાણીએ છીએ કે સજીવોના જીવન ને સમતુલા જાળવવા પર્યાવરણ ની સમતુલા જાળવવી જરૂરી છે અને પ્રયાવર્ણ ની સમતુલા ને ખલેલ પહોંચાડનાર માનવી જ છે ત્યારે આવનારી પેઢી પર્યાવરણ ને વધુ નુકસાન ન પહોંચાડે અને સાચવતા શખે એ માટે તેમને પર્યાવરણ ની ઓળખ કરાવવી જરૂરી છે આથી ગીર સાસણ માં યોજાતા એજ્યુકેશન કેમ્પ અહી આવતા તમામ ને પર્યાવરણ ની જાળવણી અને સાચવણી માટે અવગત કરાવે છે. આવા કેમ્પો માં ખાસ કરીને અહી ઉગતા ઝાડપાનની ઓળખ અને વન્યજીવોનો પરિચય એ મુખ્ય ઉદેશ હોય છે જેથી પ્રાણીઓ સાથે મિત્રતા નો સંબંધ કેળવાય અને જીવનમાં પ્રાણીઓ પણ સાચા મિત્રો બની શકે છે એ અંગે નું જ્ઞાન થાય. સામાન્ય રીતે આપને સૌ જંગલી પ્રાણીઓના ખોફ થી ડરતા હોઈએ છીએ છીએ પણ વાસ્તવમાં જયારે સાસણ ગીરના પ્રાણીઓને જોઈએ તો તેમના પર આપણને હેત ઉભરાય છે  એ પછી સિંહ નું બચ્ચુજ કેમ ન હોય …!! જી હા આ વાત તદ્દન સાચી છે . સિંહ ના બચ્ચાને પણ બિલાડીના બચ્ચાની જેમ હાથમાં લેવાનું મન થાય તેવી લાગણી જન્મે છે જો કે અહી આવતા પ્રવાસીઓ માટે જંગલી પ્રાણીઓ ખાસ કરીને સિંહ સાથે સેલ્ફી કે કોઈ અન્ય ફોટોગ્રાફી કરવાની તદ્દન માની છે અમ છતાં તમે શોખ થી માત્ર સિંહોના ફોટો લઇ શકો છે  એમાટે ખાસ મંજુરી અને ફીસ ચુક્કવી પડે છે.  સિંહોના અસંખ્ય ફોટો તેના જીવન શૈલી નો ખાસ પરિચય કરાવે છે જેમ કે પાણી પિતા સિંહો કે રસ્તા પર આરામ થી રસ્તા રોકો અંદોલન કરતા હોય એ મુદ્રા માં બેઠેલા સિંહો , કે પોતાના બાળ બચ્ચાઓને શિકાર ની ટેકનીક શીખવાડતી સિંહણ કે પછી શાનથી ચાલતા સિંહો ના ટોળા , એકસાથે સહપરિવાર જાણે ફરવા નીકળ્યા હોય તેવી અદાથી ઘૂમતા સિંહો આબધુ જોવાની એક મજા છે એક તક છે જંગલી પ્રાણીઓના પ્રેમને સમજવાની અને ઓળખવાની …. ક્યારેક કોઈ દ્રશ્ય જોઈ આપણે પણ અચ્મ્બિત થઇ જાયે છીએ …. પરંતુ અ બધું જોવા સાસણ ગીરમાં એક એજ્યુકેશન કેમ્પ કરવો પડે બે થી ત્રણ દિવસ અહી જંગલોમાં આખો દિવસ રખડવું પડે અને કુદરતને સમજવી પડે. અહી આવવાનો ચોક્કસ સમય આમ તો ઓક્ટોબર થી જુન છે પરંતુ જો સિંહોના જીવનને સમજવું હોય તો અને જંગલી જીવનને ધ્યાનથી જાણવું હોય તો ફેબ્રુઆરી થી મેં નો સમયગાળો ખાસ ગણાય છે કારણકે આ સમયમાં  સિંહોના બચ્ચા ૬ થી ૧૦ માસ ના થઇ ગયા હોય છે આથી બચ્ચાના શિકાર કરવાના શિક્ષણ થી લઇ સ્વબચાવ ના કીમિયા શીખવતા દ્રશ્યો જોઈ શકાય છે.  પાનખર રુતુ હોય જંગલોની ગીચતા ઓછી હોય છે અને સિંહો ને સ્પષ્ટ જોઈ શકાય છે સાથ સાથે તેમને છુપાવાની જગ્યા પણ ઓછી હોય , ગરમી ની સીઝન હોય ખુલ્લા મેદાનો કે નદી કાંઠાના વિસ્તારોમાં જોઈ શકાય છે. પક્ષીઓના કલરવ અને જંગલી પ્રાણીઓના ગર્જના સપષ્ટ સાંભળી શકાય છે અને મહેસુસ કરી શકાય છે વાતાવરણ આહલાદાયક  હોય છે. કુદરતની આ ઓળખ માટે એજયુકેશ ટુર થી વધુ શું હોય સકે જેમાં શિક્ષણ નીસાથે જ્ઞાન પણ મળે.