ચોમાસામાં ગુજરાતનો આ વોટર ફોલ બન્યો પ્રવાસીઓનું ફેવરિટ ટુરિસ્ટ સ્થળ

0
સેલવાસ નાસિક રોડ ખાતે આવેલ દાબોસા ધોધ અતિ મોહક અને રળિયામણો છે. આમ તો દાદરા નગર હવેલી એક નાનો વિસ્તાર છે, કુલ 491 સ્કેવર કિલોમીટરમાં આવેલુ છે. જેમાંથી ૪૨ ટકા વિસ્તાર રીઝર્વ ફોરેસ્ટ છે. અહીં અનેક નાના મોટા ગાર્ડનો, વાઈલ્ડ લાઈફ સેન્ચુરી, ડિયર પાર્ક,લાયન સફારી,બટરફલાય ગાર્ડન તેમજ દૂધની ખાતે મોટું જળાશય આવેલું છે. એની પ્રકૃતિના ખોળે આવેલુ દાદરા નગર હવેલી તેમજ ગુજરાત મહારાષ્ટ્ર સરહદોના વિસ્તાર અતિશય રમણીય છે. જેને જાેવા ગત્ત 2019-20 માં 10 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવી ચુક્યા છે. એક વર્ષમાં 10 લાખ પ્રવાસીઓએ સંઘપ્રદેશની મુલાકાત કરી પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર દાદરા નગર હવેલી તેમજ ગુજરાત મહારાષ્ટ્રના સરહદી વિસ્તાર મોન્સૂન ટુરિસ્ટોની પંસદગીનુ સ્થાન બની ચૂક્યું છે. ક્યાં આવેલો છે દાબોસા વોટર ફોલ: પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આ વિસ્તાર સંઘપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો છે. દાદરા નગર હવેલીની મહારાષ્ટ્ર સરહદથી નાસિક તરફ જતા લગભગ 7-8 કિલોમીટરના અંતરે દાબોસા ગામ આવેલું છે. સેલવાસથી આ સ્થળ 50 કિલોમીટર થાય છે. અહીં લગભગ 300 ફૂટ કરતા વધુ ઉંચાઈથી પાણીનો વિશાળ ધોધ પડતો જાેવા મળે છે. અહીં કેટલાક નાના મોટા ઢાબાઓ આવેલા છે. હાલ કોરોનાના કારણે અહીં કેટલાક નિયંત્રણો લગાવવામા આવ્યા છે. હાલ શનિ-રવિ દરમિયાન અહીં પ્રવાસીઓની એન્ટ્રી પર પ્રતિબંધ છે. બાકીના દિવસો દરમિયાન પ્રવાસીઓ અહીં આવીલ લખલૂટ કુદરતી સોંદર્યને નજીકથી માણી શકે છે. ધોધ આસપાસ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠીચોમાસાના કારણે મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ આસપાસ વરસેલા વરસાદના પગલે હાલ દાબોસા વોટર ફોલ સંપૂર્ણ રીતે સક્રિય છે. ચોમાસાના કારણે ધોધની આસપાસ આવેલા પહાડી વિસ્તારો પર પણ લીલી ચાદર છવાઈ ગઈ છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને સંઘ પ્રદેશના લોકો માટે ચોમાસા દરમિયાન આ સ્થળ ફેવરિટ ડેસ્ટિનેશન બની રહે છે. ગુજરાતમાં જ્યારે ધોધની વાત આવે ત્યારે દક્ષિણ ગુજરાતમાં આવેલા ગીરા ધોધ અને સૌરાષ્ટ્રમાં આવેલા જમજીરના ધોધની ચર્ચા થતી હોય છે. પરંતુ, ગુજરાતની પાડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલો દાબોસા વોટર ફોલે પણ ગુજરાતના પ્રવાસીઓમાં અનેરું આકર્ષણ જગાવ્યું છે. ચોમાસા દરમિયાન સક્રિય થયેલો ધોધ અને આસપાસ ખીલી ઉઠેલી પ્રકૃતિ અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

માંડવીના દરિયાકિનારે સૌપ્રથમ વખત દુર્લભ દરિયાઈ જીવ ‘સી સ્લગ’ જોવા મળ્યુંં

માંડવીના સુપ્રસિદ્ધ વિન્ડફાર્મ બીચ નજીકના દરિયાકાંઠે પ્રથમ વખત ખૂબ જ દુર્લભ અને અતિસુંદર દરિયાઈ ગોકળગાય મળી આવી હતી. આ સી સ્લગ નામના દરિયાઈ જીવની લંબાઈ માત્ર 2 સેન્ટિમીટર નોંધાઈ છે. ફક્ત દક્ષિણ ભાગના મરીન નેશનલ પાર્કના પોશીત્રા વિસ્તારમાં જોવા મળતી આ ગોકળગાય કચ્છનાં અખાતનાં ઉત્તરીયતટ પર પ્રથમ વખત નોંધવામાં આવી છે. જે ક્યાક કચ્છની દરિયાઈ ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ સંકેત દર્શાવે છે. આ અતિદુર્લભ ગોકળગાયની નોંધ મુંબઈ સ્થિતની વૈજ્ઞાનિક જર્નલમાં નિકી રામી શાહ, યશેશ શાહ અને ડો. દિપક આપ્ટે દ્વારા ગત ડિસેમ્બરમાં કરવામાં આવી હતી.
Social Media
કચ્છમાં ઓપસ ઓશિએનિક રીસર્ચ લેબોરેટરી નામક મરીન રીસર્ચ લેબોરેટરી ધરાવતા બંદરીય શહેરના દંપતી યશેશ શાહ અને નિકી રામી શાહને ગત ડિસેમ્બરમાં માંડવી વિન્ડફાર્મ બીચ નજીકના દરિયાઈ પાણીના ખાબોચિયામાં અત્યંત દુર્લભ દરિયાઈ આ ગોકળ ગાય જોવા મળી હતી. આમ, આ દંપતિ દ્વારા આ અતિ દુર્લભ ગોકળગાયની પ્રજાતિને બચાવવા તેમજ અન્ય નાગરિકોને જો કોઈ પણ પ્રકારનું દરિયાઈ જીવ મળે તો તેને હાની ના પહોંચાડવા માટે અપીલ કરવામાં આવી હતી.

કચ્છની દરિયાઇ જીવસૃષ્ટિની ખુબ જ ઓછી માહિતી અને ખૂબ જ ઓછો અભ્યાસ જોવા મળે છે, ત્યારે અમે લોકો વારંવાર અભ્યાસ માટે દરિયાકાંઠે જતાં હોઈએ છીએ ત્યારે અમને ગત ડિસેમ્બરમાં આવી જ એક રૂટિન ફિલ્ડમાં અમને એક અતિ દુર્લભ અને અતિ સુંદર દરિયાઈ ગોકળગાયની પ્રજાતિ જોવા મળી છે. આ ગોકળગાય સામન્ય ગોકળગાય જેવી જ હોય છે પરંતુ તેની પર શંખ નથી હોતું. આ ગોકળગાયની વિશેષતા એ છે કે, આ ગોકળગાય સમગ્ર વિશ્વમાં ફક્ત અને કફત ગુજરાતમાં જોવા મળે છે અને તેમાં પણ ફક્ત કચ્છના અખાતમાં જોવા મળે છે. નોંધનીય વાત એ છે કે, આજના ઝડપી યુગમાં આ દુર્લભ પ્રજાતીનું અસ્તિત્વ જોખમમાં કહેવાય ત્યારે લોકોને ખાસ અપીલ છે કે જો તેમને કોઈ પણ જાતનું દરિયાઈ જીવ મળે તો તેની હાની પહોંચાડવી નહીં.

ગુજરાતના આ ઝુ(Zoo)એ કોરોના કાળ સમયે પણ 1 કરોડ 96 લાખ જેટલી કમાણી કરી

વર્ષ 2020-2021માં કાંકરીયા ઝૂ માં 8,84,050 જેટલા મુલાકાતીઓ આવ્યા

અમદાવાદમાં તહેવારોમાં કાંકરીયા અને રિવરફ્રન્ટ સહિત અનેક સ્થળો લોકો માટે ખુલ્લા રાખવામા આવ્યા હતા જેમાં કાંકરિયામાં લોકોની ભીડ જોવા મળી હતી. કોરોનાકાળ બાદ કાંકરીયા પણ લોકોએ મુલાકાત લીધી હતી. જેમાં કાંકરિયામાં પણ કોરોના કાળ પછી સારી એવી આવક થઈ છે. કાંકરિયાની વર્ષ 2020- 2021 ની આવક જોઈએ તો 1 કરોડ 96 લાખ 26 હજાર 912 રૂપિયા જેટલી આવક થઈ છે. જેમાં નોક્ટરનલ ઝૂ, બાલ વાટિકા, વોટરપાર્ક, નગીનાવાડી, ફ્રેંડ્સ ઓફ, પાર્કિંગ, બટરફલાય, ગ્લાઈડર રાઇડ્સ, અને નભો દર્શન ઉપરાંત અન્ય આવક સાથે જોઈએ તો કોરોના કાળમાં કાંકરીયા ને આટલી આવક થઈ છે. કાંકરીયા ઝૂ રાજ્યનું સૌથી મોટું ઝૂ ગણવામાં આવે છે. જૂનાગઢના સક્કરબાગ અને અમદાવાદનાં કાંકરીયા ઝૂ આ 2 મોટા ઝૂ રાજયમાં છે જેમાં વન પ્રાણીઓ, ડોમેસ્ટિક પ્રાણીઓ અને પક્ષીઓ અને સરિસૃપ જીવો પણ છે. આ ઉપરાંત બટરફલાય ગાર્ડન પણ છે આ તમામની મુલાકાત તહેવારો અને કારોના બાદ જ્યારે ઝૂ ખૂલ્યા ત્યારે અમદાવાદ વાસીઓએ મુલાકાત લીધી છે. પાછળના એક વર્ષની આવક જોઈએ તો વર્ષ 2020 થી 2021 થી ઝૂ માં 2972830 નોક્ટરનલ ઝૂ 1406900…બાલવાટિકા 144220 નગીનાવાડી 1499041 ફ્રેંડ્સ ઓફ 328400 પાર્કિંગ 168102 બટરફલાય 384300 અન્ય આવક 30433 બેટરી પાર્ક 30586 કુલ 1 કરોડ 96 લાખ 26 હજાર 912 તો બીજી તરફ કોરોનાકાળ બાદ કાંકરીયા ખૂલતાં મુલાકાતીઓની સંખ્યા માં વધારો થઈ ગયો છે. ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2020- 2021 માં આવનાર મુલાકાતીઓ જોઈએ તો ઝૂમાં 477615 નોક્ટરનલ ઝૂ 313600 બાળવાટિકા અને મ્યુઝિયમ 51915 બટરફ્લાય 40920. એટલે કે વર્ષ દરમિયાન 884050 મુલાકાતીઓ આવ્યા છે. આ વિષે વાત કરતાં કાંકરીયા ડાયરેક્ટર ડોકટર આર કે શાહુ એ જણાવ્યુ હતું કે કાંકરિયામાં કોરોના પહેલી લહેર બાદ કાંકરિયા ઝૂ ખોલવામાં આવ્યું હતું જેમાં તરત જ બીજી લહેર આવતા તેને બંધ કરવામાં આવ્યું હતું. જોકે બીજી લહેરની પિક ઓછી થતાં સરકારે નિયંત્રનો હળવા કર્યા ત્યારથી કાંકરિયામાં રોજના 2 હજાર જેટલા મુલાકાતીઓ આવે છે. તહેવારોમાં કાંકરીયા ખુલ્લુ રાખતા આશરે 5 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી છે.

હવે ગુજરાતના આ પ્રકૃતિ ઉદ્યાનમાં સફેદ વાઘ, સિંહ અને દીપડાને મુક્ત વિહરતા નિહાળી શકાશે

બિલાડી કુલના વન્યજીવોમાં હવે ઓપન-ટુ-સ્કાય પ્રકારના આધુનિક આવાસ બનાવાયા

ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના પ્રાણી સંગ્રહાયલ ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે ‘ઓપન મોટ’ પ્રકારના આધુનિક આવાસો તૈયાર કરાયા છે. આ આવાસોનું લોકાર્પણ આજરોજ વન મંત્રી ગણપત વસાવાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે વન રાજય મંત્રી રમણ પાટકર પણ ઉપસ્થિત રહ્યા હતા. એશિયાઈ સિંહો ગુજરાત જ નહિ, સમગ્ર દેશનું ગૌરવ છે, તેવું કહી વન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, તે પ્રકારે વાઘ અને દિપડા પણ આપણું ગૌરવ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનમાં માણસોની ચિંતા સાથે સાથે વન્ય અને અન્ય પ્રાણીઓની પણ ચિંતા કરાય છે. જેની ફલશ્રૃતિ રૂપે આજે ગાંધીનગરના આંગણે રૂપિયા બે કરોડથી વધુના ખર્ચે વન્ય જીવ એવા સિંહ, વાઘ અને દિપડા માટે ઓપન મોટ પ્રકારના આવાસોનું નિર્માણ કરાયું છે. તેમજ રાજય સરકારના કરૂણા અભિયાનની પણ માહિતી આપી હતી. રાજયના પાટનગરમાં વધુ એક જોવાલાયક સ્થળ અને લોક આકર્ષણનું કેન્દ્ર ઇન્દ્રોડા પાર્ક બનશે, તેવું કહી વન મંત્રી વસાવાએ ઓપન મોટ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ ‘‘ઓપન મોટ’’ પ્રકારના આવાસો તૈયાર કરાયા છે. જેમાં પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કરી આવાસોને આબેહૂબ નૈસર્ગિક બનાવાયા છે. આ આવાસોમાં મુખ્યત્વે વન્યજીવોને આરામ કરવાના ગઝેબો, પથ્થરની ગુફાઓ, પાણીના ઝરણા, નાના તળાવ, રેમ્પ અને સ્ટેજ પણ તૈયાર કરાયા છે. જેથી વન્યજીવોને પોતાના નૈસર્ગિક આવાસમાં જ રહેતા હોવાની અનુભૂતિ થાય. એટલું જ નહિ મુલાકાતીઓ માટે ખાસ ગેલેરી તથા પથ બનાવી આ આવાસોની અંદર તથા બહાર ઘનિષ્ઠ વનિકરણ કરી કુદરતી ઓપ અપાયો છે. વસાવાએ જણાવ્યું હતું કે, રાજય સરકારના ક્લિન ગુજરાત, ગ્રીન ગુજરાત બનાવવાના સંકલ્પ ને સાકાર કરવા માટે વન વિભાગ દ્વારા રાજયમાં ૧૦ કરોડથી વધુ રોપાઓનું વિતરણ સામાજિક વનીકરણ અંતર્ગત કરાયું છે. આજે રાજયમાં જંગલ વિસ્તાર સહિત રાજયમાં વૃક્ષોની સંખ્યામાં વધારો થયો હોવાનું કહી લોકોમાં વૃક્ષારોપણ અંગે જાગૃત્તિ આવી છે, તેનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો. આ અવસરે વન રાજય મંત્રી રમણ પાટકરે જણાવ્યું હતું કે, ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પ્રાણીસંગ્રહાલયમાં રાજ્યના વનવિભાગના સહયોગથી વન્યજીવોના અદ્યતન આવાસોનું નવનિર્માણ કરાયું છે. આવાસોમાં મુલાકાતીઓ વન્યજીવોને કુદરતી અવસ્થામાં નિહાળી શકશે. જેનો લાભ ઉદ્યાનની મુલાકાતે આવનાર દેશ-વિદેશના પર્યટકો તથા ગાંધીનગરની પ્રકૃતિપ્રેમી જનતાને થશે. ગીર ફાઉન્ડેશનના નિયામક યુ.ડી.સિંઘે જણાવ્યું હતું કે, વન અને પર્યાવરણ વિભાગ હેઠળના ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણીસંગ્રહાલયમાં સસ્તન, સરિસૃપ અને વિહંગ કુળના અલગ અલગ પ્રકારના વન્યપ્રાણીઓ-પક્ષીઓ રખાયેલા છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તેના ડાયનાસોર અને ફોસીલ પાર્ક, અર્થ સેક્શનના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારના છોડ, ક્ષુપ, વેલા અને વનસ્પતિઓ ધરાવતો વૈજ્ઞાનિક પદ્ધતિએ તૈયાર કરાયેલો બોટનિકલ ગાર્ડન પણ છે. જેનું કેક્ટસ ગાર્ડન એક અનેરૂ આકર્ષણ ધરાવે છે. પ્રતિ વર્ષ 6 લાખ જેટલા મુલાકાતીઓ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત લેતા હોય છે. તેમજ ગીર ફાઉન્ડેશન પારિસ્થિતિકીય શિક્ષણ અને સંશોધનના કાર્યક્ષેત્રમાં પણ કાર્યરત છે. મંત્રી ગણપત વસાવા અને રમણ પાટકરના હસ્તે ‘ઓપન મોટ’ને ખુલ્લો મુક્વામાં આવ્યો હતો. તેમજ સિંહ, વાધ અને દિપડા ના અધતન આવાસોમાં મુક્ત મને ફરતા હતા, તેનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે ઇન્દ્રોડા સંકુલમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં બિલાડીકુળના વન્યજીવ બે સફેદ વાઘ (નર અને માદા) લવાયા છે. આ ઉપરાંત પ્રાણી સંગ્રહાલયમાં રખાયેલ સિંહની પ્રખ્યાત જોડી તેમજ ભારતીય ચાર દીપડાઓ (બે નર અને બે માદા)ને અદ્યતન પ્રકારના ઓપન મોટ આવાસોમાં રખાયા છે. જેથી તેમને ઓપન-ટુ-સ્કાય પ્રકારના આધુનિક આવાસમાં મુક્ત વિહરતા નિહાળી શકશે.
જાણો, ઈન્દ્રોડા ડાયનાસોર નેચર પાર્ક અને ફોસિલ પાર્કના ઇતિહાસ વિશે

World Lion Day 2021: ગીરના એશિયાટીક સિંહ ( Asiatic Lion ) ભારતનું ગૌરવ

એક સમયે લુપ્ત થતી એશિયાટીક સિંહોની પ્રજાતિ આજે 600 કરતા પણ વધુ છે.

એશિયાટિક લાયન ભારત દેશની પહેચાન છે. એક સમયે નોર્થ આફ્રિકા યુરોપ અને એશિયામાં જોવા મળતા એશિયાટિક લાયન હવે માત્ર ભારતના ગુજરાતમાં આવેલા સાસણ ગીર માં જ બચ્યા છે. એકસમયે લુપ્તથવાના આરે આવેલ એશિયાટિક લાયનનું સંવર્ધન અને સુરક્ષાના પ્રયાસો સતત ચાલેછે. વર્ષ 1911 બાદ ગીરમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થયો છે 1911 પહેલા ગીરમાં સિંહનો શિકાર સામાન્ય વાત હતી આવી પરિસ્થિતિમાં સિંહોની સંતતિ સંકટગ્રસ્ત બની ગઈ હતી ત્યારે જૂનાગઢ નવાબ મહોબતખાન ત્રીજાના સહકારથી સિંહોને ગીરમાં ફરી નવજીવન મળ્યું છે, ત્યારે ગીરમાં શિકાર જેવી તમામ ગતિવિધિઓ પર અંકુશ આવે તે માટે વન વિભાગ આધુનિક ટેકનોલોજી અને હથિયારના સહારે તેમજ જંગલમાં પગપાળા પેટ્રોલિંગ કરીને પણ સંભવિત શિકાર કે ગેરકાયદેસર સિંહ દર્શનની તમામ ગતિવિધિઓ પર અંકુશ મેળવવામાં સફળતા મળી છે. વર્ષ 2018માં આ જ પ્રકારના ગુનામાં શામેલ કેટલાક આરોપીને જેલની સજા પણ કરાવવામાં વન વિભાગ સફળ રહ્યું હતું.
WSON Team
એશિયાટિક લાયન ભારતનું ગર્વ છે વિશ્વમાં માત્ર બે જ જગ્યાએ સિંહનો વસવાટ જોવા મળે છે કે આફ્રિકાના જંગલોમાં અને બીજું ભારતના ગીરના જંગલોમાં. એશિયાટિક લાયનને લુપ્ત પ્રજાતિની નોંધ રાખતી રેડ ડેટા બુકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે 2010થી ગીર અભ્યારણમાં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ પર ભારત સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરી જરૂરી પગલા લેવાતા સિંહોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો રહ્યો છે. એક સમયે 225 જ સિંહો હતા જે આજે 2015માં 525 થયા છે. અને હજુ આવતા 2020 માં આ સંખ્યા 650 ને પાર કરશે જે ખરેખર ખુશીની વાત છે.. સાસણ ગીરમાં જોવા મળતી વિવિધતાસભર પ્રાણીઓ : ગીર અભયારણ્ય માત્ર સોન્હો જ નહી પરંતુ સિંહો સિવાય 2375 પ્રાણી પ્રજાતિ ધરાવતી ગીર પ્રાણીસૃષ્ટીમાં 39 પ્રકારના સસ્તન પ્રાણિઓ, 300 કરતા વધુ પ્રકારના પક્ષીઓ, 37 સરીસૃપો અને 2000થી વધુ કીટકોનો સમાવેશ થાય છે આમ સાસણ ગીર વિવિધતાથી ભરેલુ છે. માંસાહારીમાં મુખ્યત્વે એશિયાઈ સિંહ, દીપડો, જંગલી બિલાડી, શિયાળ અને કાંટાળી-ટીપકાળી બિલાડીનું અસ્તિત્વ છે પણ ભાગ્યેજ દેખાય છે. આ ઉપરાંત શાકાહારીમાં મુખ્યત્વે ચિત્તળ, રોઝ અથવા નીલગાય, સાબર, ચોસિંગા, ચિંકારા અને જંગલી ડુક્કર છે. આસપાસના ક્ષેત્રોના કાળિયાર ક્યારેક અભયારણ્યમાં દેખાય છે.
WSON Team
નાનાં સસ્તન પ્રાણીઓમાં, શાહુડી અને સસલાં સામાન્ય છે અને કીડીખાઉ વિરલ છે. સરીસૃપોમાં પ્રમુખ છે મગર (જેની અહીં ભારતના કોઈપણ સંરક્ષીત જંગલ કરતાં વધુ વસતિ છે), ભારતીય તારક કાચબા અને ઘો જળ સ્રોતની આજુબાજુ જોવા મળે છે. જંગલો અને છોડવાઓમાં સાપ મળી આવે છે. ઝરણાને કિનારે અજગર જોવા મળે છે. ગુજરાત રાજ્ય જંગલ વિભાગ જેણે 1977માં ભારતીય મગર સંવર્ધન યોજનામાં ભાગ લીધો હતો, તેમણે ગુજરાતના ગીર સંવર્ધન ક્ષેત્રમાં ઉછેરેલા 1000 મગરને કમલેશ્વર તળાવ અને અન્ય તળાવોમાં છોડ્યાં હતા.ખેચર સૃષ્ટિમાં લગભગ 300 પ્રજાતિના પક્ષીઓ છે, તેમાંના મોટાં ભગના ઘણાં અહીંના સ્થાનિક પક્ષીઓ છે. મૃતભક્ષી પક્ષીઓમાં અહીં ગીધની 6 પ્રજાતિ જોવા મળે છે. વર્ષો પહેલા ગીધોની સંખ્યા લાખોમાં હતી ત્યારબાદ હજારો માં થઇ આને આજે માત્ર ગની શકાય એટલા જ ગીધો રહ્યા છે જે ખરેખરન ચિંતાનો વિષય છે. સાસણ ગીરમાં ગિધ ઉપરાંત પક્ષીઓની અમુક સામાન્ય પ્રજાતિઓ છે, દા.ત. ચોટલીયો સાપમાર, નામશેષ બોનેલ્લીનું ગરુડ, મોર તેમજ બાજ મચ્છીમાર ઘુવડ, મોટું ઘુવડ, લાવરી, નાનો લક્કડખોદ, કાળામાથું પીલક, કલગી ટ્રીસ્વીફ્ટ અને નવરંગ જેની સંખ્યા ઘણી છે જો કે પક્ષીઓની જાત પણ લુપ્ત થવાની આરે છે જેમ કે 2001ની વસતિ ગણતરીમાં ચિલોત્રા નહોતા દેખાયાં.વિવિધ વન્યજીવો અને પક્ષીઓથી સમૃદ્ધ સાસણ ગીર એક અભયારણ્ય ની સાથે પર્યાવરણ ની સમતુલા નું અભિન્ન અંગ બની ગયું છે. સિંહોની સંખ્યમાં ઉતરોતર થઇ રહ્યો છે વધારો : વન વિભાગ દ્વારા સંવર્ધન અને સંરક્ષણ ના કારણે મળી રહી છે સફળતા
WSON Team
ગીર સાસણ આમ તો સિંહોનું નિવાસ સ્થાન સદીઓથી રહ્યું છે પરંતુ એક સમય એવો પણ હતો કે સિંહોની સંખ્યા માત્ર 15 જેટલી જ રહી હતી .. જી હા ઈ.સ.1900 માં સિંહોની સંખ્યા માત્ર 19 જ થઇ જતા જુનાગઢના નવાબે ગીર સાસણ ને આરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરી સિંહોના શિકાર પર પ્રતિબંધ મુક્યો હતો . આશરે 1412 કિ.મી વિસ્તાર માં ફેલાયેલા ગીર જંગલ માં ત્યાર પછી સિંહોની સંખ્યામાં સતત વધારો નોંધાતો આવ્યો છે. આઝાદ ભારતમાં વન્ય જીવોની સુરક્ષાને ધ્યાને લઇ ગીર સાસણને 1965 અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો. જે આજે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય તરીકે જાણીતો છે. કહેવાય છે કે જુનાગઢના નવાબ સિંહોના શિકાર પર પ્રતિબંધ મુકનાર પ્રથમ નવાબ હતા. જેણે કોઈ વન્યજીવને સુરક્ષાને પ્રોત્સાહન આપ્યું હોય. નવાબ શિકારના ભારે શોખીન હતા આમ છતાં સિંહોની ઘટી સંખ્યા એ તેમને ચિંતિત કરી દેતા ગીરને પૂરી સુરક્ષા આપી સિંહોના રક્ષણ માટે આરક્ષિત વિસ્તાર જાહેર કર્યો હતો. જેનું અંગ્રેજો એ પણ પાલન કરવું પડ્યું હતું ત્યારબાદ આઝાદ ભારતમાં ઇ સ 1975 માં સાસણ ગીર વિસ્તારને એશિયાટિક લાયનનું એક માત્ર નિવાસસ્થાન હોવાથી આરક્ષિત જાહેર કરી નેશનલ પાર્ક તરીકે ઘોષિત કરવામાં આવ્યો અને ખાસ ફોરેસ્ટ વિભાગની દેખરેખ નીચે આશરે 1412 કિમિ નો વિસ્તાર સોંપવામાં આવ્યો.
WSON Team
ત્યારબાદ દર પાંચ વર્ષે હાથ ધરાતી સિંહોની વસ્તી ગણતરીમાં સતત વધારો નોંધાયો છે જે સારી નિશાની છે .વર્ષ 2005 ની ગણતરી મુજબ 359 સિંહો સંખ્યા નોંધાયેલ હતા જે 2001ની સરખામણીમાં 3૨ નો વધારો સૂચવે છે 2010 ની ગણતરી દરમિયાન 411 સિંહો નોંધાયેલ હતા જે 2005 ની તુલનામાં 52 નો વધારો દર્શાવતા હતા 2015 માં આ સંખ્યામાં 112 ના વધારા સાથે 523 નોંધવામાં આવ્યા. આમ ક્રમશઃ સિંહોની વસ્તી ઝડપથી વધતી જાય છે. વન વિભાગ દ્વારા ‘સિંહ પ્રજનન કાર્યક્રમ’ હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશ માં , બંધિયાર અવસ્થા માં અત્યારસુધી સિંહોની 180 નસલ ને રક્ષણ આપવામાં આવ્યું છે.સિંહોની પ્રજાતિ ને જાળવી રાખવાનો પ્રયાસ ખરેખર પ્રશસનીય છે. સિંહોની વસ્તી ગણતરી ની પ્રક્રિયા રસપ્રદ અને આધુનિક બની રહી છે:
WSON Team
સિંહોની વસ્તી ગણતરી ની જયારે શરૂઆત થઇ ત્યારે સિંહોના વિસ્તારમાં ગણતરી માટે ખાસ શિકાર ગોઠવવામાં આવતો અને તેમના પગના છાપ પરથી તેમની ગણતરી થતી જેના માટે સેંકડો માણસો રોકવામાં આવતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સિંહો ની વસ્તી ગણતરી માં માનવશક્તિની સાથે સાથે આધુનિક ટેકનોલોજી નો પણ ઉપયોગ થાય છે. જેમ કે 2015 માં છેલ્લી વસ્તી ગણતરી સમયે ખાસ ટ્રેપ કેમેરા, GPS,GIS, રેન્જ ફાઇન્ડર, બાયનોક્યુલર, હાઈ રિસોલ્યુએશન ડિજિટલ કેમેરા, વિડીયો કેમેરા જેવા સાધનો નો ઉપયોગ કરવામાં આવયો હતો જેના કારણે ગણતરી ઝડપી અને વાસ્તવિક બની અને સિંહોને માટે ખાસ શિકાર મુકવી જરૂર ન પડી અને તેમછતાં દરેક સિંહને ઓળખી ગણતરી થઇ શકી. સિંહો ની ગણતરી માં વધારો દર્શાવતું ટેબલ જેમાં સાસણ ગીરમાં સમવેશ કરાયેલા જીલ્લાઓ જુનાગઢ , અમરેલી , ભાવનગર , ગીર સોમનાથ માં સિંહોની સંખ્યા છેલ્લી ગણતરી નીચેહ મુજબ હતી. 1 Junagadh       268 2 Amreli            174 3 Bhavnagar      037 4 Gir Somnath   044 TOTAL               523 નોંધ : તમામ આંકડાકીય માહિતી વન વિભાગ દ્વારા પ્રકાશીત થાય છે,
WSON Team
2015 માં કરવામાં આવેલ સિંહોની વસ્તી ગણતરી મુજબ અને એ પહેલા ની સિંહોની વિગત નીચે મુજબ છે જે દર્શાવે છે કે સમયાન્તરે સિંહોન ની સંખ્યામાં વધારો થતો જાય છે. સિંહ પ્રજનન કાર્યક્રમ અને સિંહોની વસ્તી ગણતરી વર્ષ     સંખ્યા        નર:માદા:બચ્ચાં    વધારો/ઘટાડો 1968   177                –                          – 1974   180                –                        +3 1979   205          76:100:85                +25 1984   239          88:100:64                +14 1990   284          82:100:67                +45 1995   304          94:100:71                +20 2000   327                –                        +43 2005   359                –                        +23 2010   411          97:162:152              +52 2015   523         109:201:213             +112 2020   674         (કોરોના મહામારીને કારણે વર્ષ 2020માં કરેલ કામ ચલાવ ગણતરીના આધારે) સિંહ પ્રજનન કાર્યક્રમ અંતર્ગત સિંહોના પ્રજનન અને પ્રજનન કેંદ્રોના દેખભાળ કરવાનું કાર્ય કરવામાં આવે છે. અશિયાઈ સિંહોની વર્તણૂકનો અભ્યાસ અને કૃત્રીમ વીર્યસચન જેવા કાર્યો પણ આ કાર્યક્રમ અંતર્ગત હાથ ધરાય છે. આવું એક કેન્દ્ર જુનાગઢ સક્કરબાગ પ્રાણીબાગમાં આવેલું છે. જેણે લગભગ 180 જેટલા સિંહોનું સફળતાપૂર્વક સંવર્ધન કરાવ્યું છે. આ કેંદ્ર દ્વારા ભારતના અને વિશ્વના સમગ્ર પ્રાણીબાગોમાં 126 શુદ્ધ અશિયાઈ સિંહો મોકલાવ્યાં છે.
WSON Team
રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સાસણ ની અહંમ ભૂમિકા : એશીયાઇ સિંહોનો મુખ્ય આવાસ અને વસવાટ ખુલ્લો વગડો અને ઝાડી ઝાંખરા વાળો વનપ્રદેશ છે. આ સિંહો એક સમયે ઉત્તર આફ્રિકા, નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) એશિયા અને ઉત્તરીય ગ્રીસમાં પણ જોવા મળતા હતા. હાલમાં અહીંયા 523 જેટલા એશિયાઇ સિંહો જ જંગલમાં બચ્યા છે, જે ફક્ત ગીરના જંગલ અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. આમ તો જોકે ગીરનું જંગલ સારી રીતે રક્ષીત છે, છતાં ક્યારેક સિંહોના શિકારની ઘટનાઓ જાણવા મળે છે. તે ઉપરાંત પાલતુ પશુઓ પરનાં હુમલાના કારણે વીજળી શોક આપવાની ઘટનાઓ પણ બને છે. ક્યારેક અકસ્માત , જળપ્રલય, આગ, મહામારીઓ કે અન્ય કુદરતી આપદાઓ પણ તેમને નુકશાન પહોંચાડે છે. આમ છતાં ગીર ઉદ્યાન તો પણ સિંહોને માટે લાંબા સમય સુધી અસ્તીત્વ ટકાવી રાખવા માટેનું શ્રેષ્ઠ સ્થળ બનેલું છે.
WSON Team
જંગલોનો કટાઈ ના કારણે હાલમાં ઘણી વખત સિંહો માનવ વસ્તિ સુધી પહીંચી જાય છે અને માનવભક્ષી પણ બની ગયા છે. જેથી વન વિભાગ હવે માનવભક્ષી સિંહોને પાંજરે પૂરી રહ્યું છે જો કે આ પાછળ સિંહો કરતા માનવ વધુ જવાબદાર છે કારણકે માનવ પોતાના ભૌતિક જીવન માટે આવાસો , હોટેલ અને રિસોર્ટ બનાવવા જંગલો કાપી રહ્યું છે. ખનન દ્વારા હવાનું અને ધ્વનિનું પ્રદુષણ ફેલાવી રહ્યું છે. જે વન્યજીવોના જીવન માટે ખતરારૂપ છે. એક તરફ સિંહો અને અન્ય પ્રજાતિઓના સંવર્ધન માટે સતત પ્રયાસો હાથ ધરી રહ્યાછે. તો બીજી તરફ માનવ તેમના જીવન માં ખલેલ પહોંચાડી રહ્યા છે. સિંહોના ગેરકાયદેસર લાયન શો પણ સિંહોના જીવન માટે જોખમી સાબિત થયા છે જીવ બચાવવા જંગલનો રાજા દોડતો હોય ત્યારે લાચાર લાગે છે. આવા ગેરકાયદેસર લાયન શો અને સિંહ ને હેરાન કરતા લોકોને રોકવા કડક કાયદાના અમલની જરૂર છે જેથી ભવિષ્યમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોઈ શકાય.

જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓની સંખ્યામાં ઘટાડો

સમય બદલવાની સાથે વન વિભાગ આધુનિક ટેકનોલોજી અને માનવ બળે સિંહના શિકાર અને તેની પજવણીની ઘટનાઓ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો છે. વન વિભાગના કર્મચારી અને અધિકારીઓને સિંહોની સુરક્ષા માટે હથિયાર સહિત આધુનિક કહી શકાય તેવાત વાયરલેસ ટેકનોલોજી સભર વાહનો, સિંહોને રેડિયો કોલર, CCTV કેમેરા અને 24 કલાક સતત જંગલના એક એક રસ્તા પર નજર રાખતા વન વિભાગના કાર્યનિષ્ઠ કર્મચારીઓને કારણે 2008 બાદ સિંહોના શિકારની એક પણ ઘટના કે ગતિવિધિ સામે આવી નથી. આગામી દિવસોમાં વન વિભાગ ટેકનોલોજીના સહારે સિંહોની સુરક્ષાને લઇને વધુ કેટલાક પગલાં ઉઠાવવા જઈ રહી છે, જેને કારણે જંગલના રાજા સિંહની સુરક્ષા વધુ ચોક્કસ બની શકશે. સાસણ નજીક પણ સિંહોની સુરક્ષા અને તેની ગતિવિધિ પર 24 કલાક નજર રહી શકે તેમજ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર થતા પ્રવેશને રોકી શકાય તે માટે કંટ્રોલ યુનિટની પણ સ્થાપના કરવામાં આવી છે. જેના થકી જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર વ્યક્તિઓની સંખ્યામાં પણ ખુબજ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગિરના જંગલમાં એક સમયે જંગલના રાજા સિંહનું અસ્તિત્વ સંકટમાં જોવા મળતું હતું. વર્ષ 1910 અને 1911ના વર્ષમાં ગીર વિસ્તારમાં 2 આંકડામાં કહી શકાય તેટલા જ સિંહો જોવા મળતા હતા, તેને ધ્યાને રાખીને જૂનાગઢના નવાબે સિંહોના શિકાર પર પ્રતિબંધ ફરમાવીને શિકાર જેવી ગતિવિધિઓમાં શામેલ થનાર પ્રત્યેક વ્યક્તિને મરણતુલ્ય સજા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી, ત્યારથી સિંહોની સુરક્ષા ગીરમાં વધતી જોવા મળી અને વર્ષ 1911માં સિંહોને સુરક્ષિત કરવાના પ્રોજેક્ટની સૌપ્રથમ વખત શરૂઆત કરનાર જૂનાગઢના નવાબ હતા. આ બાદ સિંહોની સંતતિને સતત વધારવા માટે રાજ્યનો વનવિભાગ સતર્ક બન્યો અને દિવસેને દિવસે સિંહોની સુરક્ષા અને જંગલ વિસ્તારને નુકસાન જેવી ઘટનાઓ ખુબ જ ઓછી બનવા પામી છે. આજે ગીરમાં સિંહોની સંખ્યા અત્યાર સુધીની સૌથી સર્વોચ્ચ જોવા મળી રહી છે.