ચોમાસામાં ગુજરાતનો આ વોટર ફોલ બન્યો પ્રવાસીઓનું ફેવરિટ ટુરિસ્ટ સ્થળ
માંડવીના દરિયાકિનારે સૌપ્રથમ વખત દુર્લભ દરિયાઈ જીવ ‘સી સ્લગ’ જોવા મળ્યુંં

કચ્છની દરિયાઇ જીવસૃષ્ટિની ખુબ જ ઓછી માહિતી અને ખૂબ જ ઓછો અભ્યાસ જોવા મળે છે, ત્યારે અમે લોકો વારંવાર અભ્યાસ માટે દરિયાકાંઠે જતાં હોઈએ છીએ ત્યારે અમને ગત ડિસેમ્બરમાં આવી જ એક રૂટિન ફિલ્ડમાં અમને એક અતિ દુર્લભ અને અતિ સુંદર દરિયાઈ ગોકળગાયની પ્રજાતિ જોવા મળી છે. આ ગોકળગાય સામન્ય ગોકળગાય જેવી જ હોય છે પરંતુ તેની પર શંખ નથી હોતું. આ ગોકળગાયની વિશેષતા એ છે કે, આ ગોકળગાય સમગ્ર વિશ્વમાં ફક્ત અને કફત ગુજરાતમાં જોવા મળે છે અને તેમાં પણ ફક્ત કચ્છના અખાતમાં જોવા મળે છે. નોંધનીય વાત એ છે કે, આજના ઝડપી યુગમાં આ દુર્લભ પ્રજાતીનું અસ્તિત્વ જોખમમાં કહેવાય ત્યારે લોકોને ખાસ અપીલ છે કે જો તેમને કોઈ પણ જાતનું દરિયાઈ જીવ મળે તો તેની હાની પહોંચાડવી નહીં.
ગુજરાતના આ ઝુ(Zoo)એ કોરોના કાળ સમયે પણ 1 કરોડ 96 લાખ જેટલી કમાણી કરી
વર્ષ 2020-2021માં કાંકરીયા ઝૂ માં 8,84,050 જેટલા મુલાકાતીઓ આવ્યા
અમદાવાદમાં તહેવારોમાં કાંકરીયા અને રિવરફ્રન્ટ સહિત અનેક સ્થળો લોકો માટે ખુલ્લા રાખવામા આવ્યા હતા જેમાં કાંકરિયામાં લોકોની ભીડ જોવા મળી હતી. કોરોનાકાળ બાદ કાંકરીયા પણ લોકોએ મુલાકાત લીધી હતી. જેમાં કાંકરિયામાં પણ કોરોના કાળ પછી સારી એવી આવક થઈ છે. કાંકરિયાની વર્ષ 2020- 2021 ની આવક જોઈએ તો 1 કરોડ 96 લાખ 26 હજાર 912 રૂપિયા જેટલી આવક થઈ છે. જેમાં નોક્ટરનલ ઝૂ, બાલ વાટિકા, વોટરપાર્ક, નગીનાવાડી, ફ્રેંડ્સ ઓફ, પાર્કિંગ, બટરફલાય, ગ્લાઈડર રાઇડ્સ, અને નભો દર્શન ઉપરાંત અન્ય આવક સાથે જોઈએ તો કોરોના કાળમાં કાંકરીયા ને આટલી આવક થઈ છે. કાંકરીયા ઝૂ રાજ્યનું સૌથી મોટું ઝૂ ગણવામાં આવે છે. જૂનાગઢના સક્કરબાગ અને અમદાવાદનાં કાંકરીયા ઝૂ આ 2 મોટા ઝૂ રાજયમાં છે જેમાં વન પ્રાણીઓ, ડોમેસ્ટિક પ્રાણીઓ અને પક્ષીઓ અને સરિસૃપ જીવો પણ છે. આ ઉપરાંત બટરફલાય ગાર્ડન પણ છે આ તમામની મુલાકાત તહેવારો અને કારોના બાદ જ્યારે ઝૂ ખૂલ્યા ત્યારે અમદાવાદ વાસીઓએ મુલાકાત લીધી છે. પાછળના એક વર્ષની આવક જોઈએ તો વર્ષ 2020 થી 2021 થી ઝૂ માં 2972830 નોક્ટરનલ ઝૂ 1406900…બાલવાટિકા 144220 નગીનાવાડી 1499041 ફ્રેંડ્સ ઓફ 328400 પાર્કિંગ 168102 બટરફલાય 384300 અન્ય આવક 30433 બેટરી પાર્ક 30586 કુલ 1 કરોડ 96 લાખ 26 હજાર 912 તો બીજી તરફ કોરોનાકાળ બાદ કાંકરીયા ખૂલતાં મુલાકાતીઓની સંખ્યા માં વધારો થઈ ગયો છે. ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2020- 2021 માં આવનાર મુલાકાતીઓ જોઈએ તો ઝૂમાં 477615 નોક્ટરનલ ઝૂ 313600 બાળવાટિકા અને મ્યુઝિયમ 51915 બટરફ્લાય 40920. એટલે કે વર્ષ દરમિયાન 884050 મુલાકાતીઓ આવ્યા છે. આ વિષે વાત કરતાં કાંકરીયા ડાયરેક્ટર ડોકટર આર કે શાહુ એ જણાવ્યુ હતું કે કાંકરિયામાં કોરોના પહેલી લહેર બાદ કાંકરિયા ઝૂ ખોલવામાં આવ્યું હતું જેમાં તરત જ બીજી લહેર આવતા તેને બંધ કરવામાં આવ્યું હતું. જોકે બીજી લહેરની પિક ઓછી થતાં સરકારે નિયંત્રનો હળવા કર્યા ત્યારથી કાંકરિયામાં રોજના 2 હજાર જેટલા મુલાકાતીઓ આવે છે. તહેવારોમાં કાંકરીયા ખુલ્લુ રાખતા આશરે 5 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી છે.હવે ગુજરાતના આ પ્રકૃતિ ઉદ્યાનમાં સફેદ વાઘ, સિંહ અને દીપડાને મુક્ત વિહરતા નિહાળી શકાશે
બિલાડી કુલના વન્યજીવોમાં હવે ઓપન-ટુ-સ્કાય પ્રકારના આધુનિક આવાસ બનાવાયા
ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના પ્રાણી સંગ્રહાયલ ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે ‘ઓપન મોટ’ પ્રકારના આધુનિક આવાસો તૈયાર કરાયા છે. આ આવાસોનું લોકાર્પણ આજરોજ વન મંત્રી ગણપત વસાવાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે વન રાજય મંત્રી રમણ પાટકર પણ ઉપસ્થિત રહ્યા હતા. એશિયાઈ સિંહો ગુજરાત જ નહિ, સમગ્ર દેશનું ગૌરવ છે, તેવું કહી વન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, તે પ્રકારે વાઘ અને દિપડા પણ આપણું ગૌરવ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનમાં માણસોની ચિંતા સાથે સાથે વન્ય અને અન્ય પ્રાણીઓની પણ ચિંતા કરાય છે. જેની ફલશ્રૃતિ રૂપે આજે ગાંધીનગરના આંગણે રૂપિયા બે કરોડથી વધુના ખર્ચે વન્ય જીવ એવા સિંહ, વાઘ અને દિપડા માટે ઓપન મોટ પ્રકારના આવાસોનું નિર્માણ કરાયું છે. તેમજ રાજય સરકારના કરૂણા અભિયાનની પણ માહિતી આપી હતી. રાજયના પાટનગરમાં વધુ એક જોવાલાયક સ્થળ અને લોક આકર્ષણનું કેન્દ્ર ઇન્દ્રોડા પાર્ક બનશે, તેવું કહી વન મંત્રી વસાવાએ ઓપન મોટ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ ‘‘ઓપન મોટ’’ પ્રકારના આવાસો તૈયાર કરાયા છે. જેમાં પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કરી આવાસોને આબેહૂબ નૈસર્ગિક બનાવાયા છે. આ આવાસોમાં મુખ્યત્વે વન્યજીવોને આરામ કરવાના ગઝેબો, પથ્થરની ગુફાઓ, પાણીના ઝરણા, નાના તળાવ, રેમ્પ અને સ્ટેજ પણ તૈયાર કરાયા છે. જેથી વન્યજીવોને પોતાના નૈસર્ગિક આવાસમાં જ રહેતા હોવાની અનુભૂતિ થાય. એટલું જ નહિ મુલાકાતીઓ માટે ખાસ ગેલેરી તથા પથ બનાવી આ આવાસોની અંદર તથા બહાર ઘનિષ્ઠ વનિકરણ કરી કુદરતી ઓપ અપાયો છે. વસાવાએ જણાવ્યું હતું કે, રાજય સરકારના ક્લિન ગુજરાત, ગ્રીન ગુજરાત બનાવવાના સંકલ્પ ને સાકાર કરવા માટે વન વિભાગ દ્વારા રાજયમાં ૧૦ કરોડથી વધુ રોપાઓનું વિતરણ સામાજિક વનીકરણ અંતર્ગત કરાયું છે. આજે રાજયમાં જંગલ વિસ્તાર સહિત રાજયમાં વૃક્ષોની સંખ્યામાં વધારો થયો હોવાનું કહી લોકોમાં વૃક્ષારોપણ અંગે જાગૃત્તિ આવી છે, તેનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો. આ અવસરે વન રાજય મંત્રી રમણ પાટકરે જણાવ્યું હતું કે, ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પ્રાણીસંગ્રહાલયમાં રાજ્યના વનવિભાગના સહયોગથી વન્યજીવોના અદ્યતન આવાસોનું નવનિર્માણ કરાયું છે. આવાસોમાં મુલાકાતીઓ વન્યજીવોને કુદરતી અવસ્થામાં નિહાળી શકશે. જેનો લાભ ઉદ્યાનની મુલાકાતે આવનાર દેશ-વિદેશના પર્યટકો તથા ગાંધીનગરની પ્રકૃતિપ્રેમી જનતાને થશે. ગીર ફાઉન્ડેશનના નિયામક યુ.ડી.સિંઘે જણાવ્યું હતું કે, વન અને પર્યાવરણ વિભાગ હેઠળના ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણીસંગ્રહાલયમાં સસ્તન, સરિસૃપ અને વિહંગ કુળના અલગ અલગ પ્રકારના વન્યપ્રાણીઓ-પક્ષીઓ રખાયેલા છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તેના ડાયનાસોર અને ફોસીલ પાર્ક, અર્થ સેક્શનના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારના છોડ, ક્ષુપ, વેલા અને વનસ્પતિઓ ધરાવતો વૈજ્ઞાનિક પદ્ધતિએ તૈયાર કરાયેલો બોટનિકલ ગાર્ડન પણ છે. જેનું કેક્ટસ ગાર્ડન એક અનેરૂ આકર્ષણ ધરાવે છે. પ્રતિ વર્ષ 6 લાખ જેટલા મુલાકાતીઓ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત લેતા હોય છે. તેમજ ગીર ફાઉન્ડેશન પારિસ્થિતિકીય શિક્ષણ અને સંશોધનના કાર્યક્ષેત્રમાં પણ કાર્યરત છે. મંત્રી ગણપત વસાવા અને રમણ પાટકરના હસ્તે ‘ઓપન મોટ’ને ખુલ્લો મુક્વામાં આવ્યો હતો. તેમજ સિંહ, વાધ અને દિપડા ના અધતન આવાસોમાં મુક્ત મને ફરતા હતા, તેનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે ઇન્દ્રોડા સંકુલમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં બિલાડીકુળના વન્યજીવ બે સફેદ વાઘ (નર અને માદા) લવાયા છે. આ ઉપરાંત પ્રાણી સંગ્રહાલયમાં રખાયેલ સિંહની પ્રખ્યાત જોડી તેમજ ભારતીય ચાર દીપડાઓ (બે નર અને બે માદા)ને અદ્યતન પ્રકારના ઓપન મોટ આવાસોમાં રખાયા છે. જેથી તેમને ઓપન-ટુ-સ્કાય પ્રકારના આધુનિક આવાસમાં મુક્ત વિહરતા નિહાળી શકશે.જાણો, ઈન્દ્રોડા ડાયનાસોર નેચર પાર્ક અને ફોસિલ પાર્કના ઇતિહાસ વિશે
World Lion Day 2021: ગીરના એશિયાટીક સિંહ ( Asiatic Lion ) ભારતનું ગૌરવ
એક સમયે લુપ્ત થતી એશિયાટીક સિંહોની પ્રજાતિ આજે 600 કરતા પણ વધુ છે.
એશિયાટિક લાયન ભારત દેશની પહેચાન છે. એક સમયે નોર્થ આફ્રિકા યુરોપ અને એશિયામાં જોવા મળતા એશિયાટિક લાયન હવે માત્ર ભારતના ગુજરાતમાં આવેલા સાસણ ગીર માં જ બચ્યા છે. એકસમયે લુપ્તથવાના આરે આવેલ એશિયાટિક લાયનનું સંવર્ધન અને સુરક્ષાના પ્રયાસો સતત ચાલેછે. વર્ષ 1911 બાદ ગીરમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થયો છે 1911 પહેલા ગીરમાં સિંહનો શિકાર સામાન્ય વાત હતી આવી પરિસ્થિતિમાં સિંહોની સંતતિ સંકટગ્રસ્ત બની ગઈ હતી ત્યારે જૂનાગઢ નવાબ મહોબતખાન ત્રીજાના સહકારથી સિંહોને ગીરમાં ફરી નવજીવન મળ્યું છે, ત્યારે ગીરમાં શિકાર જેવી તમામ ગતિવિધિઓ પર અંકુશ આવે તે માટે વન વિભાગ આધુનિક ટેકનોલોજી અને હથિયારના સહારે તેમજ જંગલમાં પગપાળા પેટ્રોલિંગ કરીને પણ સંભવિત શિકાર કે ગેરકાયદેસર સિંહ દર્શનની તમામ ગતિવિધિઓ પર અંકુશ મેળવવામાં સફળતા મળી છે. વર્ષ 2018માં આ જ પ્રકારના ગુનામાં શામેલ કેટલાક આરોપીને જેલની સજા પણ કરાવવામાં વન વિભાગ સફળ રહ્યું હતું.







જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓની સંખ્યામાં ઘટાડો
સમય બદલવાની સાથે વન વિભાગ આધુનિક ટેકનોલોજી અને માનવ બળે સિંહના શિકાર અને તેની પજવણીની ઘટનાઓ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો છે. વન વિભાગના કર્મચારી અને અધિકારીઓને સિંહોની સુરક્ષા માટે હથિયાર સહિત આધુનિક કહી શકાય તેવાત વાયરલેસ ટેકનોલોજી સભર વાહનો, સિંહોને રેડિયો કોલર, CCTV કેમેરા અને 24 કલાક સતત જંગલના એક એક રસ્તા પર નજર રાખતા વન વિભાગના કાર્યનિષ્ઠ કર્મચારીઓને કારણે 2008 બાદ સિંહોના શિકારની એક પણ ઘટના કે ગતિવિધિ સામે આવી નથી. આગામી દિવસોમાં વન વિભાગ ટેકનોલોજીના સહારે સિંહોની સુરક્ષાને લઇને વધુ કેટલાક પગલાં ઉઠાવવા જઈ રહી છે, જેને કારણે જંગલના રાજા સિંહની સુરક્ષા વધુ ચોક્કસ બની શકશે. સાસણ નજીક પણ સિંહોની સુરક્ષા અને તેની ગતિવિધિ પર 24 કલાક નજર રહી શકે તેમજ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર થતા પ્રવેશને રોકી શકાય તે માટે કંટ્રોલ યુનિટની પણ સ્થાપના કરવામાં આવી છે. જેના થકી જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર વ્યક્તિઓની સંખ્યામાં પણ ખુબજ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગિરના જંગલમાં એક સમયે જંગલના રાજા સિંહનું અસ્તિત્વ સંકટમાં જોવા મળતું હતું. વર્ષ 1910 અને 1911ના વર્ષમાં ગીર વિસ્તારમાં 2 આંકડામાં કહી શકાય તેટલા જ સિંહો જોવા મળતા હતા, તેને ધ્યાને રાખીને જૂનાગઢના નવાબે સિંહોના શિકાર પર પ્રતિબંધ ફરમાવીને શિકાર જેવી ગતિવિધિઓમાં શામેલ થનાર પ્રત્યેક વ્યક્તિને મરણતુલ્ય સજા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી, ત્યારથી સિંહોની સુરક્ષા ગીરમાં વધતી જોવા મળી અને વર્ષ 1911માં સિંહોને સુરક્ષિત કરવાના પ્રોજેક્ટની સૌપ્રથમ વખત શરૂઆત કરનાર જૂનાગઢના નવાબ હતા. આ બાદ સિંહોની સંતતિને સતત વધારવા માટે રાજ્યનો વનવિભાગ સતર્ક બન્યો અને દિવસેને દિવસે સિંહોની સુરક્ષા અને જંગલ વિસ્તારને નુકસાન જેવી ઘટનાઓ ખુબ જ ઓછી બનવા પામી છે. આજે ગીરમાં સિંહોની સંખ્યા અત્યાર સુધીની સૌથી સર્વોચ્ચ જોવા મળી રહી છે.