સાસણ ગીર: પ્રથમ ઘટના સિંહ બાળની માતા નક્કી કરવા DNA સેમ્પલ લેવાયા

ગીર અભયારણ્યમાં પ્રથમ વખત સિંહના ડી.એન.એ લેવાયા છે. બાળ સિંહોની માતા નક્કી કરવા ડીએનએ લેવામાં આવ્યા છે. વિસાવદરના વીરપુર નજીક ત્રણ સિંહબાળ રેઢા મળી આવ્યા હતા. આ સ્થળ નજીક સિંહણે બાળકનો શિકાર કર્યો હતો. બાદમાં આ સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી હતી. તો સિંહણને તેના બાળસિંહ સાથે મિલન ન કરાવાતા પ્રકૃતિ પ્રેમીઓએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી હતી. ત્યારે આ સિંહ બાળ તે જ સિંહણના બચ્ચા છે કે કેમ તે જાણવા ડીએનએ ટેસ્ટ કરાયો છે. હાલમાં બાળ સિંહોને સક્કરબાગમાં રાખવામાં આવ્યા છે. તો બાળકનો શિકાર કરનાર સિંહણને હવે પરત રેવન્યુ વિસ્તારમાં છોડી દેવાઇ છે.

જાણો, ગુજરાતનું આ તળાવ વિદેશી પક્ષીઓ માટે તીર્થ સ્થળ સમાન

ભારત એ સેન્ટ્રલ એશિયન ફ્લાય વે નો ભાગ છે એટલે યુરોપિયન, મોંગોલિયન સહિતના યાયાવર પક્ષીઓ ભારતના મહેમાન બને છે. વિદેશી પક્ષીઓના આગમનથી વઢવાણા વેટલેન્ડ ખાતેકુદરતી સૌંદર્યનો નજારો જાેવા મળી રહ્યો છે. વઢવાણા વેટલેન્ડ રામશર એરિયા માટે ક્વોલીફાય થઇ શકે તેવી તમામ બાબતો છે. વઢવાણા તળાવ ખાતે તા.1 જાન્યુઆરીથી અહિંયા પક્ષી ગણતરીની કામગીરી યોજવામાં આવી છે. ભારત એ સેન્ટ્રલ એશિયન ફ્લાય વે નો ભાગ છે એટલે યુરોપિયન, મોંગોલિયન સહિતના યાયાવર પક્ષીઓ ભારતના મહેમાન બને છે. વિદેશી પક્ષીઓના આગમનથી વઢવાણા વેટલેન્ડ ખાતેકુદરતી સૌંદર્યનો નજારો જાેવા મળી રહ્યો છે. વઢવાણા વેટલેન્ડ રામશર એરિયા માટે ક્વોલીફાય થઇ શકે તેવી તમામ બાબતો છે. વડોદરા વન ખાતાના વન્ય જીવ વિભાગ દ્વારા દર વર્ષે પક્ષી ગણતરી કરવામાં આવે છે. માર્ચ સુધી વિદેશી પક્ષીઓ વઢવાણા વેટલેન્ડને પોતાનું ઘર બની વસવાટ કરે છે. સ્થાનિક લોકો પણ પૂરતો સહકાર પૂરો પાડી આ સમયગાળા દરમિયાન માછીમારી કરતા નથી આમ તેઓ પણ આ બાબતે જાગૃત્ત છે. વઢવાણા વેટલેન્ડને રામશર સાઇટ જાહેર કરવા માટે હાલ વન વિભાગ અને વન્ય જીવ વિભાગ સતત પ્રયત્નશીલ છે. પ્રવાસીઓને પક્ષીજગતની વિશાળ સૃષ્ટિ વિશે ખ્યાલ આવે અને કેટલાય પક્ષીઓનો પરિચય થાય તે માટે પણ વન વિભાગે કવાયત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વઢવાણા વેટલેન્ડ ભારતના મહત્વના વેટલેન્ડમાં સમાવિષ્ટ છે જ પરંતુ હવે આ જગ્યા રામસર સાઈટ જાહેર થાય એવા વન વિભાગ અને વન્ય જીવ વિભાગના પ્રયત્નો છે.

અરબી સમુદ્રના કિનારે છે ઐતિહાસીક ‘મુળદ્વારકા’

0

કુદરતે આપેલા નેચરલ ટ્રેઝરમા આ સ્થળ હજુ સુધી અજાણ્યા જેવુ જ રહ્યું  છે.

જો તમે નેચર અને ઈતિહાસમા રસ ધરાવો છો તો સૌરાષ્ટ્રનો અરબી સમુદ્ર કિનારો તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. અરબ સાગરના કાંઠે આવુજ એક રસપ્રદ ડેસ્ટીનેશન આવેલુ છે ‘મુળદ્વારકા’ ગીરસોમનાથ જિલ્લાને કુદરતે આપેલા નેચરલ ટ્રેઝરમા આ સ્થળ હજુ સુધી અજાણ્યા જેવુ જ રહ્યું  છે. સોમનાથથી દિવ જતા કોડીનાર શહેર પાસે આ સ્થળ આવેલુ છે. સોમનાથથી 51 કિ.મી. અને દિવથી 45 કી.મી. જેટલુ અંતર મુળદ્વારકાનુ થાય છે. હવે વાત અહીના ઐતિહાસિક મહત્વની  મુળદ્વારકા એ દ્વારકા પહેલા ભગવાન શ્રીકૃષ્ણ એ વસાવ્યુ હોવાની વાયકા છે.અહી આર્કીયોલોજી ઓફ ઈન્ડિયાના સંરક્ષીત આર્કિટેક્ચરોમા સામાવિષ્ટ મંદીર છે.
WSON Team
આ મંદીરને 10મી સદીની આસપાસ સોલંકી રાજાઓએ બંધાવ્યુ હોવાનો ઈતિહાસ છે.મંદીર દ્વારકાધિશનું  છે જેનો મુળ ઢાચો સંરક્ષીત છે. આ મંદિર સાથે લોક વાયકો અને ઘણો જુનો ઈતિહાસ પણ જોડાયેલો છે. આ મંદિર રાધા કૃષ્ણનું સદીઓ જુનુ મંદિર હોવાનું લોકો માની રહ્યા છે. મંદિરની ડિઝાઈન લગ્ન મંડપની ચોરી જેવી છે.મંદીરની નીચે એક ગુપ્ત ભોયરૂ આવેલું છે. વાયકાઓ મુજબ આ ભોયરૂ દ્વારકામા નિકળે છે પણ હાલ તે બંધ છે.  મુળદ્વારકાજ ભગવાન શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા હતુ એવુ ઈતિહાસકારોનુ માનવુ છે. ઈતિહાસમા અને ધર્મમાં રસના પડતો હોય તો પણ જો તમે દિવથી સોમનાથ અહીયા પહોચવા માટે બાય રોડ અમદાવાદ અને વડોદરા તેમજ સુરતથી ટ્રેન અને બસમા વેરાવળ અથવાતો કોડીનાર સુધી પહોચવુ ટ્રેન વેરાવળ સુધી મળે છે. જ્યારે બસ દ્વારા કોડીનાર સુધી પહોચી શકાય છે. જો પોતાનુ વ્હિકલ હોય તો વધારે સુવિધા રહેશે. આ પ્રચલિત સ્થળ ન હોવાના કારણે અહીયા ખાસ ખાવા પીવાની ચીજો નથી મળતી માટે સાથે અનુકુળ આવે તેવો ખોરાક લઈ જવો જોઈએ.
WSON Team
તમે વેરાવળ અથવા દિવમા રાત્રી રોકાણ હોટેલમાં તમારા બજેટને અનુકુળ કરી શકો છો. મુળદ્વારકાનો દરીયા કિનારો વિશાળ અને રમણીય છે. સ્થાનિક બીચની વ્યાખ્યામા ન આવે છતા નજીકમા નાહવાની મજા લઈ શકાય.ખડકાળ અને રેતાળ કાંઠા પર બેંન્ચીસ મુકેલી છે. જ્યા બેસીને સમુદ્રમા આવતા મોજાઓ નિહાળવાથી મજા પડે છે. કે સોમનાથથી દિવ જતા હો તો અહીનો દરીયા કિનારો માણવા લાયક છે.ટુરિઝમ સાથે કનેક્ટના હોવાના કારણે અહીં ખાસ સુવિધાઓ ઉપલબ્ધ નથી. છતા 4-5 કલાક દરીયા કિનારે બેસીને રિલેક્સ થઈ શકાય છે.
WSON Team
મુળદ્વારકાથી 30 કિમીની દુરીએ બૃહદ ગીરમા જામવાળા ગામ પાસેના જમજીર વોટર ફોલને જોવાનુ ચુકવા જેવુ નથી. કોડીનારથી અમરેલી જવાના માર્ગે જમજીરનો ધોધ આવે છે. પંચમહાલ જિલ્લાના ધોધની જેમ અહીયા કોઈ પણ સિઝનમા ન્હાવુ જોખમી છે. જમજીર ધોધ વિકરાળ ઉંડો હોવાથી ન્હાવાની પરવાનગી નથી પણ ઉંચેથી પછડાતુ ગીરની શિંગોડા નદીનુ પાણી અને લિલૂછમ ગીર તમને સિટી લાઈફના સ્ટ્રેસથી ચોક્કસપણે રીલેક્સ કરશે. જોકે આ વિસ્તાર સાવજની અવર જવર ધરાવતો હોવાથી વનવિહાર કરતા સાવજ જોવા મળી શકે છે. તો આવો નેકસ્ટ ટ્રીપમા નેચરને માણો.જમજીરથી દિવ 63 કીમી દુર થસે જ્યારે સોમનાથ 82 કિમી દુર છે.જો તમે આ બન્ને સ્થળો પર ફરવા આવો તો મુળદ્વારકા અને જમજીરને અચુક નિહાળજો

લાંબી જીભ ધરાવતું પક્ષી ટોની ફ્રોગમાઉથ

આ પક્ષી ટોની ફ્રોગમાઉથ તરીકે ઓળખાય છે. આ પક્ષી મુખ્યત્વે ઓસ્ટ્રેલિયાનું પક્ષી છે. આ પક્ષીની મજાની વાત એ છે કે તે ફ્રોગમાઉથ જાતિનું હોવા છતાંય ઘણા લોકો તેને તેના દેખાવના કારણે ઘુવડ જ સમજે છે. ટોની ફ્રોગમાઉથ ઓસ્ટ્રેલિયાના મોટાભાગના વિસ્તારોમાં પ્રખ્યાત છે. તે દરેક ૠતુમાં દેખાતું પક્ષી છે. પક્ષીઓની એક લાક્ષણિકતા એ હોય છે કે મોટાભાગના પક્ષીઓ જીભ નથી ધરાવતા હોતા. જયારે ટોની ફ્રોગમાઉથનું ઉલટું છે. તે પક્ષી હોવા છતાંય તે મોટી જીભ ધરાવે છે. વળી ટોની ફ્રોગમાઉથના મુખની રચના એ મુજબ છે કે તેની ચાંચને ઉપરથી જોતા દેડકા જેવા આકારનું લાગે છે. ટોની ફ્રોગમાઉથનું નામ પણ આ કારણે જ ફ્રોગમાઉથ રાખવામાં આવ્યું છે. કારણ કે તે દેડકા જેવી દેખાતી ચાંચ ધરાવતા હોય છે. ટોની ફ્રોગમાઉથની બીજી ખાસીયત એ છે કે તે કાંચિડાની માફક પોતાના શિકારને જીભ લાંબી કરીને પકડી શકે છે. ટોનીનું મુખ્ય ભોજન જીવડા છે. તે ઉડતા જીવડાને આજ રીતે પોતાની જીભ લંબાવીને પકડી પાડે છે. ઘુવડે જેવું દેખાતું ટોની કદમાં ઘુવડ કરતા મોટું હોય છે. તે આશરે દોઢ ફુટ લાંબુ અને એક કિલો જેટલું વજન ધરાવે છે. વળી ઘુવડની માફક ટોનીની ચાંચ પણ ઉપરના ભાગથી પીળા કલરની હોય છે. વળી ટોનીના શરીરનો કલર તદ્દન ઝાડના થડ જેવો ભુખરો હોય છે. તેના આખા શરીરે ફર હોય છે. અને દિવસ દરમિયાન થડ ઉપર બેસીને આરામ કરતું ટોની એક નજરે થડ જેવું જ લાગે છે. તે થડ જેવા તેના કલરના કારણે ઝટ દઈને નરી આંખે જોઈ શકાતું નથી. ઘુવડ જેવી જ આદતો ધરાવતું આ પક્ષી ટોની ફ્રોગમાઉથ પણ રાત્રીના સમયે પોતાના ભોજન માટે શિકાર ઉપર નિકળે છે. બીજા પક્ષીઓ પોતાના શિકાર ઉપર પગ વડે ત્રાટકે છે. જયારે ફ્રોગમાઉથ તેના શિકારને તેની જીભ વડે સંકજામાં લેતું હોય છે. ટોની ફ્રોગમાઉથનું પ્રિય ભોજન નાના-મોટા જીવડાં અને કીડા તો છે જે સાથે સાથે તે ઉંદર જેવા નાના પ્રાણીઓને પણ પોતાનું ભોજન બનાવતા હોય છે. ટોની ફ્રોગમાઉથ સ્વભાવે શાંત પ્રકૃતિ ધરાવતું પોતાની પસંદગીના ઝાડ ઉપર પોતાના પરિવાર સાથે જીવન પસાર કરે છે. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મોટાભાગે રાત્રિનો સમય પસંદ કરે છે. તેમજ સમગ્ર પરિવાર સાથે જ એકથી બીજી જગ્યા પર વિચરન કરે છે.

પક્ષીતીર્થ વઢવાણા ખાતે પક્ષીઓની નવા વર્ષના પહેલા દિવસે જ ગણતરી થશે

સમગ્ર વિસ્તારના તેર ઝોનમાં તેર ટીમ વહેચીને પક્ષીઓની ગણતરીનું આયોજન

સમયાંતરે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની અને પક્ષી તીર્થો ખાતે મહેમાન બનતા દેશી વિદેશી પક્ષીઓની , વિવિધ માપદંડો ને અનુસરીને અને બહુધા વિવિધ સાધનો દ્વારા ટોળામાં ઉડતા પક્ષીઓની સંખ્યાનો નિરીક્ષણ દ્વારા અંદાજ બાંધીને ગણતરી કરવામાં આવે છે. આ પ્રકારનો વ્યાયામ આવા કુદરતી સ્થળો ખાતે પક્ષીઓ અને પ્રાણીઓ માટે બહેતર વ્યવસ્થાઓ કરવામાં,તેમના રક્ષણ અને સંવર્ધન ની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં ઉપયોગી નીવડે છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં,વડોદરા થી અંદાજે પચાસ કિમી ના અંતરે આવેલા અને મહારાજા સયાજીરાવે બંધાવેલા શતાયુ વઢવાણા જળાશય ખાતે વન્ય જીવ વિભાગ, વડોદરા એ નાયબ વન સંરક્ષક બી.આર.વાઘેલા ના માર્ગદર્શન અને બર્ડમેન સલીમ અલી સાહેબ સ્થાપિત બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી ના ટેકનિકલ સપોર્ટ અને મ.સ. યુનિવર્સીટીના સહયોગ થી આ વર્ષના શિયાળામાં મહેમાન બનેલા પંખાળા દેવદૂતો ની ગણતરી માંડવાનું , ૨૦૨૧ ના પ્રથમ દિવસે, શુક્રવારના રોજ આયોજન કર્યું છે. ભારત સરકારે ઠરાવેલા કૉવિડ પ્રોટોકોલ ને અનુસરીને પક્ષી ગણતરી નો આ નવો અનુભવ અન્ય રીતે પણ ઉપયોગી બની રહેશે. તેના કામમાં પક્ષી અને વન્ય પ્રાણીઓ ને સમર્પિત ફોટોગ્રાફરો અને બર્ડ વોચર્સ હરહંમેશ ની જેમ સહયોગ આપી રહ્યાં છે.આ કામગીરી ને અનુલક્ષીને તા. ૧લી જાન્યુઆરી ના રોજ પ્રવાસીઓ માટે પક્ષી દર્શન બંધ રાખવામાં આવ્યું છે. વન્ય જીવ વિભાગ,વડોદરા દ્વારા પક્ષી ગણતરી ની વ્યવસ્થાઓ અને પૂર્વ તૈયારીઓ પર પ્રકાશ પાડતા બી.એન.એચ.એસ.ના સાયંટીસ્ટ ડો. ભાવિક પટેલે જણાવ્યું કે આ વર્ષે કૉવિડ ગાઈડ લાઈન ના પાલન હેઠળ આગોતરા ફોર્મ ભરાવીને આ કામનો ખૂબ સારો અનુભવ ધરાવતા હોય એવા લોકોની અને શક્ય તેટલી મર્યાદિત સંખ્યામાં પસંદગી વન્ય જીવ વિભાગ વડોદરા દ્વારા કરવામાં આવી છે અને અન્ય જરૂરી વ્યવસ્થાની સાથે સોશીયલ ડિસ્ટન્સ ના નિયમો પાળીને આ કામગીરી કરવાનું આયોજન વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. વન વિભાગના આયોજન પ્રમાણે સમગ્ર જળાશય અને પરિસર વિસ્તારને પહેલા 11 ઝોનમાં વહેંચી ને પંખી ગણના થતી હતી.આ વખતે 13 ઝોનમાં 13 ટીમો પક્ષી નિરીક્ષણ અને ગણતરી કરશે. પ્રત્યેક ટીમ માં એક સ્વયંસેવક અને 3 વન કર્મી રાખવામાં આવશે.દૂર નિરીક્ષણ યંત્રો જેવા સાધનો ઉપયોગમાં લેવામાં આવશે.સવાર અને સાંજના બે સત્રોમા ગણતરી કરશે જેના માટે પ્રત્યેક ટુકડી બે જુદાં જુદાં ફોર્મસ નો ઉપયોગ કરશે.ગણતરી નો નિષ્કર્ષ ઝડપ થી અને સચોટ મળે તે માટે ત્વરિત ડેટા એન્ટ્રી શક્ય બને એની કાળજી લેવામાં આવશે. ધુમ્મસ વધુ ના હોય તો આ કામગીરી સવારે આઠ વાગ્યે અને અન્યથા સાડા આઠ વાગે શરૂ કરવાનું આયોજન છે. કાર્યકારી મદદનીશ વન સંરક્ષક  એચ.ડી.રાઉલજી અને આર.એફ.ઓ.  ખત્રી  ના સંકલન હેઠળ વન કર્મચારીઓ યોગદાન આપશે.