જાંબુઘોડા અને રતન મહાલ અભયારણ્યોમાં પ્રવાસીઓનો પ્રવેશ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે. કોરોના ફેલાવાની સંભાવના ટાળવા માટે વન્ય જીવો તેમજ પ્રવાસીઓ ની સુરક્ષા માટેની સતર્કતાના ભાગરૂપેજ આ પગલેવામાં આવ્યું હોવાનું ડો.ધવલ ગઢવીએ જણાવ્યું હતું
WSON Team
નોવેલ કોરોના વાઇરસ એટલે કે કોવિદ 19ની અકસ્માતે ફેલાવાની કોઈપણ સંભાવનાને ટાળવા અને વન્ય જીવો તેમજ પ્રવાસીઓની સુરક્ષા માટેની સતર્કતાના ભાગરૂપે મંગળવાર તા.17 થી 29 મી માર્ચ સુધી વડોદરા વન્ય પ્રાણી વિભાગ હેઠળ આવતા જાંબુઘોડા અને રતન મહાલ અભયારણ્યોમાં પ્રવાસીઓનો પ્રવેશ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગ હેઠળની સેન્ટ્રલ ઝુ ઓથોરિટી એ તા.13 મી માર્ચે બહાર પાડેલા જાહેરનામાની જોગવાઈઓ અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.15મી માર્ચના આદેશના અનુસંધાને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
WSON Team
આ અંગે નાયબ વન સંરક્ષક ડો.ધવલ ગઢવી એ જણાવ્યું છે કે, જે પ્રવાસીઓએ ઉપરોક્ત સમયગાળામાં સંબંધિત અભયારણ્યોમાં પ્રવેશ માટે ઓનલાઇન નોંધણી કરાવીને ફી ચૂકવી દીધી છે, તેમને ચૂકવેલા ફી પરત ચુકવવામાં આવશે. તેમણે પ્રવાસીઓ અને લોકોને આ બાબતમાં ઉચિત સહયોગ આપવા અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. જોકે ગુજરાત સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ ગીર અભ્યારણ્ય સહિત રાજયના તમામ નેશનલ પાર્ક અને અભ્યારણ્યો આગામી તા. 17થી તા. 29 માર્ચ સુધી બંધ રહેશે.
કેન્દ્ર સરકારે આજે પુનઃ ખાતરી આપી છે કે ગીર જંગલમાંથી પસાર થતા રેલવે ટ્રેકનું ગેજ પરિવર્તન કરવામાં આવશે નહીં. સરકારે જણાવ્યું કે, વર્ષ 2017-18ના બજેટમાં સમાવિષ્ટ વેરવળ-તલાળા-વિસાવદર ગેજ પરિવર્તન યોજનામાં તલાળા-વિસાવદર મીટર ગેજનો સમાવેશ થાય છે. હાલના તબક્કે આ યોજના ગીર સંરક્ષિત જંગલ વિસ્તારમાંથી પસાર થતી હોવાથી જંગલ સંબંધિત મુદ્દાઓના કારણે તેને મીટર ગેજ તરીકે જ રાખવાનું નક્કી કરાયું છે. કેન્દ્રીય રેલવે અને વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા સાંસદ પરિમલ નથવાણી દ્વારા ઉઠાવાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આ માહિતી 13 માર્ચ 2020ના રોજ રાજ્યસભામાં રજૂ થયેલા નિવેદનમાં આપવામાં આવી હતી.
મંત્રી દ્વારા નિવેદનમાં જણાવાયું છે કે રેલવે દ્વારા ગીરના સિંહો જેવા લુપ્તપ્રાય પ્રાણીઓના સંરક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. રેલવે દ્વારા પ્રાણીઓના સંરક્ષણ માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે, જેમ કે, ગીરના જંગલમાં આવેલા તાલાળા-વેરાવળ સ્ટેશનો વચ્ચે ટ્રેનની ગતિ 50 કિલોમીટર પ્રતિકલાકથી ઘટાડીને 30 કિ.મી. કરવામાં આવી છે જેથી જંગલના પ્રાણીઓ જ્યારે ટ્રેક પરથી પસાર થાય ત્યારે ટ્રેનને થોભાવી શકાય. એ ઉપરાંત વન વિભાગ સાથે ઘનિષ્ઠ સંપર્ક રાખીને રેલવે ટ્રેક નજીક સિંહોના આવાગમન અંગે જાણકારી મેળવીને ટ્રેનોનું ગતિ નિયંત્રણ રાખી શકાય અને એન્જિન ડ્રાઇવરો આ મુદ્દાઓ પ્રત્યે વધુ જાગૃત અને સચેત બને તે માટે જાણકારી આપી શકાય.
પરિમલ નથવાણીએ રાજ્યસભામાં એવી પૃચ્છા કરી હતી કે તાલાળા અને વિસાવદર વચ્ચેના 72 કિલોમીટરના ગીર જંગલમાંથી પસાર થતા ટ્રેકના ગેજ પરિવર્તનના કારણે એશિયાઈ સિંહો પર કોઈ જોખમ ઊભું થશે કે કેમ? ઉપરાંત ગીરના સિંહો અને સમૃદ્ધ વન્ય જીવસૃષ્ટિને ધ્યાનમાં રાખીને સરકાર આ મીટર ગેજ રેલવે લાઇનને હેરિટેજ રેલવે લાઇન તરીકે જાળવવા માગે છે કે કેમ? ગીરના સિંહો અને અન્ય પ્રાણીઓના રેલવે ટ્રેક પર થતાં મૃત્યુને અટકાવવા માટે રેલવે દ્વારા લેવાયેલા પગલાં અંગે તેમના દ્વારા પુછવામાં આવ્યું હતું.
જંગલ વિસ્તારમાંથી માનવવસ્તીમાં આવી જતા કે માનવભક્ષી બની જતા તેમજ કોઈપણ પ્રકારે મનુષ્યને હાની પહોંચાડતા દીપડા(Lepord)ઓને હાલોલના ધોબી કુવા ગામમાં આવેલ દીપડા રેસ્ક્યુ સેન્ટર ખાતે રાખવામાં આવે છે. જયાં દીપડા(Lepord) આજીવન કેદની સજા ભોગવે છે.
વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં વસતા પ્રાણીઓ અને તેની આજુબાજુ વસવાટ કરતા લોકો માટે પણ નીતિનિયમો બનાવવામાં આવ્યા છે. જે મુજબ જો કોઈ વ્યક્તિ દ્વારા આ નિયમોનો ભંગ કરવામાં આવે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે.
WSON Team
જંગલ વિસ્તારમાં અને ખાસ કરીને મધ્ય ગુજરાતના જંગલ વિસ્તારમાં દીપડા(Lepord)ની વસ્તી વધારે છે. અવાર નવાર દીપડા(Lepord) દ્વારા માનવવસ્તિમાં આવી હુમલા કરવાની ઘટનાઓ અનેક વાર બનવા પામે છે. અને અમુકવાર તો દીપડો(Lepord) માનવભક્ષી પણ બની જાય છે. ત્યારે આવા દીપડા(Lepord)ને પકડીને આજીવન અથવા તો તેની રહેણી કરણીને ધ્યાને લઈને તેને ખુલ્લા જંગલ વિસ્તારની જગ્યાએ માર્યાદિત વિસ્તારમાં જ હરીફરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા વન વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે.
દીપડો(Lepord) તાકાતવાર પ્રાણી હોવાને લીધે તેના માટે ખાસ રેસ્ક્યુ સેન્ટર બનવવામાં આવ્યું છે. પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના ધોબીકુવા ગામમાં વનવિભાગ દ્વારા 8 દીપડા(Lepord)ને રાખી શકાય તેટલી ક્ષમતા ધરાવતું રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે. હાલ આ રેસ્ક્યુ સેન્ટર ખાતે કુલ 10 દીપડા(Lepord)ને રાખવામાં આવ્યા છે. જેમાં 5 નર અને 5 માદા નો સમાવેશ થાય છે.
WSON Team
તાજેતરમાં જ દાહોદ જીલ્લાના ધાનપુર ખાતેથી ઝડપાયેલ એક નર અને માદા એમ બે દીપડા(Lepord)ને લાવવામાં આવ્યા છે. આ રેસ્ક્યુ સેન્ટર જંગલ વિસ્તારમાં બે પહાડોની વચ્ચે બનવવામાં આવ્યું છે જેમાં માર્યાદિત વિસ્તારમાં લોખંડની બાઉન્ડ્રી બનાવવામાં આવી છે. જેથી કરીને માનવ હુમલાઓ અટકાવી શકાય. આ રેસ્ક્યુ સેન્ટરમાં વન્ય પ્રાણીઓની પુરતી સારસંભાળ લેવામાં આવે છે. જેમાં તેમના ખોરાક તેમજ સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવામાં આવે છે. અહીં લાવવામાં આવેલા દીપડા(Lepord)ઓને ફરીથી જંગલ વિસ્તારમાં છોડવા માટે નો નિર્ણય વન વિભાગની ઉચ્ચ કક્ષાની કમિટી દ્વારા તે દીપડાની રહેણી કરણીને ધ્યાને લઈને કરવામાં આવે છે.
હિંસક દિપડા(Lepord)ઓને હાલ આ રેસ્ક્યુ સેન્ટર ખાતે વર્ષ 2010થી લઈને વર્ષ 2018 સુધીમાં રાજપીપળા, વ્યારા અને બારિયા ખાતેથી રેસ્ક્યુ કરીને અહીં લાવવામાં આવ્યા હતા. આ દિપડાઓને વન વિભાગના કર્મચારીઓ દ્વારા આજે પણ ઉત્તમ કક્ષાની સાર સંભાળ લેવામાં આવી રહી છે. પરંતુ તેમની હુમલો કરવાની વૃતિને લઈને હજુ સુધી તેમને મુક્ત કરવામાં આવ્યા નથી. ત્યારે દીપડા(Lepord)ની આ જેલ સમાન રેસ્ક્યુ સેન્ટરમાં હાલ માનવભક્ષી બનેલા દીપડા આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
આજીવન કેદની સજા ભોગવી રહ્યા રહેલા માનવભક્ષી દિપડો(Lepord) પર એક નજર:
WSON Team
1) વર્ષ 2010માં વ્યારા વનવિભાગ સિંગલ ખાંચ નર્શરી નરભક્ષી માદા દિપડી(Lepord)ને લાવવામાં આવી હતી. વનવિભાગે આ માદા દિપડીનું નામ શૈલા રાખવામાં આવ્યું છે.
2) વર્ષ 2010માં બારીયા રેન્જ બારીયા વનવિભાગ દ્વારા નર દિપડા(Lepord)ને બિમાર હોવાથી લાવવામાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા નર દિપડાનું નામ રાજુ રાખવામાં આવ્યું છે.
3) વર્ષ 2010માં નર્મદા વનવિભાગ દ્વારા નર્મદા જીલ્લાના રાજપીપળાના પશ્રિચમ વિસ્તારમાંથી માનવભક્ષી માદા દિપડી(Lepord)ને લાવવામાં આવી હતી. વનવિભાગ માદા દિપડીનું નામ જુલી રાખવામાં આવ્યું છે.
4) વર્ષ 2013માં નર્મદા વનવિભાગ દ્વારા નર્મદા જીલ્લાના અનીજરા ખાતેથી માનવભક્ષી નર દિપડા(Lepord)ને લાવવામાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા નર દિવડાનું નામ રઘુ રાખવામાં આવ્યું છે.
5) વર્ષ 2014માં વ્યાર વનવિભાગ દ્વારા મેઢા ગામેથી નરભક્ષી દિપડા(Lepord)ને લાવવામાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા આ દિપડાનું નામ મહારાજા રાખવામાં આવ્યું છે.
6) વર્ષ 2015માં વનવિભાગ દ્વારા રાજગઢ રેન્જ દ્વારા કુવામાં પડી ગયેલ માદા દિપડી(Lepord)ને રેસ્કયું કરીને લાવવામાં આવી હતી. વનવિભાગ દ્વારા માદા દિપડીનું નામ રેખા રાખવામાં આવ્યું છે.
7) વર્ષ 2017માં બારીયા રેન્જ બારીયા વનવિભાગ દ્વારા ઉંડેરા ગામેથી નર દિપડા(Lepord)ને બિમાર હોવાથી લાવવામાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા નર દિપડાનું નામ બચ્ચન રાખવામાં આવ્યું છે.
8) વર્ષ 2018માં વનવિભાગ દ્વારા વેજલપુર રેન્જ સુરેલી દ્વારા કુવામાં પડી ગયેલ માદા દિપડી(Lepord)ને રેસ્કયું કરીને લાવવામાં આવી હતી. વનવિભાગ દ્વારા માદા દિપડીનું નામ જયા રાખવામાં આવ્યું છે.
9) વર્ષ 2018માં વનવિભાગ ધાનપુર રેન્જ દાહોદ દ્વારા માનવભક્ષી નર દિપડાને લાવવામાં આવ્યા હતો. વનવિભાગ દ્વારા હાલ આ નર દિપડા(Lepord)નું કોઈ નામ રાખવામાં આવ્યું નથી.
10) વર્ષ 2018માં વનવિભાગ ધાનપુર રેન્જ દાહોદ દ્વારા માનવભક્ષી માદા દિપડી(Lepord)ને લાવવામાં આવી હતી. વનવિભાગ દ્વારા હાલ આ માદા દિપડીનું કોઈ નામ રાખવામાં આવ્યું નથી.
હાલ તો આ તમામ દીપડા ને જેલ વાશ ભોગવવુંનો વારો આવ્યો છે. ત્યારે આ દીપડા(Lepord) ને ક્યારે જેલ પૂર્ણ થાય તે કહી શકાય તેમ નથી. જોકે હાલ આ તમામ દિપડા(Lepord)ઓ વનવિભાગની સારવાર અને દેખરેખ હેઠળ પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા છે..
જંબુઘોડા અભયારણ્યમાં 7 અને રતન મહાલમાં 5 મળી કુલ 12 પવનચક્કી સાથે જોડાયેલી કુંડીઓ જંગલી જાનવરોને પીવાના પાણીની સુવિધા આપે છે.
પીવાના પાણીની વ્યવસ્થા માનવ જેટલી જ પ્રાણીઓ માટે પણ અનિવાર્ય છે.એની અગત્યતા ધ્યાનમાં રાખીને રાજ્યનો વન વિભાગ અભયારણ્યો અને રક્ષિત વન વિસ્તારોમાં આકરા ઉનાળાની શરૂઆત થાય એ પહેલાં થી જ નિર્દોષ અને કુદરતની સંપદા જેવા વિવિધ પ્રકારના વન્ય પ્રાણીઓ માટે વન વિસ્તારમાં પીવાના પાણીની સમુચિત વ્યવસ્થા કરવાનું માનવીય સંવેદના સભર કામ હાથ પર લે છે. વન વિસ્તારના કુદરતી સ્ત્રોતોમાં હજુ પાણી ટક્યું છે તેમ છતાં,વન્ય પ્રાણી વિભાગ,વડોદરાએ તેના હેઠળ આવતા ૧૯૯ ચોરસ કિલોમીટર જેટલા ક્ષેત્રમાં વન્ય જીવો ઉનાળામાં તરસ્યા ના રહે એ માટેના સમુચિત પ્રબંધો શરૂ કરી દીધાં છે.
વડોદરા વન્ય પ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ની કચેરી હેઠળ જાંબુઘોડા અભયારણ્ય અને રક્ષિત વન વિસ્તારના 140 ચોરસ કિલોમીટરનો અને રતનમહાલ ના ૫૯ ચોરસ કિલોમીટર મળીને કુલ 199 ચોરસ કિલોમીટરનો આરક્ષિત વન વિસ્તાર આવેલો છે.
Social Media
આ વિસ્તારની વન્ય જીવ સંપદાની વિવિધતાની જાણકારી આપતા નાયબ વન સંરક્ષક ડો.ધવલ ગઢવી જણાવે છે કે અમારા કાર્યક્ષેત્રના વિસ્તારમાં મોટા વન્ય જીવોની વાત કરીએ તો મુખ્યત્વે રીંછ,દીપડા,ઝરખ,નીલગાય,ચોસિંગા અને શિયાળ થી નાના કદની લોંકડી મુખ્યત્વે જોવા મળે છે.તેની સાથે અમારા જંગલમાં વનિયર,જંગલ બિલાડી,નોળિયા,હનુમાન લંગૂર અને જંગલી ભૂંડ પણ છે.આ તમામને ખાસ કરીને ઉનાળામાં એમના વસવાટની સમીપ પીવાનું પાણી મળે એ માટે ચેકડેમો,કુંડીઓ અને કુંડીઓ સાથેના હેંડપંપસ બનાવ્યા છે જેમાં ઉનાળામાં પાણી ભરવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે.
ઉલ્લેખનીય બાબત એ છે કે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જંગલોમાં બોર,પવનચક્કી અને કુંડી ધરાવતી પીવાના પાણીની વ્યવસ્થા પ્રચલિત છે. ડો.ગઢવીની પહેલ થી ગયા વર્ષે પહેલીવાર મધ્ય ગુજરાતના જંગલોમાં પવનચક્કી આધારિત જળ કુંડીઓ બનાવવામાં આવી હતી અને આ પ્રયોગને સફળતા મળી છે.
Social Media
આ અંગે જાણકારી આપતાં ડૉ. ગઢવિએ જણાવ્યું કે અમારા કાર્યક્ષેત્રના જાંબુઘોડા અભયારણ્યમાં 12 અને રતન મહેલમાં 5 મળીને કુલ 17 પવન ચક્કી લગાવી હતી જે અત્યારે પણ કાર્યરત હાલતમાં છે. પવન ચક્કી આધારિત પીવાના પાણીની આ વ્યવસ્થા નો ફાયદો એ છે કે હવાથી પવન ચક્કી ચાલે છે એટલે એની સાથે જોડાયેલા બોરમાં થી પાણી આપોઆપ કૂંડીમાં ભરાય છે.અન્યથા કુંડીઓને ભરવા ટેન્કરની મદદ લેવી પડે છે.આ તમામ પવન ચક્કીઓ હાલમાં કાર્યરત હાલતમાં છે.
ઉલ્લેખનીય છે કે બહુધા વન વિભાગે શિયાળો ઉતરવાની સાથે ફેબ્રુઆરી મહિનાથી જંગલની કુંડીઓ અને ચેકડેમોમાં પાણી ભરવાનું ચાલું કરવું પડે છે. જો કે ગત વર્ષના સારા ચોમાસાને પગલે આ વર્ષે હજુ ખૂબ ઓછી જરૂર પડી છે.તેમ છતાં,કુંડીઓ ના સમારકામ જેવી પ્રાથમિક તૈયારીઓ કરી લીધી છે.અને હવે પછી જરૂર જણાતા આ જળ પ્રસ્થાપનોમાં ટેન્કર થી નિયમિત પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવશે.
Social Media
તેમણે જણાવ્યું કે જ્યાં માનવ અને વન્ય જીવો સાથે રહે છે એવા ઇકો સેન્સિટિવ વિસ્તારમાં બહુધા મુસાફરી માટે ઉપયોગમાં લેવાતી કેડીઓ ની આસપાસ હેન્ડ પંપ બનાવવામાં આવે છે.તેની સાથે કુંડીઓ પણ જોડવામાં આવે છે.આ હેન્ડ પંપોનું પાણી દિવસના સમયે ત્યાં રહેતા લોકોના ઉપયોગમાં આવે છે.અને એની જળ ભરેલી કુંડીઓ રાત્રે વન્ય જીવોની તરસ છિપાવે છે.ચેકડેમો અને કુંડીઓની સમયાંતરે નિયમિત સફાઈ કરાવવામાં આવે છે.મોટેભાગે ફેબ્રુઆરી થી શરૂ કરીને જૂન મહિનાના અંત ભાગે સારો વરસાદ થઈ જાય ત્યાં સુધી વન વિભાગ વન્ય જીવો માટે જંગલમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થાની કાળજી લે છે.
વન્ય જીવો એ આપણા જીવંત પર્યાવરણનો એક અગત્યનો ભાગ અને રાષ્ટ્રીય સંપદા છે.ગુજરાત આમેય જીવદયાને વરેલું રાજ્ય છે. પ્રાણી માત્ર માટે અનુકંપા એ આપણા લોહીમાં છે અને લોહીના એ ગુણધર્મને અનુસરીને રાજ્ય સરકાર વન વિભાગના માધ્યમ થી રાજ્યના વનોમાં ખાસ કરીને ઉનાળામાં વન્ય જીવોની તરસ છીપાવવા ના સમુચિત પ્રબંધો કરે છે.
અરબ સાગરને કિનારે વસેલા નવસારી જિલ્લાના ગામોની નજીક તેમજ અરબ સાગરમાં ડોલ્ફિન માછલીઓ જોવામાં આવતી હોય છે. પરંતુ અરબ સાગરમાંથી પૂર્ણા નદીમાં છેલ્લા થોડા દિવસોથી લોકોને આકર્ષિત કરતી ડોલ્ફિન માછલીઓ ઉછાળા મારી તરતી જોવા મળી રહી છે. હમ્પબેક પ્રજાતિની ડોલ્ફિન માછલીઓ ખાસ કરીને વસંત ઋતુ અને શિયાળામાં દક્ષિણ ગુજરાતના દરિયામાં જોવા મળે છે. જેમાં પણ આ સમયમાં ક્યારેક પ્રજનન પણ કરતી હોય છે. અગાઉ ગુજરાતના ભાવનગર, જામનગર વગેરે વિસ્તારોમાં દેખાતી ડોલ્ફિન હવે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે આરામથી ઉછાળા મારતી જોવા મળે છે.
નવસારીની પૂર્ણા નદીમાં પણ ગત ત્રણ-ચાર દિવસોથી બે હમ્પબેક ડોલ્ફિન તેના ત્રણ બચ્ચાઓ સાથે જોવા મળી રહી છે. જલાલપોરના બોદાલીથી નવસારીના વિરાવળ સુધી ભરતીના સમયે ડોલ્ફિન પૂર્ણામાં ફરી રહી છે. પૂર્ણા નદીમાં ડોલ્ફિન ફરતી હોવાની વાતો કિનારાના ગામોમાં ફેલાતા જ બપોરથી સાંજના સમયે લોક ટોળું નદી કાંઠે ડોલ્ફિનને જોવા ઉમટી પડે છે, તેમજ લોકો ડોલ્ફિનને પોતાના મોબાઈલ ફોનમાં કંડારતા પણ જોવા મળે છે. અરબ સાગરને અડીને આવેલા નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં ગત બે દિવસોથી ભરતીના સમયે બે ડોલ્ફિન માછલીઓને નદીના પાણીમાં ઉછળતી જોતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. જયારે દરિયાની ભરતીમાં ડોલ્ફિન પૂર્ણા નદીમાં ખોરાકની શોધમાં આગળ આવી ગઈ હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.