એક જમાનામાં ગુજરાતમાં વાઘ હોવાની વાતો સાચી પડી હતી. ગુજરાતમાં 27 વર્ષ પહેલા ડાંગમાં વાઘ( Big Cat) દેખાયો હતો અને ત્યાર બાદ આવરનવાર આદિવાસી વિસ્તારમાં વાઘ( Big Cat) દેખાયાની વાતો સાંભળવામાં આવતી હતી. 50 વર્ષ પહેલા ગુજરાતમાં વાઘ વસવાટ કરતા હતા. વિજયનગરથી લઈને ડાંગ સુધી વાઘ ( Big Cat)વસવાટ કરતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઈડરનાં જંગલોમાં વાઘ( Big Cat) દેખાયાની વારંવાર વાતો સામે આવતી હતી.
Social Media
એકમાત્ર રાજ્ય જ્યાં એક સમયે ચિત્તા, વાઘ, સિંહ અને દીપડા વસાવાટ કરતા હતા. હાલમાં ગુજરાતમાં સિંહ અને દિપડા જ જંગલોમાં વસવાટ કરે છે. ત્યારે ગુજરાતમાં 15 દિવસ પહેલા મહિસાગર જીલ્લામાં વાઘ( Big Cat) મહેમાન બવ્યો હતો. જેની રાજ્ય સરકારે અધિકૃત પુષ્ટિ કરી હતી. ગુજરાતમાં 15 દિવસ પહેલા જ જોવા મળેલા વાઘ( Big Cat)નો લુણાવાડા રેન્જમાંથી જંગલ વિસ્તારમાંથી વાઘનો મૃતદેહ મળી આવતા વનવિભાગ દોડતુ થયું છે. ગુજરાતમાં 30 વર્ષ બાદ વાઘ( Big Cat) જોવા મળ્યો હતો. અને આ વાઘનું મૃત્યું થતા વન્યપ્રેમીઓમાં હતાશા જોવા મળી રહી છે.
Social Media
વન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ વાઘ( Big Cat)નો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળ્યો છે. એટલે તેના મૃતદેહને પીએમ અર્થે મોકવામાં આવશે. અને ત્યાર બાદ જ વાઘ( Big Cat)ના મૃતદેહ અંગેનું રહસ્ય બહાર આવશે. મહત્વનું છે, કે છેલ્લા કેટલાક દિવસથી મધ્યપ્રદેશની રેન્જમાંથી આ વાઘ( Big Cat) આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.
Social Media
ગુજરાતમાં વાઘ( Big Cat)ના વધામણાં બાદ વન વિભાગ દ્વારા જંગલમાં ન જવા તાકીદ અને સલાહ પણ અપાઈ હતી.ઉલ્લેખનિય છે, કે મહિસાગર જિલ્લામાં વાઘ( Big Cat) દેખાયા હોવાની પૃષ્ટી કરાયા બાદ વન વિભાગે મહિસાગર વન વિભાગ દ્વારા વાઘ( Big Cat)ના હોવાની પૃષ્ટી કરવા માટે વન વિભાગે નાઇટ વિઝન કેમેરા જંગલમાં ગોઠવવામાં આવ્યા હતા. જેમાં આ વાઘનો વિડિયો કેદ થયો હતો. ત્યારે મહિસાગર જિલ્લાના આ જંગલોમાં વન વિભાગ દ્વારા જંગલમાં જવા માટે સાવચેતીના ભાગરૂપે જંગલમાં લોકોને જવા માટેની ના પાડવામાં આવી હતી. છતાં કયા કારણોસર વાઘ( Big Cat)નું મોત થયું તે તપાસ બાદ જ ખબર પડશે.
WSON Team ( Vishal Thakur )
જોકે વાઘના મોતને લઈને વન્યપ્રેમીઓમાં હતાશા જોવા મળી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં રહેતા અને વાઘ( Big Cat)ના અભ્યાસું અને નિષ્ણાંત વિશાલ ઠાકુર wildstreakofnatre.com સાથેની ખાસ વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે ભારતની અંદર વાઘ( Big Cat) ઘટી રહ્યા છે. ત્યારે એક લાંબા સમય બાદ ગુજરાતની ઘરતી પર વાઘ જોવા મળ્યો અને એક મહિનાની અંદર વાઘ( Big Cat)ને ગુમાવ્યો પણ છે તે દુ:ખની વાત છે.
જોકે જંગલ વિસ્તાર માંથી જે વાઘ( Big Cat)નો મૃતહેદ મળી આવ્યો તેના મોતનું કારણ પીએમ રીર્પોટ બાદ જ જાણી શકાશે. ગુજરાતમાં વાઘ ( Big Cat)મધ્યપ્રદેશ માંથી ગુજરાતમાં પ્રવેશ્યો હતો. અને ગુજરાતના મહિસાગરના જંગલ વિસ્તારને વાઘે( Big Cat)ઘર બનાવ્યું હતું. જોકે એક લાંબી યાત્રા કરી વાઘ ગુજરાતમાં પ્રવેશ્યો હોય તે દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં ફરીને ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો જેને પગલે કોઈ ડીસીસ તેમજ કોઈ બિમારી થઈ હોય કે પછી તેના મારણમાં કોઈ જેરનું પ્રમાણ મળી શકે અથવા તો કોઈ કુદરતી કારણ પણ જવાબદાર હોય શકે છે. આ ઉપરાંત ખોરાકના મળવાને કારણે વાઘ( Big Cat)ના મોતની પાછળનું નકારી શકાય તેમ નથી.
ગુજરાતમાં વાઘના નિષણાંત ખુબ જ ઓછા છે વિશાલ ઠાકુર અગાઉ મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં વાઘ( Big Cat) માટે કામ કરી ચુક્યા છે. જયારે ગુજરાતમાં વાઘ( Big Cat) દેખાયો ત્યારે વિશાલ ઠાકુરે ડિર્પાટમેન્ટનો સંપર્ક પણ કર્યો હતો. અને વાઘ( Big Cat)ની હિલચાલ અને મોનેટરીંગની કરવાની ઈચ્છા પણ વ્યકત કરી હતી.
wildstreakofnatre.com સાથેની વધુ વાતચિત દરમિયાન વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ માંથી વાઘ( Big Cat) જયારે ગુજરાતના જંગલોમાં આવ્યો ત્યારે મધ્યપ્રદેશ વન વિભાગની ટીમ પણ મદદ લેવાની જરૂર હતી. કેમકે મધ્યપ્રદેશમાં વધુ વાઘ( Big Cat) છે તેથી ત્યાંના ડિપાર્ટમેન્ટને વાઘ( Big Cat) વિષે વધુ અનુભવ હોય છે. તેમની મદદ લેવાની જરૂર હતી. જયારે ગુજરાતમાં વઘારે એશિયાટીક સિંહો અને દિપડા જોવા મળે છે.
વધુમાં વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે વાઘ( Big Cat)ના મોત પાછળ કંઈ ખામી રહી ગઈ તે અંગે અભ્યાસ કરવાની જરૂર હતી. આપણી પાસે તક છે. ગુજરાતમાં વાઘ( Big Cat) હતો તે એક મોટી ઘટના હતી હવે આ અંગે પ્રોપર તપાસ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટના ના ઘટે મે પણ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો હતો પણ મને ગુજરાતમાં વાઘ( Big Cat)ના અભ્યાસનો મોકો ના મળ્યો તેનું દુ:ખ છે. જોકે સામાન્ય રીતે વાઘ( Big Cat) એકલુ રહેવાનું પસંદ કરવાનુ પ્રાણી છે. ગુજરાતમાં પણ વાધ( Big Cat) એક લાંબી યાત્રા કરી મહેમાન બન્યો હતો.
વન વિભાગ દ્વારા 15 જેટલી મહિલાઓને ખાસ આ માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
ગુજરાત રાજયમાં સાસણ ગીર જંગલ એશિયાટીક લાયન માટે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. સાસણ ગીરના જંગલ વિસ્તારમાં એશિયાટીક સિંહોને કુદરતી વાતાવરણમાં વિહરતા જોઈ શકાય છે. આ સાસણ ગીર વિસ્તારમાં જતા હોય અને સામે સિંહ આવે અને જે રોમાચ થાય એ અનુભવ અવર્ણીય છે. અને એમાં પણ તમે પ્રવાસી તરીકે ગયા હો અને જો તમારા જીપ્સીનો ડ્રાયવર કોઈ મહિલા હોય બહાદુરીથીએ એશિયાટીક સિંહની પાસે થી જીપ્સી પસાર કરી દે તો વધુ ગર્વની લાગણી થાય કેમ ખરું ને ?
એશિયાટીક સિંહ જોવા કરતા એ મહિલાની બહાદુરીને બિરદાવવાનું મન થઇ જાય બસ એ સાહસ સાથે હવે ટૂંક સમયમાં જોવા મળશે. સાસણ ગીરમાં હવે ટૂંક સમયમાં મહિલા ડ્રાયવર જીપ્સી ચલાવતી અને પ્રવાસીઓને સિંહ દર્શન કરાવતી જોવા મળશે. હાલ તો વન વિભાગ દ્વારા 15 જેટલી મહિલાઓને ખાસ આ માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
સાસણ ગીરમાં મહિલાઓની સંખ્યા દિન બ દિન વધતી જાય છે. હાલ આશરે 300 જેટલી મહિલાઓ સાસણમાં વિવિધ કામ પર ફરજ બજાવે છે. જેમાં ખાસ કરીને વન કર્મી, ટ્રેકર, રેસ્ક્યુ ઓપરેશન માટે ટ્રેન્ગ્યુલાઇઝ કરવા માટે, કેર ટ્રેકર જેવા ફિલ્ડમાં કામો મહિલાઓ ખુબ બહાદુરીથી કરતી હોય છે. એટલે જ વન વિભાગ દ્વારા મહિલાઓને વધું એક તક જીપ્શી ડ્રાયવર તરીકે આપવામાં આવા રહી છે.
WSON Team
આ અંગે વન વિભાગના અધિકરી ડો મોહન રામ કહે છે કે આસ પાસની ગરીબ અને આદિવાસી જાતિની મહિલાઓને રોજગાર આપવાના હેતુસર અને મહિલાઓને હવે ડ્રાયવર તરીકે ભરતી કરવામાં આવનાર છે. અને આ માટે હાલ 15 મહિલાઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ગીરના જંગલમાં હવે મહિલાઓ વધુ એક કદમ આગે પુરુષો સાથે કદમ થી કદમ મિલાવી કામ કરતી જોવા મળશે હાલ તો, આ મહિલાઓ શરૂઆતમાં દેવળીયા પાર્કમાં ટ્રેની રૂપે કામ કરશે પછી અનુભવ અને કામગીરીની ના આધારે તેમને ગીર જંગલમાં રૂટો પર મુકવામાં આવશે.
આ અંગે જયારે આદિવાસી જાતિની મહિલાઓ કે જે હંમેશા આ જંગલની આસપાસના ગામોમાં જ રહેતી હોય છે. અને ટ્રેઈની તરીકે ડ્રાયવિંગ શીખતી મહિલાઓએ કહ્યું કે અમને આ કામ કરવાની માજા ને રોમાન્ચ છે, મહિલા તરીકે ડ્રાયવર બનવા પહેલા સંકોચ થતો હતો પરંતુ પછી હિમતત આવા અને અમે હવે અમે એ કામ કરવા તૈયર છીએ, પ્રવાસીઓને એશિયાટીક સિંહ દર્શન લઇ જવાનો મોકો મળશે સાથે સાથે મહિલા હોવાછતાં અમારા પર વન વિભાગ દ્વારા જે ભરોસો મૂકી અમને આ કામ માટે લાયક ગણી તે જ ગર્વ ની વાત છે.
સાસણ ગીર હવે માત્ર એશિયાટીક સિંહ દર્શન માટે જ નહીં પરંતુ હવે મહિલાઓ થકી તેમની બહાદુરીની કથા પણ બનતું જાય છે. મહિલાઓને રેસ્ક્યુ કરતી જોવી, એશિયાટીક સિંહોની સારવાર કરતી જોવી કે પછી ગાઢ જંગલમાં નીડર બની એશિયાટીક સિંહોની સંભાળ રાખતી જોવી એ પણ એક લ્હાવો છે. હવે સાસણ ગીરની શોભામાં વધુ એક મોરપીંછું ઉમેરાઈ રહ્યું છે. ડ્રાયવર બની મહિલા સિંહ દર્શન કરવા પ્રવાસીઓને લઇ જશે ત્યારે પ્રવાસીઓનો ઉત્સાહ જરૂર બમણો થશે અને સાથે સાથે ગર્વ થી છાતી ગજગજ ફૂલી જશે.
સાસણ ગીર જંગલનું નામ આવે એટલે તરત જ એશિયાટિક સિંહોની જ યાદ આવે ગાઢ જંગલ અને એ જંગલના સાવજની ડણક ભલભલાને ડરાવી દે. જો કે ગત્ત સપ્ટેમ્બર – ઓક્ટોબર મહિનામાં અમરેલીના દલખાણીયા રેન્જમાં ગુજરાતના ગૌરવ સમાન આ એશિયાટીક સિંહોની ડણક ખતરામાં હતી.
અશિયાટીક સિંહોમાં કેન્યન ડિસ્ટેમ્પર વાયરસ થી ટપાટપ સિંહો મરી રહ્યા હતા માત્ર 11 દિવસમાં 23 સિંહોના મોત થતા વન્ય પ્રેમીઓએ વન વિભાગને આડે હાથ લીધું હતું. એશિયાટીક સિંહોના મોત મામલે સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટે પણ સરકારની સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. જે પછી વન વિભાગ અને કેન્દ્ર અને રાજ્ય સરકારે સાવચેતીપૂર્વક પગલાં લેતા અન્ય એશિયાટીક સિંહોને બચાવી લેવામાં આવ્યા હતા. જેથી હાલ તો અબ સબ સલામત છે. એવા સમાચાર થી સૌ કોઈના અધ્ધર થયેલા શ્વાશ હેઠા બેઠા છે. વન વિભાગે ગત્ત ઓકટોબર 2018 માં 34 જેટલા વાયરસથી અસરગ્રસ્ત હોવાના શંકા ના ડાયરીમાં આવેલા એશિયાટીક સિંહોને ખાસ નજર કેદ રાખવામાં આવ્યા હતા. જેઓને હવે ટૂંક સમ્યમાં છોડી દેવામાં આવશે નજર કેદ એશિયાટીક સિંહોની ત્રાડ હવે એક લાંબા સમય પછી ગીરના જંગલમાં ફરી સાંભળવા મળશે.
WSON Team
વાત કરીએ ગત્ત સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં થયેલા એશિયાટીક સિંહોના મોતની તો એક સાથે 23 એશિયાટીક સિંહોના મોત અને પછી એ સિલસિલો વધ્યો હતો સૌ કોઈ ચિંતિત હતા. આ વાયરસ ને ફેલાતો અટકાવવા વિદેશથી ખાસ રસી મંગાવાઈ અને દેશ વિદેશના નિષણાંત ડોક્ટરોની ટિમ પણ ગુજરાત આવી જેને સિંહોને ખાસ કેન્યન ડિસેમ્બર માટે રસીકરણ કરવાનું સૂચન આપ્યું હતું. જે પછી આખા ગીર જંગલના તમામ 600 જેટલા સિંહોની તપાસ કરવા વન વિભાગે રાત દિવસ એક કરી દીધા હતા. અને 34 જેટલા સિંહોને કેન્યન વાયરસના સંકેત જોવા મળતા તરત જ તેમને જામવાળા રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા. અશિયાટીક સિંહોને ખાસ રસીકરણ કરી નજર કેદ રાખી તેમનું અવલોકન અને દેખરેખ રાખવામાં આવતું હતું. વિદેશથી ખાસ મંગાવાયેલ આ રસી દર 21 દિવસના અંતે આપવાની હતી જેથી 42 દિવસ સુધી એશિયાટીક સિંહોને નજર કેદ રાખવાના હતા. જોકે હવે આ તમામ સિંહો સુરક્ષિત છે અને ફરી ટૂંક સમયમાં જંગલમાં છોડવામાં આવશે. એમ વન વિભાગના મુખ્ય સંરક્ષક અધિકારી ડૉ, ડી. ટી વસાવડા એ જણાવ્યું હતું.
સાસણ ગીરમાં આશરે 650 થી પણ સીધું સિંહો ની સંખ્યા છે જે ગર્વ ની વાત છે. પરંતુ આ એક જ વર્ષમાં એટલે કે ગત્ત સપ્ટેમ્બર થી જાન્યુઆરી સુધીમાં આશરે 60 થી પણ વધુ સિંહોના મૃત્યુ થયા છે. જેમાં મોટાભાગના વૃદ્વ અને નાના બચ્ચા નો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોતાનું વર્ચસ્વ સ્થાપવા ઇન ફાઈટમાં પણ એશિયાટીક સિંહોનું મોત થયું હોવાનું એક જવાબદાર પરિબળ છે. કારણકે સિંહોની વધતી સંખ્યા સામે શિકાર અને હરવા ફરવા માટેનો વિસ્તાર સાસણ ગીરમાં એશિયાટીક સિંહ દીઠ ઓછો થતો જાય છે. આવા સંજોગોમાં ઇન ફાઈટ કુદરતી માની લેવામાં આવે છે. જો કોઈ ઠોસ પગલા ન ઉઠાવવામાં આવ્યા તો ધીમે ધીમે ઇન ફાઈટ પણ એક ગંભિર સમસ્યા બની શકે છે. જો કે હાલ તો સબ સલામત હોવાથી એશિયાટીક સિંહો ની સુરક્ષા ની ચિંતા કરતા લોકોને હાશકારો થયો છે. તો વન્ય પ્રેમી અને અધિકારીઓ માટે રાહત ના સમાચાર છે.
મહિસાગરના લુણાવાડાના કોઠા ગામમાં વાઘ( Big Cat )ના હુમલાની કરવાની ઘટના પ્રકાશમાં આવવા પામી હતી. જેમાં કોઠા ગામની સીમમાં ગાયના ટોળા પર વાઘે( Big Cat ) હુમલો કર્યો હતો. ત્યારે ગામ લોકોએ વાઘ( Big Cat )ને ભગાડ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વનું છે કે મહિસાગર જિલ્લાના જંગલમાં 3 દિવસ પહેલા વાઘ( Big Cat ) દેખાયાના પુરાવા મળી આવ્યા હતા. જેને લઈને વન વિભાગે અલગ અલગ પાંચ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રેપ કેમેરામાં વાઘ ( Big Cat )દેખાયો હોવાની વાતનો તંત્રએ સ્વીકાર કર્યો હતો.
એક કરતા વધુ વાઘ( Big Cat ) હોવાની શક્યતાએ સંતરામપુરના સંત જંગલમાં તપાસ શરૂ
લુણાવાડના જંગલોમાં વાઘ( Big Cat ) મળ્યાની સાબિતી મળ્યા બાદ સંતરામપુરના સંત જંગલમાં વાઘ હોવાની શક્યતા સેવાઈ રહી છે. એક કરતા વધુ વાઘ( Big Cat ) હોવાની પણ શક્યતા સેવાઈ રહી છે. જેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. તો લુણાવાડાના જંગલોમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉપરાંત પંચમહાલના બોરિયાવી ગામ પાસે જંગલમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. વાઘ( Big Cat )ને શોધવા માટે સાસણગીરથી 10 નાઇટ વિઝન કેમેરા મંગાવવામાં આવ્યા છે અને તેના માટે વનકર્મીઓની ટીમ બનાવવામાં આવી છે. ત્યારે લુણાવાડાના કોઠા ગામે વાઘે( Big Cat ) હુમલો કરવાની ઘટના સામે આવતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
મહીસાગર જીલ્લામાં બે દિવસ પહેલાં જોવા મળેલ વાઘ( Big Cat ) હોવા અંગે રાજ્ય સરકારે અધિકૃત પુષ્ટિ કરી છે. ગુજરાત રાજયના વન્યપ્રધાન ગણપત વસાવાએ મંગળવારે કહ્યું હતું કે મહિસાગરમાં વાઘ જોવા મળ્યો હતો. ગુજરાત સરકાર વાઘ( Big Cat ) ના વધામણાં માટે તૈયાર છે. ગુજરાતમાં સિંહો દિપડાનું અસ્તિત્વ છે પરંતુ હવે ગુજરાતમાં વાઘ( Big Cat ) પણ જોવા મળ્યો છે.
મહિસાગરના લુણાવાડા પાસેના એક ગામના રસ્તા પર એક શિક્ષકે વાઘ( Big Cat ) જોયો હોવાનો દાવો કર્યો હતો કે આ શિક્ષકે વાઘ( Big Cat ) ની તસ્વીર પણ ક્લીક કરી હતી. અને આ તસ્વિર વાયુ વેગે સોશીયલ મિડીયામાં વાયુ વેગે પ્રસરી હતી. જે બાદમાં વન વિભાગની ટીમે વાઘ( Big Cat ) ને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હવે વન વિભાગ તરફથી વાઘ( Big Cat ) ની અન્ય એક તસવીર જાહેર કરીને એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે શિક્ષકે જોયેલું પ્રાણી વાઘ( Big Cat ) જ હતો. એટલે કે ગુજરાતમાં વાઘ( Big Cat ) હોવાના સમાચાર પર વન વિભાગે મહોર મારી દીધી છે.
Social Media
મહીસાગર જીલ્લામાં શિક્ષકના વાઘ( Big Cat ) જોવા મળ્યાની તસ્વીર બાદ વન વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં 150થી વધુ કર્મચારીઓએ વાઘ( Big Cat ) ના સગડ મેળવવાની તજવિજ હાથ ધરવામાં આવી હતી. જોકે વન વિભાગના અલગ અલગ ટુકડીઓ દ્વારા હાથ ધરેલી મહેનત રંગ લાવી છે. જંગલ વિસ્તારના રસ્તાઓ પર નાઈટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યા હતા. રાત્રીના સમયે નાઈટ વિઝન કેમેરામાં વાઘ( Big Cat ) કેદ થયો હતો. બીજી તરફ સંતરામપુરના સંત વન વિસ્તાર અને બીજા 100 એમ કુલ 150 ઉપરાંત માણસોએ વાઘ( Big Cat )ને શોધવા કામે લાગ્યા હતા.
મહિલસાગરના વન અધિકારીના જણાવ્યા અનુસાર પાનમ ડેમ અને સંતરામપુરના જંગલોમાં પાંચ નાઇટ વીઝન કેમેરા મુક્યા હતા. જેમાંથી એક કેમેરામાં આ વાઘ( Big Cat ) ફરતો જોવા મળ્યો હતો. અમે બીજા પણ પુરાવા મેળવ્યા છે જેનાથી એ વાતની પુષ્ટિ થઇ છે કે આ વાઘ( Big Cat ) જ છે.
વન વિભાગે મહિસાગરની આજુબાજુના જંગલોમાં અનેક સીસીટીવી કેમેરા અને બીજી ટીમો મુકીને વાઘને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આખરે નાઈટ વિઝન કેમેરામાં વાઘ( Big Cat ) ફરી એક વાર જોવા મળતાં તેના હોવા અંગે પુષ્ટિ થઇ હતી.
Social Media
જોકે આ અંગે ગુજરાત રાજયના વન્યપ્રધાન ગણપત વસાવાએ કહ્યું છે કે, “ગુજરાત સરકાર વાઘ( Big Cat ) ના વધામણાં માટે તૈયાર છે. રાજ્યમાં પહેલાથી જ સિંહ અને દીપડા છે, હવે વાઘ( Big Cat ) માટે પણ ગુજરાત સક્ષમ છે. વાઘની તપાસ માટે વન વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજસ્થાન અથવા મધ્ય પ્રદેશમાંથી વાઘ( Big Cat ) ગુજરાતમાં આવ્યો હોવાની સંભાવના છે.
ગુજરાતમાં છેલ્લે 1985માં વ્યારા વિસ્તારમાં વાઘ( Big Cat ) જોવા મળ્યો હતો. નિષ્ણાંત જાણકારોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં અંદાજે છેલ્લે વર્ષ 1965-85 વાઘ( Big Cat ) જોવા મળ્યો હતો. ત્યારબાદ ગુજરાતની જમીન પર કયારેય વાઘે દેખા દીધી નથી. ગુજરાતમાં 50 વર્ષ પહેલા ગુજરાતમાં વાઘ( Big Cat ) વસવાટ કરતા હતા. વિજયનગરથી લઈને ડાંગ સુધી વાઘ( Big Cat ) વસવાટ કરતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આટલા લાંબા સમયબાદ ગુજરાતની ધરતી પર વાઘ( Big Cat ) જોવા મળ્યોએ ખરેખર એક મોટી ઘટના ગણાવી શકાય.