દાહોદ: આખરે આદમખોર દીપડો પુરાયો પાંજરે, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

દહોદ જિલ્લામાં હાહાકાર મચાવનાર દીપડો આખરે પાંજરામાં પુરાયો છે. ધાનપુર તાલુકામાં દીપડાએ કરેલા હુમલા બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે વન વિભાગની ટીમે આ દિશામાં સતર્કતા દાખવા દીપડાને અંતમાં પાંજરે પુર્યો હતો.

મળતી માહિતી મુજબ રાત્રિના દીપડો જયારે શિકારની શોધમાં નિકળ્યો હતો અને પાંજરે પુરાયો હતો. વન વિભાગ દ્વારા દીપડાને પાવાગઢ રેસ્ક્યુ સેન્ટર પર લાવવામાં આવ્યો હતો. આ હાહાકાર મચાવનાર દીપડાની ઓળખ છતી કરવા માટે હવે ગ્રામજનોની મદદ પણ વન વિભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે, 150 જેટલા વનવિભાગના કાર્મચારીઓ દીપડાને શોધવા માટે કામગીરી કરી રહ્યા હતા. આ સાથે જ દીપડાને પકડવા માટે વનવિભાગે કેમેરા અને 7 જેટલા પાંજરા પણ મુક્યા હતા. મહત્વનું છે કે, દીપડાએ છેલ્લા કેટલાક દિવસમાં 5 લોકો પર હુમલો કર્યો હતો. ધાનપુર તાલુકાના કોટંબી ગામમાં 9 વર્ષની બાળકી પર હુમલો કરતા બાળકીનુ મોત થયું હતું.

પુનાના કોટા ગામની 11 વર્ષની બાળકીનું  પણ મોત થયું હતું અને કોટંબી ગામના જ એક વૃદ્ધ મહિલા પર દીપડાએ હુમલો કરતા મહિલાનું મોત થયુ હતું. આ ઉપરાંત દીપડાએ ધાનપુરના ભણપુરના વૃદ્ધા પર પણ હુમલો કર્યો હતો. ત્યારે સાસણગીરની વન્ય પાણી ટ્રેકિંગની ટીમ ધાનપુરના જંગલમાં છેલ્લા કેટલાક દિવસોથી દિવસ રાત એક કરીને દીપડાને શોધી રહી હતી અને આખરે દીપડાને પાંજરે પુરવા સફળતા પ્રાપ્ત થઈ હતી.

સાસણ ગીર : ખેતરમાંથી મળ્યો કોહવાઈ ગયેલી હાલતમાં સિંહણનો મૃતદેહ

તાલાલા તાલુકાના આંબળાશ ગીર ગામે ખેતરમાંથીસાવ કોહવાઈ ગયેલો સિંહણનો મૃતદેહ મળતા વન વિભાગની ટીમે બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહ કબ્જે કરીને સિંહણનાં મૃત્યુ અંગે  તપાસ હાથધરી હતી.

મળતી માહિતી મુજબઆંબળાશ ગીર ગામની પૂર્વ બાજુની સીમના ખેતરના પાકમાંથી દુર્ગંધ આવતી હોવાથી ખેડૂતે તપાસકરતા સિંહણ નો મૃતદેહ પડયો હોવાથી તાલાલા ખાતેની વન વિભાગની કચેરીને જાણ કરતા આર.એફ.ઓ.સહિતનાં સ્ટાફે બનાવનાં સ્થળે દોડી જઈ સિંહણનો મૃતદેહ કબજે કર્યો હતો. સિંહણનો મૃતદેહ એકદમ કોહવાઈ ગયેલો હોવાથી વેટરનરી તબીબને બોલાવી સ્થળ ઉપર પી.એમ. કરી મૃતક સિંહણના વીસેરા લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો.

આ બનાવ અંગે વન વિભાગના અધિકારીએ જણાવ્યા મૃતક સિંહણની પાંચથી છ વર્ષની ઉંમર હતી. અને અંદાજે છ દીવસ પહેલા મૃત્યુ  પામી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ સિંહણનાં મૃત્યું અંગે સચોટ કારણ જાણવા મળશે. સિંહણ સાથે કોઈ  બચ્ચા હતા જ નહીં. જેથી ત્રણ બચ્ચા ગુમ થયાની વાત માત્ર અફવા છે. તાલાલા રેન્જમાં સ્ટાફ દ્વારા નિયમીત પેટ્રોલીંગ થાય છે.

 આ  બનાવ  બાદ અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરાવી છે. ત્રણ  બચ્ચા સાથે હોવાની કોઈ વિગતો કયાંયથી પણ જાણવા મળી નથી. આંબળાશ ગીર ગામેથી મળેલો સિંહણનો મૃતદેહ એકદમ કોહવાઈ ગયેલો હોવાથી સ્થળ ઉપર જ વન વિભાગનાં સ્ટાફ દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

આદમખોર દીપડાને પકડવા વનવિભાગે દિવસ રાત એક કર્યા, દિપડો વનવિભાગની પકડથી દુર

દાહોદમાં છેલ્લા એક સપ્તાહ જેટલા સમયથી આદમખોર દીપડાએ આતંક મચાવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં 3 વ્યક્તિનો દીપડાએ ભોગ લીધો છે. ત્યારે હવે વનવિભાગની ટીમે પણ કાર્યવાહી તેજ કરી આદમખોર દીપડાને પાંજરે પુરવા કવાયત તેજ કરી છે. જંગલ વિસ્તારમાં દીપડાને શોધવા માટે સાસણગીર અને ભાવનગરથી વનવિભાગની ટીમો બોલાવવામાં આવી છે.
WSON Team
હાલમાં 150 જેટલા વનવિભાગના કાર્મચારીઓ દીપડાને શોધવા માટે કામગીરી કરી રહ્યા છે. આ સાથે જ દીપડાને પકડવા માટે વનવિભાગે કેમેરા અને અંદાજે 7 જેટલા પાંજરા પણ મુક્યા છે. સણગીરની વન્ય પાણી ટ્રેકિંગની ટીમ ધાનપુરના જંગલમાં દીપડાને શોધી રહી છે. દીપડાના આતંકના કારણે લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે. સામાન્ય રીતે દાહોદ જિલ્લામાં દિપડાઓ અવાર નવાર માનવ વસ્તીમાં ધુસી આવતા હોવાનું સામે આવ્યું છે. દાહોદના જંગલ વિસ્તારમાં એક માનવભક્ષી દિપડાનો આતંક વધી રહ્યો છે. આ દિપડો ધાનપુરના લોકો અને વન વિભાગના કર્મચારીઓ માટે મથાનો દુખાવો બન્યો છે. વન વિભાગ દ્વારા દિપડાને પકડવા માટે અવનવી ટેકનિકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
WSON Team
દાહોદના ધાનપુરમાં માનવભક્ષી દિપડાનો આતંક વધ્યો છે. ત્યારે દાહોદ વનવિભાગની ટીમે દીપડાને ઝડપી પાડવા માટે નવીન રીત અપનાવવામાં આવી છે. પાંજરામાં મારણ રાખવાની જગ્યાએ પાંજરામાં વનવિભાગમા કર્મચારીઓને એરગન સાથે મુકવામાં આવ્યા છે. દીપડો નજીક આવેતો એરગનથી શૂટ કરવા આદેશ આપ્યો છે. હાલતો આ આદમખોર દીપડો વનવિભાગ માટે માથાનો દુખાવો બન્યો છે. ખુંખાર દીપડાને ઝડપી લે માટે વનવિભાગ દિવસરાત એક કર્યુ છે.

સાસણ ગીરઃ વનકર્મીઓ પર હુમલો કરનાર એશિયાટીક સિંહની જોડી નજર કેદ

સાસણ ગીરની સફારી ઉપરાંત એશિયાટીક સિંહ દર્શન માટે દેવળીયા પાર્ક નામની એક નવી સફારી પણ શરૂ કરવામાં આવેલી છે. અહીં પણ એશિયાટીક સિંહ-સિંહણની જોડીઓ સહિતના અન્ય પ્રાણીઓનો વસવાટ છે. ગુરુવારે સિંહનું લોકેશન શોધવા માટે ગયેલા રજનીશ કેશવાલા નામના વનકર્મી ઉપર દેવળીયા પાર્કની સિંહની પ્રખ્યાત જોડી ગૌરવ અને ગૌતમ દ્વારા અચાનક જ હુમલો કરી દેવાયો હતો. હુમલાની આ ઘટના બાદ દેવળીયા પાર્કને સિંહદર્શન માટે તાત્કાલિક બંધ કરી દેવાયો છે. ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડને જણાવ્યું કે, વન કર્મચારી ઉપર હુમલો કરનારા સિંહ ગૌરવ અને ગૌતમને પકડવા માટે વન વિભાગે પાંજરા ગોઠવીને કવાયત હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ગૌરવ અને ગૌતમ નામના આ સિંહને ઝડપી લેવામાં વન વિભાગને સફળતા મળી છે. સાસણગીરના દેવડીયા પાર્કમાં બે સિંહોએ વનકર્મીઓ પર હુમલો કર્યો હતો. જેમાં એક વનકર્મીનું મોત અને અન્ય 2 વનકર્મીઓને ઇજા પહોંચી હતી. ત્યારે હવે સિંહના હુમલા બાદ વનવિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વનકર્મીઓ પર હુમલો કરનાર બે સિંહોને કેદમાં રખાશે. ગૌતમ અને ગૌરવ નામના બે સિંહોને દેવળીયા પાર્કમાં ખુલ્લા નહીં મુકાય. જ્યારે હવે આ સિંહોને કડક દેખરેખ હેઠળ રાખવામાં આવશે. મહત્વનું છે કે, સામાન્ય રીતે સિંહ કોઈ માણસ પર હુમલો કરતો નથી. અસામાન્ય સંજોગોમાં જ સિંહ હુમલો કરે છે ત્યારે આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. સિંહ માણસ પર હુમલો ક્યારે કરે છે? જોકે સાસણ ગીર જંગલ વિસ્તારમાં પ્રથમ એવી ઘટના ઘટી  છે કે જેમાં સિંહે કોઈ માણસ પર હુમલો કરીને ફાડીખાઈ મોત નિપજાવ્યું હોય. સામાન્ય રીતે સિંહો રોયલ એનિમલ કહેવાય છે. સિંહ માણસ પર હુમલો કરતો નથી ગુજરાતના ગીર વિસ્તારમાં ભાગ્યેજ સિંહના હુમલાની ઘટના બની છે. ફોટો લેનારા એક પ્રવાસી પર વર્ષ 2012માં સિંહે હુમલો કરીને જીવ લીધો હતો. સિંહને કોઈએ છંછેડ્યો હોય તો જ તે માણસ પર હુમલો કરે છે. અથવા તો તેના વિસ્તારમાં તેના પ્રજનન સમયે દખલગીરી કરવામાં આવે તે સમયે સિંહ વધુ આક્રમક હોય છે. અથવા તો સિંહ ભૂખ્યા હોય અને ગુસ્સામાં હોય તેવા સંજોગોમાં હુમલો કરી શકે છે. સારવાર માટે આપેલી દવાઓના કારણે પણ સિંહ ગુસ્સામાં હુમલો કરી શકે છે. સિંહે મારણ કર્યું હોય ત્યારે તેની નજીક જનારા પર સિંહ હુમલો કરે તેવી શક્યતાઓને નકારી શકાય નહિ.

દાહોદ: આદમખોર દીપડાને પાંજરે પુરવા કવાયત તેજ, વનવિભાગે જંગલમાં નાંખ્યા ધામા

આદમખોર દીપડાને ઝડપી પાડવા કવાયત તેજ કરવામાં આવી છે. ઘાનપુરના જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા તપાસ હવે તેજ થઈ છે. વન વિભાગની ચાલુ કામગીરી દરમિયાન લાઈવ સેટેલાઈટ ઈમેજ મળી આવી છે.જે આધારે દીપડાને ઝડપી પાડવા પાંજરા મુકવામાં આવ્યા છે. મહત્વનું છે કે તપાસ દરમિયાન દીપડાના પગના નિશાન મળી આવતા. આસપાસના ગ્રામજનોને પણ આ બાબતે જાગૃત કરી સાવચેત કરાયા છે. ઉલ્લેખનીય છે કે, પંચમહાલના દાહોદમાં છેલ્લા 6 દિવસથી આદમખોર દીપડાએ આતંક મચાવ્યો છે. છેલ્લા 6 દિવસમાં 3 વ્યક્તિનો દીપડાએ ભોગ લીધો છે. ત્યારે હવે વનવિભાગની ટીમે પણ કાર્યવાહી શરૂ કરી છે. દીપડાને શોધવા માટે સાસણગીર અને ભાવનગરથી વનવિભાગની ટીમો બોલાવવામાં આવી છે. હાલમાં 150 જેટલા વનવિભાગના કાર્મચારીઓ દીપડાને શોધવા માટે કામગીરી કરી રહ્યા છે. આ સાથે જ દીપડાને પકડવા માટે વનવિભાગે કેમેરા અને 7 જેટલા પાંજરા પણ મુક્યા છે. મહત્વનુ છે કે, દીપડાએ છેલ્લા એક અઠવાડીયામાં 5 લોકો પર હુમલો કર્યો છે.