ગુજરાતમાં ટુરિઝમને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતના 1600 કિ.મિ દરિયા કિનારાના વિવિધ બીચો ને ડેવલપ કરવામાં આવી રહ્યા છે. તો કચ્છમાં રણોત્સવ થકી વિદેશી પ્રવાસીઓ ને આકર્ષવામાં આવી રહ્યા છે. પરંતુ જુનાગઢ એક એવું શહેર છે જેને કોઈ ટુરિઝમ હબ બનાવવા માટેના તમામ પાસાઓ મૌજુદ છે.
જૂનાગઢમાં આવેલ ઐતહાસિક ઇમારતો, સાસણનું ગીર જંગલ, ગીરનારનો પહાડ, નરસિંહમહેતાની ભૂમિ ગણાતા સ્મારકો, ઇતિહાસની ઝાંખી કરાવતા મકબરા અને નકશીકામથી સુશોભિત દરવાજા, એ ભવનાથની તળેટી અને સુંદર રમણીય હિલ સ્ટેશન જેવા દ્રશ્યો, દામોદરકુંડ અને અક્ષરધામ મંદિર જેવા અનેક સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે. તો ચાલો જઈએ જૂનાગઢની સફરે,
જૂનાગઢ નો કિલ્લો એટલે ઉપરકોટ:-
WSON Team
દિવાળીની રજા માણવા લોકો ઐતિહાસિક નગરીના વિવિધ સ્થળોની મુલાકાત લે છે. જૂનાગઢ શહેરની ઓળખ એટલે જૂનાગઢનો કિલ્લો જે ઉપરકોટ તરીકે જાણીતો છે. ચંદ્રગુપ્ત મોર્યના સમયમાં રાજા રાખેંગાર દ્વારા બંધાવ્યો હોવાનું મનાય છે. ઊંચી ટેકરી પર બનેલો આ કિલ્લો આજે પણ જૂનાગઢની શાન અને શૌકતને ઉજાગર કરે છે.
pinterest.com
ઉપરકોટ 177 સ્થંભનો બનેલો છે. જેમાં માણેક અને નીલમ નામની બે તોપ આવેલી છે. બુદ્ધ ગુફા પણ દર્શનીય છે. અડીકડીવાવ અને નવઘણ કૂવો એ ઉપરકોટની શાન છે. આની સાથે એક લોકોક્તિ જોડાયેલી છે કે,
WSON Team
“અડીકડી વાવ નવઘણ કૂવો જેણે ન જોયો તે જીવતો મુઓ” એટલે કે જેણે અડીકડીવાવને નવઘણ કૂવોન જોયો તે જીવતો હોવા છતાં મૃત્યુ સમાન છે. જો કે સમય ની સાથે સાથે વર્તમાન સમયમાં આ કિલ્લામાં એમપી થિયેટર તેમજ લાઈટ એન્ડ સાઉન્ડ શોની સુવિધા પર્યટકો માટે કરવામાં આવી છે.
સમ્રાટ અશોકનો શિલાલેખ:-
youtube.com
જૂનાગઢની તળેટીમાં આવેલ અતિ પ્રાચીન અને વિશ્વ પ્રસિદ્ધ સમ્રાટ અશોકનો શિલાલેખ એ જૂનાગઢ ને ઇતિહાસમાં એક ઓળખ આપી છે. જૂનાગઢમાં આવેલ સમ્રાટ અશોકનો શીલાલેખ અતિ પ્રાચીન ઐતિહાસિક સ્થળ છે. જે 2200 વર્ષ જૂનો લેખ છે. જેમાં મૌર્યયુગના સમયના રાજા અશોક, રુદ્રમહાલ તથા સ્કંના લેખો કોતરાયેલા છે.
તે લેખોની ભાષા બ્રાહ્મી, પ્રાકૃત તેમજ પાલી છે. એમ મનાય છે કે, આ લેખો 700 થી 800 વર્ષ પહેલાંની વાત છે. ગિરનાર પર્વતની તળેટીમાં આ શિલાલેખ આવેલ છે. શિલાલેખ ની ઉંચાઈ લગભગ 12ફૂટ જેટલી છે. લોકઉપદેશની માહિતી આપતો આ શિલાલેખ એક વિશાળ પથ્થર પર લખાયેલ છે.
સક્કરબાગ ઝુઓલોજીકલ પાર્ક:-
WSON Team
ભારત દેશનું સૌથી પ્રાચીન પ્રાણીસંગ્રહાલય ગણાતું ગુજરાતના જૂનાગઢનું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય આ પ્રાણીસંગ્રહાલય જે નવાબ મોહબ્બત ખાને વર્ષ 1863માં બનાવ્યું. જૂનાગઢના નવાબ પ્રાણીઓના ભારે શોખીન હતા સાથે સાથે પ્રાણી પ્રેમી પણ હતા. આથી જ નવાબે જૂનાગઢમાં પ્રાણીસંગ્રહાલય બનાવ્યું હતું. જે એશિયાના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલય માનું એક છે. આજે પણ લાખો દેશ વિદેશથી આવતા પર્યટકો સક્કરબાગની મુલાકત લઈને વિવિધ પક્ષીઓને પ્રાણીઓ વિશે માહિતી મેળવી આનંદ પ્રાપ્ત કરે છે.
આ સક્કરબાગની ખાસિયત એ છે કે, ત્યાં બીમાર તેમજ ઘાયલ પ્રાણી કે પંખી ની સારવાર માટેનું કેન્દ્ર પણ છે. તેમજ દેશી વિદેશી પ્રાણીને પક્ષી એક સ્થળે જોઈ શકાય છે. આ ઉપરાંત સફારી પાર્ક પણ બનાવેલ જેમાં એશિયાટીક સિંહ વાઘ હિપોપોટેમસ, હરણ વગેરે જેવા પ્રાણી મુક્ત રીતે જંગલમાં ફરતા તેમ જોઈ શકાય છે.
અક્ષર મંદિર:-
WSON Team
સ્વામિનારાયણ સંપ્રદાયનું શિલ્પ સ્થાપત્યકળાનું અજોડ નમૂના સ્વરૂપ અક્ષર મંદિર કલાત્મક મંદિર છે. જે નું નિર્માણ પ્રમુખસ્વામી એ કરાવ્યું હતું. આ મંદિર દિલ્હીના અક્ષરધામ પછીનું બીજા નંબરનું મંદિર ગણાય છે. મંદિરની ચારો તરફ સુંદર બગીચા અને રંગબેરંગી ફુવારાઓ થી શુશોભિત છે.
આ મંદિર જેમાં શુદ્ધ નાસ્તો અને જમવા માટે પ્રેમવતી ભોજનાલય પણ આવેલ છે. લોકો બગીચાની સુંદરતા માણવા માટે અહીં આવે છે. અને શ્રી રાધા રમણ દેવ, ઘનશ્યામ મહારાજ અને યોગી સ્વામિની ભક્તિમાં લીન થઈ જાય છે. પ્રાચીન જુનાગઢનુ આધુનિક મંદિર એટલે અક્ષરધામ મંદિર જે અહીં આવતા પ્રવાસીઓને ચોક્કસ આકર્ષિત કરે છે.
નરસિંહ મહેતા નો ચોરો:-
merwynsrucksack.blogspot.com
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે..આ પ્રખ્યાત ભજન જેણે લખ્યું એ નરસિંહ મહેતા શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. કહેવાય છે કે શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે જ્યારે રાસ રમતા હતા ત્યારે નરસિંહ મહેતા ભક્તિમાં એટલા લીન થયા હતા કે, હાથ માં પકડેલ મશાલ ક્યારે હાથ સુધી પહોંચી ગઈ એ તેમને ખબર નહતી રહી.
આ એજ સ્થળ એટલે નરસિંહ મહેતાનો ચોરો જ્યાં એ રાસ રમાયો હતો. નાગર જ્ઞાતિના નરસિંહ મહેતાએ ભકિતની પરિભાષા જ બદલી નાખી એક સુંદર સંદેશ સમાજ ને આપ્યો છે. ગાંધીજીના આ પ્રિય ભજનથી જ જૂનાગઢની ઓળખ વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ છે.
દામોદરકુંડ:-
WSON Team
જગપ્રસિદ્ધ કાશી અને ગંગા પિતૃ તર્પણ માટે પવિત્ર સ્થળ માનવામાં આવે છે. એટલે જ નરસિંહ મહેતા ખુદ પણ અહીં દરરોજ સ્નાન કરવા આવતા હોવાનુ માનવામાં આવી રહ્યું છે. આપણા પુરાણો માં મળતી માહિતી મુજબ જૂનાગઢનો દામોદર કુંડ કે જેમાં સકળ તીર્થના પવિત્ર જળ હોવાનું માનવામાં આવે છે.
એથી જ કોઈ પણ યાત્રા કરનાર શ્રદ્ધાળુ દામોદર કુંડમાં સ્નાન કરે ત્યારે જ તેમની યાત્રા પૂર્ણ ગણાય છે. ભાદરવાની અમાસ એ દામોદર કુંડમાં લાખો ભાવિકો સ્નાન માટે આવે છે અને પિતૃ તર્પણ કરે છે. જેથી તેના પિતૃ મોક્ષ પામે તેવી ધાર્મિક શ્રધ્ધા પણ છે. અહીં રાધારમણ દેવનું સુંદર મંદિર છે જે વૈષ્ણવ સમાજની ખૂબ પવિત્ર જગ્યા છે. અહીં મહાપ્રભુજી ખુદ બિરાજમાન છે.
મહોબ્બત મકબરા:-
WSON Team
જૂનાગઢના તાજમહલ એટલે આ સુંદર ઈરાની, ઇસ્લામિક અને ગૌધિક શૈલીનું સુંદર કોતરકામ કરેલ મકબરો. જૂનાગઢના નવાબ મહોબ્બત ખાન બીજાએ 18મી સદીમાં તેના વજીર બહાઉદ્દીન શાહની યાદમાં આ મકબરો બનાવેલ હતો જેનું નકશીકામ અદભુત છે. ચાર મીનારાઓ વચ્ચે બનાવેલો આ મકબરાની બાજુમાં જ નવાબ બીજો મકબરો પણ છે.
WSON Team
ઈરાની શૈલી માં ફૂલ-વેલના સુંદર નકશીકામની સાથે ફ્રેન્ચ ઢબની જાળીઓ, રશિયન ઢબના ઘુમટ, ચાંદીને હીરા, મોતી-જડિત એક સમયનો આ જાજરમાન મકબરો હવે સમયની સાથે જર્જરિત થઈ ચૂક્યો હોવા છતાં પોતાની આગવી ઓળખને સાચવીને ઉભો છે. પ્રવાસીઓ માટે ફોટોગ્રાફીનું એક વિશેષ સ્થાન છે. જેમાં પણ ખાસ કરીને સૌથી લોકપ્રિય અને સેલ્ફી માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. એક સમયનું કબ્રસ્તાન આજે લોકો માટે અમૂલ્ય નઝરાણું બની ગયો છે.
WSON Team
જૂનાગઢના આ તમામ સ્થળો એ દિવાળીની રજાઓમાં અને ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડે છે. આ ઉપરાંત મહાશિવરાત્રીના મેળા માં તેમજ લિલી પરિક્રમા કરવા જૂનાગઢ દર વર્ષે લાખો લોકો આવે છે. અને સાથે સાથે જૂનાગઢના પ્રવાસન સ્થળોની મુલાકાત લે છે. ઐતિહાસિક નગરી જૂનાગઢ પ્રવાસીઓનું મનપસંદ સ્થળ છે. આથી જ એમ કહેવું જરા પણ અતિશયોક્તિ નથી કે જૂનાગઢ એક ટુરિઝમ હબ બની રહયું છે.
આ તો થઈ જૂનાગઢના પ્રવાસન સ્થળની વાત હવે પછીના બીજા ભાગમાં જોઈશું જૂનાગઢ જિલ્લામાં આવતા પ્રવાસન સ્થળો કે જ્યાં રાજકોટ, અમદાવાદ, સુરત અને મુંબઇથી લોકો શનિ વિકેન્ડની રજાઓમાં આવવાનું વધુ પસંદ કરે છે.
ઇન્ડિયન ગ્રે હોર્નબિલ એટલે કે ભારતીય રાખોડી દૂધરાજ જેને ચિલોત્રો પણ કહેવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ ‘Ocyceros Birostris’ છે.
ઇન્ડિયન ગ્રે હોર્નબિલ( Indian grey hornbill ) એ દૂધરાજ પરિવારનું એકમાત્ર પક્ષી છે જે ભારતમાં જોવા મળે છે. તે મુખ્યત્વે રાખોડી રંગનાં હોય છે. તેની ચાંચ વિચિત્ર અને કઢંગી હોય છે તેમજ તેતી ચાંચ ઉપર શિંગડા જેવો ઉપસેલો ભાગ હોય છે. તેથી જ તેનું નામ “હોર્નબિલ” ( Indian grey hornbill ) પડયું છે. તે લાંબી પૂંછડી ધરાવે છે તેમજ કાળા, રાખોડી તેમજ પીળા રંગની ચાંચ ધરાવે છે.
હોર્નબિલ વિષે જાણવા જેવું
WSON Team
હોર્નબિલ( Indian grey hornbill ) ની માળો બનાવવાની રીત ખાસ પ્રકારની છે. હોર્નબિલ વિશાળ વૃક્ષોની કુદરતી બખોલોમાં પોતાનો માળો બનાવે છે. માદા દૂધરાજ-હોર્નબિલ( female Indian grey hornbill ) બખોલમાં ઈંડાં આપવા માટે દાખલ થાય છે ત્યાર બાદ નર અને માદા બંને થઇને બખોલને બહારથી પૂરી દે છે.
ચિલોત્રા મોટા વૃક્ષની બખોલમાં જ્યારે માદા ઈંડાં મૂકે ત્યારે બહારની બાજુએથી માટી અને નર-માદા બંને પોતાના ચરકથી દીવાલ બનાવીને બખોલને બંધ કરી દે છે. માદા ચિલોત્રા માળામાં કેદ થઈ જાય છે. માત્ર માદા પંખીનું મોં બહાર રહે તેટલું જ કાણું રાખે છે. તેમાં નર દૂધરાજ( Indian grey hornbill ) માદાને ખોરાક આપી શકે તેટલી જ નાની જગ્યા બાકી રાખે છે.
WSON Team
માદા દૂધરાજ( female Indian grey hornbill ) પોતે ઈંડાં ન મૂકે ત્યાં સુધી આ બખોલમાં પોતાની જાતને પૂરી રાખે છે, જ્યાં સુધી બચ્ચાં મોટા થઇને ઊડી શકે તેવાં થઇ જાય ત્યાં સુધી તે બખોલમાંથી બહાર આવતી નથી. આ સમગ્ર સમય દરમિયાન નર દૂધરાજ તેની માદા અને બચ્ચાંઓ માટે ખોરાક લાવે છે.
દૂધરાજનો મુખ્ય આહાર ફ્ળો તેમજ રસાદાર ફ્ળો, બોર તથા નાના સરીસૃપો છે. તે પાનખર જંગલો તેમજ ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં રહેવું વધુ પસંદ કરે છે. ઇન્ડિયન ગ્રે હોર્નબિલ( Indian grey hornbill ) ભારતમાં ખાસ કરીને ગુજરાત રાજયના માત્ર વડોદરા શહેરના આસપાસના અને હૈદરાબાદમાં જ જોવા મળે છે. જંગલ વિસ્તાર ઘટવાને કારણે આ પક્ષીઓ સંરક્ષિત જાતિમાં આવી ગયા છે. તે એક ચિંત્તાનો વિષય છે.
પ્રાણી જગતમાં માણસ પછી વાનર સૌથી બુદ્ધિશાળી પ્રાણી માનવામાં આવે છે. વાનરની એક પ્રજાતિ જેને કેપુચિન(Capuchin monkey) તરીકે ઓળખવામાં આવે છે.
કહેવાય છે કે માણસની ઉત્પતિ પણ વાનર માંથી જ થઈ હોવાનું મનાય છે. ત્યારે પૃથ્વી પર વાનરની અનેક પ્રજાતિ અને પેટા જાતિ જોવા મળે છે. દરેક વાનરના કદ અને રંગરૃપની વિશેષતા અલગ-અલગ હોય છે. જેમાનું એક વાનરની પ્રજાતિ કેપૂચિન વાનર(Capuchin monkey) છે.
WSON Team
કેપૂચિન વાનર(Capuchin monkey)નું શરીર કાળુ કે રાખોડી હોય છે તેના ખભા અને મોં કેસરી રંગના હોય છે. કેપૂચિન વાનર(Capuchin monkey)અન્ય વાનર કરતાં તેની પૂંછડી લાંબી હોય છે. કેપૂચિન વાનર(Capuchin monkey) વનસ્પતિ ઉપરાંત માછલી અને નાના જીવોનો શિકાર કરી ખોરાક મેળવે છે.
મનોવિજ્ઞાન અને જીવશાસ્ત્રના પ્રયોગમાં કેપૂચિન વાનર(Capuchin monkey)નો ઉપયોગ વ્યાપક છે. કેપૂચિન વાનર(Capuchin monkey) વાનરને તાલીમ આપી શકાય અને ઘણી ક્રિયાઓ ઝડપથી શીખી શકે છે. જેના દ્વારા આજે પણ માનવ અને વાનર વચ્ચેની સામ્યતાઓ અંગે સંશોધનો થઈ રહ્યા છે.
WSON Team
કેપૂચિન વાનર(Capuchin monkey) લાકડી અને પથ્થરનો હથિયારની જેમ ઉપયોગ કરી શકે છે. બદામ, અખરોટ જેવા ફળો તોડવા તે પથ્થર એકઠા કરી રાખે છે. આ વાનર ચોક્કસ વનસ્પતિના પાન શરીર પર ચોળીને મચ્છરને દૂર રાખે છે.
કેપૂચિન વાનર(Capuchin monkey)શાંતિપ્રિય વાનર છે. કેપૂચિન વાનર(Capuchin monkey) ખાસ કરીને ટોળામાં પોતાના વિસ્તારમાં જ રહે છે. અને આ વાનર પોતા પરિવારને ખુબ સાચવે છે.
91 ટકા રહેણાક વિસ્તાર ઓછો થવાથી માત્ર 7100 ચિત્તા બચ્યા છે.
પૃથ્વી પર 120 કિમીની ઝડપે સૌથી તેજગતિએ દોડતું ચિત્તો (Cheetah) પ્રાણી લૂપ્ત થવાના આરે છે. પૃથ્વી પર તેનો 91 ટકા રહેણાક વિસ્તાર માણસે છિનવી લીધો હોવાથી વિશ્વમાં માત્ર 7100 જેટલા ચિત્તા (Cheetah) બચ્યા છે. નવાઇની વાત તો એ છે કે 9 ટકા જેટલા વિસ્તારમાં પણ ચિત્તા(Cheetah) એ ખોરાક માટે સિંહ, દિપડા જેવા બીજા શકિતશાળી પ્રાણીઓ સાથે હરિફાઇ કરવી પડે છે.
WSON Team
ચિત્તા(Cheetah) નો શિકાર કરવાના શોખીન શિકારીઓ સાથે ચિતાએ જ છેવટે મરવું પડે છે. દિપડો સતત દોડીને કમજોર પડી જતો હોવાથી પોતાના શિકારનું રક્ષણ પણ કરી શકતો નથી. ઘણીવાર દિપડા અને સિંહ સાથેની શિકાર માટે થતી ફાઇટમાં ચિત્તાએ ભાગવું પડે છે.
એક સમયે ભારત અને શ્રીલંકા સુધી ફેલાયેલા ચિત્તા(Cheetah) ઓ આજે ઇરાન અને આફ્રિકામાં વધુ જોવા મળે છે.આફ્રિકા સુધી ફેલાયેલા છે. ઇરાનમાં ચિત્તા(Cheetah) ની સંખ્યા 50 જેટલી છે. જયારે ઝિમ્બાબ્વેમાં તેની સંખ્યા 15 વર્ષ પહેલા 1500ની હતી તે ઘટીને 150 થી 170 જેટલી રહી છે.
WSON Team
ઝુઓલોજી સોસાયટી ઓફ લંડનના ચિત્તા નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં ચિત્તાના અસ્તિત્વ માટે કપરો સમય ચાલી રહયો છે. ખાસ કરીને તેને બહોળા ફેલાયેલા રહેઠાણ વિસ્તારની જરુર છે. નિષ્ણાતોનું માનવું છે કે ચિત્તા (Cheetah) પોતાનો મૂળ વિસ્તાર છોડીને બહાર રહેતા હોવાથી તેમનો શિકાર થવાનો ભય વધુ છે.
વર્ષ 2016માં કંબોડિયામાંથી વન્ય જીવોના શિકારના 150 કવિન્ટલ જેટલા અવશેષો મળ્યા જેમાં ચિત્તા(Cheetah)નો પણ સમાવેશ થતો હતો. કંબોડિયાથી ચિનમાં જંગલી પ્રાણીઓના અવશેષોની તસ્કરી ખૂબ જ થાય છે. સારી કમાણી થતી હોવાથી શિકારીઓ હંમેશા પોતાના જીવના જોખમે તેને મારવા તૈયાર રહે છે.
વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી કદાવર પક્ષી કાસોવરી( Cassowary Bird ) ન્યુ ગિયાના અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. શાહમૃગ જેવા દેખાવનું આ પક્ષી માણસો અને અન્ય પ્રાણીઓ પર ઘાતક હુમલા કરવા માટે જાણીતું છે. કાસોવરી( Cassowary Bird )ને વિશ્વનું સૌથી ભયંકર પક્ષી પણ માનવામાં આવે છે.
WSON Team
કાસોવરી( Cassowary Bird ) લગભગ છ ફૂટ ઊંચું હોય છે. તેના શરીર પર કાળા પીંછા અને ડોક પર ભૂરા રંગના પીંછા હોય છે. કાસોવરી( Cassowary Bird ) 50 કિલોમીટરની ઝડપે દોડી શકે છે અને છ ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે. પક્ષી હોવા છતાં શાહમૃગ અને પેન્ગ્વીનની જેમ તે ઉડી શકતું નથી. કાસોવરી( Cassowary Bird )ના માથે લાલ કલગી હોય છે.
કાસોવરી( Cassowary Bird )ના પગ મજબૂત હોય છે. પગમાં ત્રણ આંગળી હોય છે. વચલી આંગળીમાં લાંબા તીક્ષ્ણ નહોર હોય છે. તે પાણીમાં તરી શકે છે. કાસોવરી( Cassowary Bird )માં ત્રણ જાતની પ્રજાતિ જોવા મળે છે.
WSON Team
કાસોવરી( Cassowary Bird ) વનસ્પતિ આહારી છે પરંતુ માણસ કે અન્ય પ્રાણી નજીક આવતાં જ તે ભયભીત થઈ હુમલો કરે છે. તેની જોરદાર લાતથી નાના કદના પ્રાણીને પણ પછાડી દે છે. હુમલા વખતે તે ધારદાર નખનો છરીની જેમ ઉપયોગ કરી શિકારને ચીરી નાખે છે.
માદા કાસોવરી( Cassowary Bird )14 સેન્ટીમીટર લાંબા લીલા રંગના ઈંડા મૂકે છે. તે જમીન પર માટી અને પાંદડાનો માળો બનાવે છે